GSEB Class 10 Social Science Notes Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

This GSEB Class 10 Social Science Notes Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ covers all the important topics and concepts as mentioned in the chapter.

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ Class 10 GSEB Notes

→ અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવવધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે; પરંતુ સ્થિરતા સાથે થતો ભાવવધારો અર્થતંત્ર માટે પોષણારૂપ છે.

→ સ્થિરતા સાથેનો ભાવવધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત છે.

→ ભાવવૃદ્ધિનાં કારણો (પરિબળો):

  • નાણાંના પુરવઠમાં વધારો
  • વસ્તીવધારો
  • નિકાસમાં વધારો
  • કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ
  • બિનનોંધાયેલ નાણાંનું ચલણ (કાળું નાણું)
  • સરકાર દ્વારા ભાવવધારો
  • કુદરતી પરિબળો
  • દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર

GSEB Class 10 Social Science Notes Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

→ ભાવવધારાની અસર:

  • બચત અને મૂડસર્જનમાં ઘટાડો થાય છે.
  • વિદેશી મૂડીરોકાણ ઘટે છે.
  • આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે.
  • આયાત-નિકાસના ખર્ચમાં અસમતુલન સર્જાય છે.
  • ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન કથળે છે. સમાજનું નૈતિક અધ:પતન થાય છે.

→ ભાવવધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો :

  • નાણાકીય પગલાં
  • રાજકોષીય પગલાં
  • મૂડીરોકાણ પર અંકુશ
  • ભાવનિયમન અને માપબંધી
  • ભાવનિર્ધારિશ તંત્ર

→ ગ્રાહક શોષણનાં કારણો :

  • ગ્રાહક પોતે જવાબદાર
  • મર્યાદિત માહિતી
  • મર્યાદિત પુરવઠો
  • મર્યાદિત હરીફાઈ.

→ ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે.

→ સરકારે ગ્રાહકોનાં હિતો અને અધિકારોના રક્ષણ માટે “ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986′ નામનો સર્વગ્રાહી કાયદો અમલમાં મૂકીને કાયદાકીય પગલું ભર્યું છે.

→ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે 15 માર્ચનો દિવસ “વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઉજવવામાં આવે છે.

→ ગ્રાહકોના અધિકાર :

  • સલામતીનો અધિકાર
  • માહિતી મેળવવાનો અધિકાર
  • પસંદગી કરવાનો અધિકાર
  • રજૂઆત કરવાનો અધિકાર
  • ફરિયાદ-નિવારજ્ઞનો અધિકાર
  • ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર

→ ગ્રાહકોની ફરજો :

  • ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ.
  • વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતીની ખાતરી કરીને જવાબદારીપૂર્વક નિર્ણય કરવો જોઈએ.
  • એક સજ્જન અને પ્રામાણિક ગ્રાહકની ખાતરી કરાવવી જોઈએ.
  • ખરીદીનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની રસીદ લેવી જોઈએ.
  • સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવાં જોઈએ.
  • સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરવી જોઈએ.
  • સલામતીનાં ધોરણોમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ.
  • ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ ઇદ માગતી અરજી કરવી જોઈએ.
  • જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ વસ્તુઓ ખરીદવી જોઈએ.
  • તોલમાપનાં સાધનો ચકાસવાં જોઈએ.
  • ગૅસ સિલેન્ડર, પેટ્રોલ અને કેરોસીનની ખરીદીમાં કાળજી રાખવી જોઈએ.
  • રેલવે, બૅન્ક, વીમો, ટેલિફોન, હોસ્પિટલ વગેરેની સેવાઓમાં નુકસાન થાય તો “ગ્રાહક ફોરમ’માં ફરિયાદ કરવી જોઈએ.
  • ગ્રાહક જાગૃતિની કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારમાં ભાગ લેવો જોઈએ.

GSEB Class 10 Social Science Notes Chapter 18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

→ ચાહક સુરક્ષાના ઉપાયોઃ
1. ત્રિસ્તરીય અદાલતો

  • જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અદાલત “ જિલ્લા ફોરમ’ – (જિલ્લા મંચ)ના નામે ઓળખાય છે.
  • રાજ્ય કક્ષાએ ગ્રાહક સુરક્ષાનો અમલ ‘રાજ્ય મિશન’ (રાજ્ય ફોરમ) કરે છે.
  • ગ્રાહક સુરક્ષા કાયદાનો અમલ કરનારી સૌથી મોટી અદાલત “રાષ્ટ્રીય કમિશન’ (રાષ્ટ્રીય ફોર) છે.
  • રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ પક્ષકાર દેશની સુપ્રીમ કોર્ટ(સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ કરી શકે છે.

2. ગ્રાહક મંડળો (ગ્રાહક સુરક્ષા પરિષદ)

3. જાહેર વિતરણ પ્રણાલી (PDS)

4. તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાનું પ્રમાણિત કરતું તંત્ર.

  • ચીજવસ્તુઓની ગુણવત્તાનું ધોરણ જાળવવા માટે, ઈ. સ. 1947માં ભારત સરકારે ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ’(ISI)ની સ્થાપના કરી છે, જે હવે બ્યુ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ'(BISના નામે ઓળખાય છે.
  • આપણા દેશમાં માલની ગુણવત્તા પ્રમાણિત કરવા માટે ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર “એગમાર્ક (Agmark) અને તે સિવાયની ચીજવસ્તુઓ પર ‘આઈ.એસ.આઈ.’ (ISI) નામના માકલગાડવામાં આવે છે.
  • ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. તેની સ્થાપના ઈ. સ. 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં આવેલું છે.
  • “કોડેક્સ એલિમેરિયસ કમિશન (CAC) નામની સંસ્થા આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે.
  • “CAc’ નામની સંસ્થાની સ્થાપના ઈ. સ. 1963માં સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના “ખાઘ અને ખેતી સંગઠને (FAO) અને “વિશ્વ-સ્વાથ્ય સંગઠન (WHO) કરી હતી. તેનું મુખ્ય કાર્યાલય ઇટલીના પાટનગર રોમમાં આવેલું છે.

Leave a Comment

Your email address will not be published.