GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
A. ભવનો અને મંદિરો
B. મસ્જિદો અને મકબરાઓ
C. સ્તૂપો અને સ્તંભલેખો
D. ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો
ઉત્તરઃ
C. સ્તૂપો અને સ્તંભલેખો

પ્રશ્ન 2.
અનુમૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
A. ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો
B. સ્તૂપો અને સ્તંભલેખો
C. મસ્જિદો અને મકબરાઓ
D. ભવનો અને મંદિરો
ઉત્તરઃ
A. ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો

પ્રશ્ન 3.
ગુપ્ત સમય દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
A. મસ્જિદો અને મકબરાઓ
B. ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો
C. સ્તૂપો અને સ્તંભલેખો
D. વિહારો, ભવનો અને મંદિરો
ઉત્તરઃ
D. વિહારો, ભવનો અને મંદિરો

પ્રશ્ન 4.
દિલ્લી સલ્તનતના સમયગાળા દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
A. સ્તૂપો અને સ્તંભલેખો
B. મસ્જિદો, મકબરાઓ અને રોજા
C. વિહારો, ભવનો અને મંદિરો
D. ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો
ઉત્તરઃ
B. મસ્જિદો, મકબરાઓ અને રોજા

પ્રશ્ન 5.
પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે ………..
A. ગુફાકલા
B. શિલ્પકલા
C. સ્થાપત્યકલા
D. સ્તૂપકલા
ઉત્તરઃ
B. શિલ્પકલા

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 6.
સ્થાપત્યનો સરળ અર્થ થાય છે ……..
A. કોતરણી
B. વાસ્તુ
C. બાંધકામ
D. મંદિર
ઉત્તરઃ
C. બાંધકામ

પ્રશ્ન 7.
રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની કઈ શેલી પ્રચલિત બની હતી?
A. ઈરાની
B. દ્રવિડ
C. મથુરા
D. નાગર
ઉત્તરઃ
D. નાગર

પ્રશ્ન 8.
કયું મંદિર સ્થાપત્યની નાગરશેલીનું મંદિર છે?
A. કોણાર્કનું સૂર્યમંદિર
B. મોઢેરાનું સૂર્યમંદિર
C. પુરીનું લિંગરાજ મંદિર
D. કર્ણાટકનું હૌશલેશ્વરનું મંદિર
ઉત્તરઃ
C. પુરીનું લિંગરાજ મંદિર

પ્રશ્ન 9.
આરબશેલીનાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
A. મસ્જિદ
B. વાવ
C. મકબરો
D. રોજા
ઉત્તરઃ
B. વાવ

પ્રશ્ન 10.
કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે?
A. કુતુબમિનાર
B. સોના મસ્જિદ
C. ભદ્રનો કિલ્લો
D. કીર્તિસ્તંભ (વિજયસ્તંભ)
ઉત્તરઃ
A. કુતુબમિનાર

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 11.
દિલ્લી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
A. જામા મસ્જિદ
B. અલાઈ દરવાજો
C. કુતુબમિનાર
D. કોણાર્કનું સૂર્યમંદિર
ઉત્તરઃ
D. કોણાર્કનું સૂર્યમંદિર

પ્રશ્ન 12.
મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે?
A. હોજ-એ-ખાસ
B. ભદ્રનો કિલ્લો
C. સીરીનો કિલ્લો
D. કુંભલગઢનો દુર્ગ
ઉત્તરઃ
B. ભદ્રનો કિલ્લો

પ્રશ્ન 13.
મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે?
A. જામા મસ્જિદ
B. સીરીનો કિલ્લો
C. સોના મસ્જિદ
D. કુતુબમિનાર
ઉત્તરઃ
C. સોના મસ્જિદ

પ્રશ્ન 14.
મધ્યયુગીન સમયનું હિંદુ સ્થાપત્ય કયું છે?
A. ચિતોડનો કીર્તિસ્તંભ
B. ભદ્રનો કિલ્લો
C. તાજમહાલ
D. જામા મસ્જિદ
ઉત્તરઃ
A. ચિતોડનો કીર્તિસ્તંભ

પ્રશ્ન 15.
ઓડિશામાં કયું સૂર્યમંદિર આવેલું છે?
A. ખજૂરાહોનું
B. કોણાર્કનું
C. પટ્ટદકલનું
D. થંજાવુરનું
ઉત્તરઃ
B. કોણાર્કનું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 16.
કોણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?
A. આંધ્ર પ્રદેશમાં
B. ઝારખંડમાં
C. છત્તીસગઢમાં
D. ઓડિશામાં
ઉત્તરઃ
D. ઓડિશામાં

પ્રશ્ન 17.
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?
A. કાશીપુર
B. આનંદપુર
C. પુરી
D. અનુગુલ
ઉત્તરઃ
C. પુરી

પ્રશ્ન 18.
કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું?
A. કરિકાલના
B. ગોન્ડોફર્નિસના
C. પેરુવલુદીના
D. નરસિંહવર્મન પ્રથમના
ઉત્તરઃ
D. નરસિંહવર્મન પ્રથમના

પ્રશ્ન 19.
કોણાર્કનું સૂર્યમંદિર કયા પ્રકારનું મંદિર છે?
A. ગુફામંદિર
B. ખડકમંદિર
C. યોગિની મંદિર
D. રથમંદિર
ઉત્તરઃ
D. રથમંદિર

પ્રશ્ન 20.
કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલાં પૈડાં છે?
A. 12
B. 10
C. 8
D. 16
ઉત્તરઃ
A. 12

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 21.
કોણાર્કના સૂર્યમંદિરને – રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે?
A. આઠ
B. બાર
C. સાત
D. સોળ
ઉત્તર:
C. સાત

પ્રશ્ન 22.
કયું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે?
A. મોઢેરાનું સૂર્યમંદિર
B. કોણાર્કનું સૂર્યમંદિર
C. વિરુપાક્ષ મંદિર
D. બૃહદેશ્વર મંદિર
ઉત્તર:
B. કોણાર્કનું સૂર્યમંદિર

પ્રશ્ન 23.
કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?
A. ગેરુઆ
B. ધોળા
C. લાલ
D. કાળા
ઉત્તર:
D. કાળા

પ્રશ્ન 24.
ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
A. ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો
B. શંકુ આકારનાં અણીદાર શિખરો
C. પ્રદક્ષિણાપથ વિનાનાં શિખરો
D. ગોળ શિખરો અને સ્તંભવાળા ખંડો
ઉત્તર:
A. ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો

પ્રશ્ન 25.
દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
A. શંકુ આકારનાં શિખરો અને સ્તંભ વિનાના ખંડો
B. ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો
C. શંકુ આકારનાં અણીદાર શિખરો
D. પ્રદક્ષિણાપથ વિનાનાં શિખરો
ઉત્તર:
C. શંકુ આકારનાં અણીદાર શિખરો

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 26.
દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય વિશેષતા શી છે?
A. ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર)
B. અંતરાલ
C. ગર્ભગૃહ
D. મુખમંડપ
ઉત્તર:
A. ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર)

પ્રશ્ન 27.
રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?
A. મદુરાઈમાં
B. મથુરામાં
C. તાંજોરમાં
D. બેલૂરમાં
ઉત્તર:
C. તાંજોરમાં

પ્રશ્ન 28.
નીચે આપેલા નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 1
A. ઓડિશામાં
B. ગુજરાતમાં
C. પશ્ચિમ બંગાળમાં
D. આંધ્ર પ્રદેશમાં
ઉત્તર:
A. ઓડિશામાં

પ્રશ્ન 29.
નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે?
A. જહાંગીરનો
B. ઓરંગઝેબનો
C. બાબરનો
D. હુમાયુનો
ઉત્તર:
D. હુમાયુનો

પ્રશ્ન 30.
મુઘલયુગ સમયનું સ્થાપત્યકલાનું કયું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે?
A. હુમાયુનો મકબરો
B. ભદ્રનો કિલ્લો
C. જામા મસ્જિદ
D. અદીના મસ્જિદ
ઉત્તર:
A. હુમાયુનો મકબરો

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 31.
અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?
A. દિલ્લીનો કિલ્લો
B. આગરાનો કિલ્લો
C. જૂનાગઢનો કિલ્લો
D. અજમેરનો કિલ્લો
ઉત્તર:
B. આગરાનો કિલ્લો

પ્રશ્ન 32.
અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?
A. ચાંપાનેરનો કિલ્લો
B. આમેરનો કિલ્લો
C. ફતેહપુર સિક્રનો કિલ્લો
D. બહાઉદ્દીન વઝીરનો કિલ્લો
ઉત્તર:
C. ફતેહપુર સિક્રનો કિલ્લો

પ્રશ્ન 33.
સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો?
A. શાહજહાંએ
B. હુમાયુએ
C. અકબરે
D. શેરશાહે
ઉત્તર:
D. શેરશાહે

પ્રશ્ન 34.
મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?
A. લાહોરમાં
B. કશ્મીરમાં
C. આગરામાં
D. દિલ્લીમાં
ઉત્તર:
A. લાહોરમાં

પ્રશ્ન 35.
મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
A. કશ્મીરમાં
B. દિલ્લીમાં
C. જયપુરમાં
D. આગરામાં
ઉત્તર:
A. કશ્મીરમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 36.
મુઘલયુગ સમયનો આરામબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
A. બેંગલૂરમાં
B. અમદાવાદમાં
C. આગરામાં
D. દેહરાદૂનમાં
ઉત્તર:
C. આગરામાં

પ્રશ્ન 37.
નીચેના પૈકી કઈ ઇમારત મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?
A. કુતુબમિનાર
B. બુલંદ દરવાજો
C. બહાઉદીન વઝીરની કબર
D. તાજમહાલ
ઉત્તર:
D. તાજમહાલ

પ્રશ્ન 38.
તાજમહાલ કોણે બંધાવ્યો હતો?
A. ઔરંગઝેબે
B. હુમાયુએ
C. અકબરે
D. શાહજહાંએ
ઉત્તર:
D. શાહજહાંએ

પ્રશ્ન 39.
શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?
A. આગરામાં
B. દિલ્લીમાં
C. શ્રીનગરમાં
D. અજમેરમાં
ઉત્તર:
A. આગરામાં

પ્રશ્ન 40.
તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે?
A. ગંડક
B. ગોમતી
C. યમુના
D. ગંગા
ઉત્તર:
C. યમુના

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 41.
કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?
A. ખજૂરાહોનાં મંદિરો
B. તાજમહાલ
C. આગરાનો લાલ કિલ્લો
D. કોણાર્કનું સૂર્યમંદિર
ઉત્તર:
B. તાજમહાલ

પ્રશ્ન 42.
શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?
A. હમીદાબાનુની
B. મુમતાજમહલની
C. તાજ મોહમ્મદની
D. હમીદામહલની
ઉત્તર:
B. મુમતાજમહલની

પ્રશ્ન 43.
દિલ્લીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો? :
A. જહાંગીરે
B. અકબરે
C. હુમાયુએ
D. શાહજહાંએ
ઉત્તર:
D. શાહજહાંએ

પ્રશ્ન 44.
શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?
A. દીવાન-એ-લાલ
B. દીવાન-એ-આમ
C. રંગમહેલ
D. દીવાન-એ-ખાસ
ઉત્તર:
A. દીવાન-એ-લાલ

પ્રશ્ન 45.
શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી?
A. સિંહાસન
B. શહેનશાહાસન
C. મયૂરાસન
D. મુઘલાસન
ઉત્તર:
C. મયૂરાસન

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 46.
ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?
A. વિજયઘાટથી
B. કુતુબમિનારથી
C. રાજઘાટથી
D. લાલ કિલ્લાથી
ઉત્તર:
D. લાલ કિલ્લાથી

પ્રશ્ન 47.
ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?
A. દિલ્લી – યમુના
B. લખનઉ – ગંગા
C. અયોધ્યા – સરયુ
D. આગરા – યમુના
ઉત્તર:
D. આગરા – યમુના

પ્રશ્ન 48.
નીચેના સ્થાપત્યનું નામ શું છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 2
A. લાલ કિલ્લો – દિલ્લી
B. હુમાયુનો મકબરો – દિલ્લી
C. લાલ કિલ્લો – આગરા
D. દોલતાબાદનો કિલ્લો – મહારાષ્ટ્ર
ઉત્તર:
A. લાલ કિલ્લો – દિલ્લી

પ્રશ્ન 49.
નીચેના સ્થાપત્યનું નામ શું છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 3
A. બુલંદ દરવાજો
B. જામી મસ્જિદ
C. આગરાનો કિલ્લો
D. મહાબતખાનનો મકબરો
ઉત્તર:
C. આગરાનો કિલ્લો

પ્રશ્ન 50.
નીચેના સ્થાપત્યનું નામ શું છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 4
A. મોઢેરાનું સૂર્યમંદિર
B. કોણાર્કનું સૂર્યમંદિર
C. કર્ણાટકનું હૌશલેશ્વર
D. રાજરાજેશ્વરનું મંદિર
ઉત્તર:
A. મોઢેરાનું સૂર્યમંદિર

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 51.
લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
A. મુંબઈમાં
B. શ્રીનગરમાં
C. અમૃતસરમાં
D. દિલ્લીમાં
ઉત્તર:
D. દિલ્લીમાં

પ્રશ્ન 52.
શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણમંદિર કયા શહેરમાં આવેલું છે?
A. દિલ્લીમાં
B. લખનઉમાં
C. આગરામાં
D. અમૃતસરમાં
ઉત્તર:
D. અમૃતસરમાં

પ્રશ્ન 53.
સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
A. પોરબંદરમાં
B. ભાવનગરમાં
C. ગીર સોમનાથમાં
D. રાજકોટમાં
ઉત્તર:
C. ગીર સોમનાથમાં

પ્રશ્ન 54.
સોમનાથ મંદિર વેરાવળ પાસે કયા સ્થળે આવેલું છે?
A. પ્રભાસપાટણમાં
B. સોમનાથ પાટણમાં
C. અણહિલવાડ પાટણમાં
D. પાલિતાણા પાટણમાં
ઉત્તર:
A. પ્રભાસપાટણમાં

પ્રશ્ન 55.
સોમનાથ કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું?
A. શક્તિપંથનું
B. શૈવપંથનું
C. વૈષ્ણવપંથનું
D. વેદિકપંથનું
ઉત્તર:
B. શૈવપંથનું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 56.
નીચેના સ્થાપત્યનું નામ શું છે?
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 5
A. રાજરાજેશ્વર મંદિર
B. હોશલેશ્વર મંદિર
C. મોઢેરાનું સૂર્યમંદિર
D. સોમનાથ મંદિર
ઉત્તર:
D. સોમનાથ મંદિર

પ્રશ્ન 57.
કયું મંદિર ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે?
A. અંબાજી મંદિર
B. સોમનાથ મંદિર
C. બહુચરાજી મંદિર
D. દ્વારકાધીશ મંદિર
ઉત્તર:
B. સોમનાથ મંદિર

પ્રશ્ન 58.
ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
A. જૂનાગઢમાં
B. જામનગરમાં.
C. મોરબીમાં
D. ભાવનગરમાં
ઉત્તર:
A. જૂનાગઢમાં

પ્રશ્ન 59.
જૂનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું?
A. વિજયદુર્ગ
B. ગણદુર્ગ
C. ગિરિદુર્ગ
D. ખંડદુર્ગ
ઉત્તર:
C. ગિરિદુર્ગ

પ્રશ્ન 60.
ગુજરાતમાં અડી-કડી વાવ ક્યાં આવેલી છે?
A. વેરાવળમાં
B. વડનગરમાં
C. ડભોઈમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
D. જૂનાગઢમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 61.
ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે?
A. વડોદરામાં
B. પાટણમાં
C. ભુજમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
D. જૂનાગઢમાં

પ્રશ્ન 62.
ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : ………………………….. નું સૂર્યમંદિર
A. તાંજોર
B. ખજૂરાહો
C. કોણાર્ક
D. બૃહદેશ્વર
ઉત્તર:
C. કોણાર્ક

પ્રશ્ન 63.
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
A. અમદાવાદ
B. પાટણ
C. મહેસાણા
D. જૂનાગઢ
ઉત્તર:
C. મહેસાણા

પ્રશ્ન 64.
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાએ બંધાવ્યું હતું?
A. સોલંકીવંશના ભીમદેવ બીજાએ
B. સોલંકીવંશના મૂળરાજ પહેલાએ
C. સોલંકીવંશના સિદ્ધરાજ જયસિંહે
D. સોલંકીવંશના ભીમદેવ પહેલાએ
ઉત્તર:
D. સોલંકીવંશના ભીમદેવ પહેલાએ

પ્રશ્ન 65.
મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?
A. દક્ષિણ
B. પૂર્વ
C. પશ્ચિમ
D. ઉત્તર
ઉત્તર:
B. પૂર્વ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 66.
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે?
A. 12
B. 8
C. 6
D. 4
ઉત્તર:
A. 12

પ્રશ્ન 67.
મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ કેટલાં મંદિરો આવેલાં છે?
A. 92
B. 80
C. 112
D. 108
ઉત્તર:
D. 108

પ્રશ્ન 68.
પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી?
A. રાણી રૂપમતિએ
B. રાણી મીનાક્ષીદેવીએ
C. રાણી ઉદયમતિએ
D. રાણી યશોમતિએ
ઉત્તર:
C. રાણી ઉદયમતિએ

પ્રશ્ન 69.
ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે?
A. પાટણમાં
B. અડાલજમાં
C. ડભોઈમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
A. પાટણમાં

પ્રશ્ન 70.
રાણીની વાવ કેટલા માળની છે?
A. છ
B. ત્રણ
C. પાંચ
D. સાત
ઉત્તર:
D. સાત

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 71.
ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે?
A. 10
B. 12
C. 24
D. 6
ઉત્તર:
B. 12

પ્રશ્ન 72.
નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે?
A. ઇલોરાની ગુફાઓને
B. હમ્પીને
C. મોઢેરાના સૂર્યમંદિરને
D. રાણીની વાવને
ઉત્તર:
D. રાણીની વાવને

પ્રશ્ન 73.
વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?
A. યુએન
B. યુનિનોર
C. યુનેસ્કો
D. યુનિસેફ
ઉત્તર:
C. યુનેસ્કો

પ્રશ્ન 74.
સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે?
A. નવઘણ કૂવો
B. રાણીની વાવ
C. દામોદર કુંડ
D. રુદ્રમહાલય
ઉત્તર:
D. રુદ્રમહાલય

પ્રશ્ન 75.
સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું બાંધકામ કોણે કરાવ્યું હતું?
A. સિદ્ધરાજ જયસિંહે
B. વસ્તુપાળ અને તેજપાળે
C. કુમારપાળે
D. કર્ણદેવ વાઘેલાએ
ઉત્તર:
A. સિદ્ધરાજ જયસિંહે

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 76.
કેટલાક ઇતિહાસકારોના મતે સિદ્ધપુરનો રુદ્રમહાલય કેટલા માળનો હોવો જોઈએ?
A. પાંચ
B. સાત
C. નવ
D. ત્રણ
ઉત્તર:
B. સાત

પ્રશ્ન 77.
કોના કહેવાથી સિદ્ધરાજે ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં?
A. માતા કનકાદેવીના
B. માતા રાજેશ્વરીદેવીના
C. માતા મીનળદેવીના
D. માતા મીનાક્ષીદેવીના
ઉત્તર:
C. માતા મીનળદેવીના

પ્રશ્ન 78.
ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
A. વીરમગામમાં
B. દ્વારકામાં
C. મોઢેરામાં
D. ધોળકામાં
ઉત્તર:
D. ધોળકામાં

પ્રશ્ન 79.
ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે?
A. જૂનાગઢમાં
B. વીરમગામમાં
C. ધોળકામાં
D. ભુજમાં
ઉત્તર:
B. વીરમગામમાં

પ્રશ્ન 80.
ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં આવેલું છે?
A. સિદ્ધપુરમાં
B. અમદાવાદમાં
C. વડનગરમાં
D. પાટણમાં
ઉત્તર:
C. વડનગરમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 81.
ગુજરાતમાં શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
A. વડનગરમાં
B. પાટણમાં
C. સિદ્ધપુરમાં
D. અમદાવાદમાં
ઉત્તર:
A. વડનગરમાં

પ્રશ્ન 82.
પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?
A. રાણી ભાનુમતિએ
B. રાણી રૂડાદેવીએ
C. રાણી ઉદયમતિએ
D. સિદ્ધરાજ જયસિંહ
ઉત્તર:
D. સિદ્ધરાજ જયસિંહ

પ્રશ્ન 83.
ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?
A. સિદ્ધપુરમાં
B. પાટણમાં
C. વીરમગામમાં
D. ધોળકામાં
ઉત્તર:
B. પાટણમાં

પ્રશ્ન 84.
અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?
A. ઈ. સ. 1428માં
B. ઈ. સ. 1421માં
C. ઈ. સ. 1414માં
D. ઈ. સ. 1411માં
ઉત્તર:
D. ઈ. સ. 1411માં

પ્રશ્ન 85.
ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે?
A. પાટણમાં
B. જૂનાગઢમાં
C. અમદાવાદમાં
D. વેરાવળમાં
ઉત્તર:
C. અમદાવાદમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 86.
અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે?
A. મોતી મસ્જિદ
B. જામી મસ્જિદ
C. અટાલા મસ્જિદ
D. જામા મસ્જિદ
ઉત્તર:
D. જામા મસ્જિદ

પ્રશ્ન 87.
ગુજરાતમાં જામી મસ્જિદ ક્યાં આવેલી છે?
A. મહેમદાવાદમાં
B. ચાંપાનેરમાં
C. ભાવનગરમાં
D. અમદાવાદમાં
ઉત્તર:
B. ચાંપાનેરમાં

પ્રશ્ન 88.
નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
A. ચાંપાનેરને
B. જામા મસ્જિદને
C. મોઢેરાના સૂર્યમંદિરને
D. કોણાર્કના સૂર્યમંદિરને
ઉત્તર:
A. ચાંપાનેરને

પ્રશ્ન 89.
અમદાવાદ નજીક આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી?
A. રાણી પદ્માવતીએ
B. રાણી ઉદયમતિએ
C. રાણી ભાનુમતિએ
D. રાણી રૂડાદેવીએ
ઉત્તર:
D. રાણી રૂડાદેવીએ

પ્રશ્ન 90.
ગુજરાતમાં હોજ-એ-કુતુબ એટલે કે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે?
A. જૂનાગઢમાં
B. અમદાવાદમાં
C. વીરમગામમાં
D. પાટણમાં
ઉત્તર:
B. અમદાવાદમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 91.
અમદાવાદના કયા સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે?
A. જામા મસ્જિદને
B. ઝૂલતા મિનારાને
C. રાણી સિપ્રીની મસ્જિદને
D. સીદી સૈયદની જાળીને
ઉત્તર:
D. સીદી સૈયદની જાળીને

પ્રશ્ન 92.
પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના કયા ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં?
A. ગિરનાર
B. ચોટીલો
C. શત્રુંજય
D. ધીણોધર
ઉત્તર:
C. શત્રુંજય

પ્રશ્ન 93.
ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ કયું છે?
A. સમેતશિખર
B. પાલિતાણા
C. પાવાપુરી
D. જૂનાગઢ
ઉત્તર:
B. પાલિતાણા

પ્રશ્ન 94.
ગુજરાતમાં જામનગર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
A. ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો
B. દેવની મોરીનો સૂરજ કુંવરબાનો
C. હમીરજી ગોહિલનો
D. નંદનગઢનો સૂરજ કુંવરબાનો
ઉત્તર:
A. ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો

પ્રશ્ન 95.
ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
A. ધર્મરાજિકાનો
B. ખાપરા-કોડિયાનો
C. ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો
D. હમીરજી ગોહિલનો
ઉત્તર:
D. હમીરજી ગોહિલનો

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 96.
કયા મુઘલ બાદશાહના સમયથી ભારતમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો?
A. શેરશાહ
B. ઔરંગઝેબ
C. બાબર
D. અકબર
ઉત્તર:
C. બાબર

પ્રશ્ન 97.
કયા મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી?
A. જશવંત
B. બસાવન
C. મસૂર
D. આકારિઝા
ઉત્તર:
D. આકારિઝા

પ્રશ્ન 98.
કયા મુઘલ બાદશાહના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ હતી?
A. જહાંગીર
B. અકબર
C. ઓરંગઝેબ
D. હુમાયુ
ઉત્તર:
B. અકબર

પ્રશ્ન 99.
કવાલીની શોધ કોણે કરી હતી?
A. અમીર ખુશરોએ
B. ઝીયાઉદ્દીન બનીએ
C. મુહમ્મદ કાઝીમે
D. ચંદબરદાઈએ
ઉત્તર:
A. અમીર ખુશરોએ

પ્રશ્ન 100.
દેવગિરિ(દોલતાબાદ)ના પંડિત સારંગદેવે કયો સંગીતગ્રંથ લખ્યો હતો?
A. સંગીત પારિજાત
B. સંગીત સુધાકર
C. સંગીત મકરંદ
D. સંગીત રત્નાકર
ઉત્તર:
D. સંગીત રત્નાકર

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 101.
ગુજરાતના પંડિત હરિપાલ દેવે ક્યો સંગીતગ્રંથ લખ્યો હતો?
A. સંગીત સુધાકર
B. સંગીત રત્નાકર
C. સંગીત મકરંદ
D. સંગીત પારિજાત
ઉત્તર:
A. સંગીત સુધાકર

પ્રશ્ન 102.
નીચેના પૈકી ક્યા સૌથી મહાન કલાકાર શાસ્ત્રીય ગાન (સંગીત) સાથે સંકળાયેલા હતા?
A. બૈજુ બાવરા
B. મલિક મુહમ્મદ જાયસી
C. તાનસેન
D. શેખ બુહરાન
ઉત્તર:
C. તાનસેન

પ્રશ્ન 103.
‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ કોણે લખ્યો હતો?
A. હેમાચાર્યે
B. હેમચંદ્રાચાર્યે
C. હમશિલાચાર્યે
D. હેમશુભાચાર્યે
ઉત્તર:
B. હેમચંદ્રાચાર્યે

પ્રશ્ન 104.
જયદેવનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે?
અથવા
કવિ જયદેવે કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે?
A. ઋતુસંહાર
B. હર્ષચરિત
C. રાજતરંગિણી
D. ગીતગોવિંદમ્
ઉત્તર:
D. ગીતગોવિંદમ્

પ્રશ્ન 105.
‘હિતોપદેશ’ ગ્રંથના કર્તા કોણ છે?
A. નારાયણ
B. વિષ્ણુ ભાતખંડે
C. બોધાયન
D. ભાસ્કરાચાર્ય
ઉત્તર:
A. નારાયણ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 106.
‘સિદ્ધાંત શિરોમણિ’ અને ‘લીલાવતી’ ગ્રંથોના કર્તા કોણ છે?
A. આર્યભટ્ટ
B. વાભટ્ટ
C. ભાસ્કરાચાર્ય
D. બોધાયન
ઉત્તર:
C. ભાસ્કરાચાર્ય

પ્રશ્ન 107.
ચંદબરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે?
A. ચંદ્રાયન
B. પૃથ્વીરાજરાસો
C. વિક્રમાંકદેવચરિત
D. બીસલદેવરાસો
ઉત્તર:
B. પૃથ્વીરાજરાસો

પ્રશ્ન 108.
‘પૃથ્વીરાજરાસો’ ગ્રંથના કર્તા કોણ છે?
A. કવિ તિરુવલ્લુવર
B. બિસલદેવ
C. ભાસ્કરાચાર્ય
D. ચંદબરદાઈ
ઉત્તર:
D. ચંદબરદાઈ

પ્રશ્ન 109.
‘તુઘલખનામા’ અને ‘તારીખ-એ-દિલ્લી’ ગ્રંથોના રચયિતા કોણ છે?
A. અમીર ખુશરો
B. હઝરત નિઝામુદ્દીન
C. ઝીયાઉદ્દીન બરની
D. મુહમ્મદ કાઝીમ
ઉત્તર:
A. અમીર ખુશરો

પ્રશ્ન 110.
‘કિતાબ-એ હિન્દ-રહેલા’ ગ્રંથના કર્તા કોણ છે?
A. જૈનુલ અબિદિન
B. અબુલક્ઝલ
C. ગુલબદન બેગમ
D. ઇબ્નબતુતા
ઉત્તર:
D. ઇબ્નબતુતા

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 111.
‘કાન્હડદે પ્રબંધ’ ગ્રંથના કર્તા કોણ છે?
A. સોમદેવ
B. પદ્મનાભ
C. કલ્હણ
D. પદ્માવત
ઉત્તર:
B. પદ્મનાભ

પ્રશ્ન 112.
મહંમદ જાયસીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે?
A. ચંદ્રાયન
B. પદ્માસન
C. પદ્માવત
D. પદ્મનાભ
ઉત્તર:
C. પદ્માવત

પ્રશ્ન 113.
ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે?
A. અસાઈત ઠાકર
B. જયશંકર સુંદરી
C. પ્રાણસુખ નાયક
D. ઉપેન્દ્ર ત્રિવેદી
ઉત્તર:
A. અસાઈત ઠાકર

પ્રશ્ન 114.
ગુજરાતના ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો કયો વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે?
A. ધમાલ
B. હુડો
C. ચાળો
D. મેરાયો
ઉત્તર:
B. હુડો

પ્રશ્ન 115.
કયા મેળામાં હુડો રાસને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાત આવે છે?
A. વોઠાના મેળામાં
B. નકળંગના મેળામાં
C. ભવનાથના મેળામાં
D. તરણેતરના મેળામાં
ઉત્તર:
D. તરણેતરના મેળામાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 116.
ગુજરાતમાં કયા તહેવાર દરમિયાન સ્ત્રી-પુરુષો ગરબા, ગરબી અને રાસ રમે છે?
A. હોળી
B. ગણેશચતુર્થી
C. ઓણમ
D. નવરાત્રી
ઉત્તર:
D. નવરાત્રી

પ્રશ્ન 117.
પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?
A. બનારસી
B. પટોળું
C. બાંધણી
D. કાંજીવરમ
ઉત્તર:
B. પટોળું

પ્રશ્ન 118.
નીચેનાં સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે પ્રખ્યાત છે?
A. જેતપુર
B. સુરત
C. અંજાર
D. પાલનપુર
ઉત્તર:
A. જેતપુર

પ્રશ્ન 119.
જામનગર અને જેતપુર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે?
A. પટોળું
B. બનારસી
C. કાંજીવરમ
D. બાંધણી
ઉત્તર:
D. બાંધણી

પ્રશ્ન 120.
કચ્છના બન્ની અને ખદિર વિસ્તારની કચ્છી સ્ત્રીઓ કયા પ્રકારની કલા-કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે?
A. મીનાકામની
B. વણાટકામની
C. ભરતગૂંથણની
D. માટીકામની
ઉત્તર:
C. ભરતગૂંથણની

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 121.
શહેરીકરણનું ચરમબિંદુ ક્યા શહેરમાં જોવા મળે છે?
A. દિલ્લીમાં
B. ભરૂચમાં
C. અમૃતસરમાં
D. વડોદરામાં
ઉત્તર:
A. દિલ્લીમાં

પ્રશ્ન 122.
શીખધર્મને કારણે કયું શહેર અગત્યનું શહેર બન્યું છે?
A. હોશિયારપુર
B. ફીરોઝપુર
C. અમૃતસર
D. ગુરુદાસપુર
ઉત્તર:
C. અમૃતસર

પ્રશ્ન 123.
દક્ષિણ ભારતનું કયું શહેર ઉત્તર અને દક્ષિણને જોડતું શહેરીકેન્દ્ર હતું?
A. બીજાપુર
B. દેવગિરિ (દોલતાબાદ)
C. ચિત્રદુર્ગ
D. સાતારા
ઉત્તર:
B. દેવગિરિ (દોલતાબાદ)

પ્રશ્ન 124.
નીચેના પૈકી કયું શહેર વિજયનગરની રાજધાની હતી?
A. નાગલપુર
B. ગુલમર્ગ
C. બીડર
D. હમ્પી
ઉત્તર:
D. હમ્પી

પ્રશ્ન 125.
સોળમી સદીમાં ભારતનું કયું શહેર મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું?
A. ભરૂચ
B. કંડલા
C. ખંભાત
D. સુરત
ઉત્તર:
D. સુરત

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 126.
સોળમી સદીમાં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા?
A. સુરત
B. કોચી
C. ખંભાત
D. ભરૂચ
ઉત્તર:
A. સુરત

પ્રશ્ન 127.
સોળમી સદીમાં ક્યા કાપડની વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો?
A. સુતરાઉ
B. રેશમી
C. જરીભરત
D. મસલિન
ઉત્તર:
C. જરીભરત

પ્રશ્ન 128.
સોળમી સદીમાં નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું?
A. ભરૂચ
B. સુરત
C. ખંભાત
D. ગોવા
ઉત્તર:
B. સુરત

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. સ્થાપત્ય માટે ‘…………………………’ શબ્દ પણ વપરાય છે.
ઉત્તર:
શિલ્પશાસ્ત્ર

2. સ્થાપત્યનો સરળ અર્થ ……………………. એવો થાય છે.
ઉત્તર:
બાંધકામ

૩. સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને ‘…………………….’ કહેવાય છે.
ઉત્તર:
સ્થપતિ

4. ભારતમાં ઈ. સ. 700થી ઈ. સ. 1200 સુધી …………………………… હતો.
ઉત્તર:
રાજપૂતયુગ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

5. રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતમાં મંદિરના બાંધકામ માટે ………………………… શેલી પ્રચલિત હતી.
ઉત્તર:
નાગર

6. દિલ્લી સલ્તનતના સમય દરમિયાન ભારતમાં સ્થાપત્યો માટે શરૂઆતમાં …………………………….. શૈલીનો ઉપયોગ થતો હતો.
ઉત્તર:
આરબ

7. કોણાર્કનું ………………………. અને કર્ણાટકનું ……………………… મંદિર 13મી સદીનાં વિશિષ્ટ બાંધકામો છે.
ઉત્તર:
સૂર્યમંદિર, હૌશલેશ્વર

8. કોણાર્કનું સૂર્યમંદિર ………………………. રાજ્યમાં આવેલું છે.
ઉત્તર:
ઓડિશા

9. કોણાર્કનું સૂર્યમંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના ……………………. ના સમયમાં થયું હતું.
ઉત્તર:
નરસિંહવર્મન પ્રથમ

10. કોણાર્કના સૂર્યમંદિરને ‘…………………………..’ તરીકે પણ ઓળખવામાં
આવે છે.
ઉત્તર:
કાળા પેગોડા

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

11. ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો એ …………………… ભારતનાં મંદિરોના બાંધકામની લાક્ષણિકતા છે.
ઉત્તર:
ઉત્તર

12. દક્ષિણ ભારતમાં શંકુ આકારનાં ………………………… શિખરોવાળાં મંદિરો બંધાયાં હતાં.
ઉત્તર:
અણીદાર

13. રાજરાજેશ્વર મંદિર …………………… માં આવેલું છે.
ઉત્તર:
તાંજોર

14 13મી સદીનાં મંદિરોમાં ……………………….. ના મંદિરને એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણવામાં આવતું હતું.
ઉત્તર:
રાજરાજેશ્વર

15. ……………………….. નો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે.
ઉત્તર:
હુમાયુ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

16. શેરશાહનો …………………….. નો મકબરો એ મુઘલ સ્થાપત્યકલાનું અગત્યનું સ્થાપત્ય છે.
ઉત્તર:
સસારામ

17. મુઘલ બાદશાહ …………………………… એ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તર:
શાહજહાં

18. તાજમહાલ ……………………… શહેરમાં …………………… નદીના કિનારે આવેલો છે.
ઉત્તર:
આગરા, યમુના

19. શાહજહાંએ તાજમહાલનું નિર્માણ પોતાની બેગમ ……………………….. ની યાદમાં કરાવ્યું હતું.
ઉત્તર:
મુમતાજમહલ

20. …………………….. ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવાન્વિત કરે છે.
ઉત્તર:
તાજમહાલ

21. …………………….. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે.
ઉત્તર:
તાજમહાલ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

22. શાહજહાંએ લાલ કિલ્લામાં ……………………… બનાવડાવ્યું હતું.
ઉત્તર:
મયૂરાસન

23. દર વર્ષે …………………… ના દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
ઉત્તર:
15 ઑગસ્ટ

24. અમૃતસરમાં આવેલું ……………………… શીખ સંપ્રદાયનું ઐક્તમ સ્થાપત્ય છે.
ઉત્તર:
સુવર્ણમંદિર

25. 11મી સદીમાં ભીમદેવ સોલંકીએ …………………….. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
ઉત્તર:
સોમનાથ

26. ગુજરાતમાં સોમનાથ મંદિર ……………………… આવેલું છે.
ઉત્તર:
ગીર સોમનાથ

27. ગુજરાતમાં ……………………………. મંદિર પ્રભાસપાટણમાં આવેલું છે.
ઉત્તર:
સોમનાથ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

28. નવા સોમનાથ મંદિરનું નિર્માણ ઈ. સ. ……………………….. માં થયેલું છે.
ઉત્તર:
1951

29. ભારતમાં અત્યંત પવિત્ર એવાં કુલ ……………………… જ્યોતિર્લિંગો છે.
ઉત્તર:
12

30. ………………… મંદિર એ ભારતમાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
ઉત્તર:
સોમનાથ

31. ………………….. નો કિલ્લો જૂનાગઢ શહેરમાં આવેલો છે.
ઉત્તર:
ઉપરકોટ

32. ઉપરકોટનું મૂળ નામ ……………………….. હતું.
ઉત્તર:
ગિરિદુર્ગ

33. …………………….. જૂનાગઢમાં અડી-કડીની વાવ અને નવઘણ કૂવો બંધાવ્યાં હતાં.
ઉત્તર:
રા’ખેંગારે

34. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાત રાજ્યના …………………….. જિલ્લામાં આવેલું છે.
ઉત્તર:
મહેસાણા

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

35. મોઢેરાનું સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી યુગના રાજવી ……………………… કરાવ્યું હતું.
ઉત્તર:
ભીમદેવ પ્રથમ

36. મોઢેરાનું સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર ……………………. દિશામાં છે.
ઉત્તર:
પૂર્વ

37. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની ……………………. વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે.
ઉત્તર:
12

38. મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાનાંનાનાં કુલ ……………………….. જેટલાં મંદિરો આવેલાં છે.
ઉત્તર:
108

39. ……………………… વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે.
ઉત્તર:
રાણીની

40. રાણીની વાવ ભીમદેવ પહેલાનાં રાણી ……………………… એ બંધાવી હતી.
ઉત્તર:
ઉદયમતિ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

41. ……………………. વાવ એ વિશ્વપ્રસિદ્ધ વાવનો નમૂનો છે.
ઉત્તર:
રાણીની

42. …………………. એ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
ઉત્તર:
યુનેસ્કો

43. રુદ્રમહાલય ગુજરાતના ………………….. શહેરમાં આવેલું છે.
ઉત્તર:
સિદ્ધપુર

44. સિદ્ધપુરનો રુદ્રમહાલય સોલંકી રાજા ……………………… બંધાવ્યો હતો.
ઉત્તર:
સિદ્ધરાજ જયસિંહે

45. …………………. તળાવ પાટણમાં આવેલું છે.
ઉત્તર:
સહસ્ત્રલિંગ

46. સોલંકી રાજા ………………………… પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ : બંધાવ્યું હતું.
ઉત્તર:
સિદ્ધરાજ જયસિંહે

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

47. ગુજરાતનું પ્રસિદ્ધ ……………………… વડનગરમાં આવેલું છે.
ઉત્તર:
કીર્તિતોરણ

48. ગુજરાતના ………………………. શહેરમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ આવેલાં છે.
ઉત્તર:
વડનગર

49. ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ……………………….. રાજધાનીનું શહેર હતું.
ઉત્તર:
અમદાવાદ

50. સુલતાન ………………………… ઈ. સ. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી.
ઉત્તર:
અહમદશાહે

51. ગુજરાતમાં અમદાવાદની નજીક અડાલજમાં રાણી ……………………….. ની વાવ આવેલી છે.
ઉત્તર:
રૂડાદેવી

52. અમદાવાદનાં વિશિષ્ટ સ્થાપત્યોમાં …………………………….. જાળી વિશ્વવિખ્યાત છે.
ઉત્તર:
સીદી સૈયદની

53. ………………….. જાળીને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે.
ઉત્તર:
સીદી સૈયદની

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

54. ………………….. નામના જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિરો બનાવડાવ્યાં હતાં.
ઉત્તર:
પાદલિપ્તસૂરિ

55. ગુજરાતમાં પાલિતાણાના ……………………….. ડુંગર પર જૈનમંદિરો આવેલાં છે.
ઉત્તર:
શત્રુંજય

56. ગુજરાતમાં ……………………………. જૈનોનું મહાન તીર્થધામ છે.
ઉત્તર:
પાલિતાણા

57. …………………… એ ગુજરાતનું એક વિશિષ્ટ સ્થાપત્ય છે.
ઉત્તર:
પાળિયા

58. ……………………. સાથે કોઈ વીર યોદ્ધાની ગાથા જોડાયેલી હોય છે.
ઉત્તર:
પાળિયા

59. પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે કરવામાં આવે છે.
ઉત્તર:
પૂજા-અર્ચના

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

60. ગુજરાતમાં જામનગર પાસે આવેલો ભૂચર મોરીનો ……………………. નો પાળિયો અને સોમનાથ મંદિર પાસે આવેલો ……………………. નો પાળિયો પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણો છે.
ઉત્તર:
સૂરજ કુંવરબા, હમીરજી ગોહિલ

61. ભારતમાં મુઘલ બાદશાહ ………………………… ના સમયથી ચિત્રકલાનો વિકાસ થયેલો છે.
ઉત્તર:
બાબર

62. મુઘલ શાસન દરમિયાન ચિત્રકલા ઉપર ……………………… અને ……………………… નામના વિશિષ્ટ ગ્રંથો રચાયા હતા.
ઉત્તર:
ગુલશન ચિત્રાવલિ, હસ્ત્રનામા

63. મુઘલ શાસન દરમિયાન ……………………….. નામના ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તર:
આકારિઝા

64. ભારતમાં દિલ્લી સલ્તનતના સમયમાં …………………….. સંગીતનો . પ્રારંભ થયો હતો.
ઉત્તર:
ઈસ્લામિક સૂફી

65. ……………………… એ કવાલીની શોધ કરી હતી.
ઉત્તર:
અમીર ખુશરો

66. અમીર ખુશરોએ ધ્રુપદને બદલે ……………………….. પદ્ધતિ દાખલ કરી હતી.
ઉત્તર:
ખયાલ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

67. દેવગિરિના પંડિત સારંગદેવે ‘………………………….’ નામનો સંગીતનો ગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
સંગીત રત્નાકર

68. ગુજરાતમાં પંડિત હરિપાલ દેવે ‘………………………..’ નામનો સંગીતનો ગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
સંગીત સુધાકર

69. અકબરના સમયમાં ……………………….. શાસ્ત્રીય સંગીતના સૌથી મહાન કલાકાર હતા.
ઉત્તર:
તાનસેન

70. હેમચંદ્રાચાર્યે ‘……………………..’ નામનો ગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
સિદ્ધહેમશબ્દાનુશાસન

71. કવિ જયદેવે ‘……………………….’ નામનો ગ્રંથ રચ્યો હતો.
ઉત્તર:
ગીતગોવિંદમ્

72. ‘હિતોપદેશ’ નામનો ગ્રંથ ……………………. લખ્યો હતો.
ઉત્તર:
નારાયણે

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

73. ‘સિદ્ધાંત શિરોમણિ’ અને ‘લીલાવતી’ નામના ગ્રંથો ………………………… લખ્યા હતા.
ઉત્તર:
ભાસ્કરાચાર્યે

74. ‘પૃથ્વીરાજરાસો’ નામનો (ઐતિહાસિક) ગ્રંથ ………………………… લખ્યો હતો.
ઉત્તર:
ચંદબરદાઈએ

75. ……………………… ‘તુઘલખનામા’ અને ‘તારીખ-એ-દિલ્લી’ નામના ગ્રંથોના રચયિતા છે.
ઉત્તર:
અમીર ખુશરો

76. ‘કિતાબ-એ હિન્દ-રહેલા’ નામના ગ્રંથના રચયિતા ……………………….. છે.
ઉત્તર:
ઇબ્નબતુતા

77. ‘કાન્હડદે પ્રબંધ’ નામના ગ્રંથના રચયિતા ……………………… છે.
ઉત્તર:
પદ્મનાભ

78. ‘પદ્માવત’ નામના ગ્રંથના રચયિતા ………………………. છે.
ઉત્તર:
મહંમદ જાયસી

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

79. ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય ……………………. ને ફાળે જાય છે.
ઉત્તર:
અસાઈત ઠાકર

80. ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે રાસ રમે છે તેને ……………………… કહેવામાં આવે છે.
ઉત્તર:
હુડો

81. …………………….. ના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ-વિદેશના લોકો ગુજરાતમાં આવે છે.
ઉત્તર:
તરણેતર

82. ગરબી ઉપરથી ઊતરી આવેલ …………………………. શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે.
ઉત્તર:
ગરબો

83. ગુજરાતમાં કવિ ……………………… ના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો છે.
ઉત્તર:
દયારામ

84. કચ્છના બની અને ખદિર વિસ્તારની કચ્છી સ્ત્રીઓ ……………………………. ની હસ્તકલામાં નિપુણ છે.
ઉત્તર:
ભરતગૂંથણ

85. અગિયારમી-બારમી સદીથી પાટણનાં ………………………… વિશ્વવિખ્યાત થયાં છે.
ઉત્તર:
પટોળાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

86. ભારતનું ………………………….. શહેર શહેરીકરણનું ચરમબિંદુ છે.
ઉત્તર:
દિલ્લી

87. જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન ………………………. રાજધાની અને વેપાર-વાણિજ્યનું મોટું મથક હતું.
ઉત્તર:
દિલ્લી

88. શીખધર્મને કારણે …………………… અગત્યનું શહેર બન્યું હતું.
ઉત્તર:
અમૃતસર

89. દક્ષિણ ભારતમાં ……………………. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું સમૃદ્ધ શહેર હતું.
ઉત્તર:
દેવગિરિ (દોલતાબાદ)

90. ……………………… શહેર વિજયનગરની રાજધાની હતું
ઉત્તર:
હમ્પી

91. ……………………… શહેર જરીભરત કાપડના વેપારનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર હતું.
ઉત્તર:
સુરત

92. અંગ્રેજ શાસન દરમિયાન સુરત એક ………………………. બંદર હતું.
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

1. મૌર્યયુગ દરમિયાન સ્તૂપો અને સ્તંભલેખોનું નિર્માણ થયું હતું.
ઉત્તર:
ખરું

2. ગુપ્ત સમય દરમિયાન ગાંધાર અને મથુરાશૈલીમાં સ્તૂપોનું નિર્માણ થયું હતું.
ઉત્તર:
ખોટું

૩. સ્થાપત્ય માટે ‘શિલ્પશાસ્ત્ર’ શબ્દ પણ વપરાય છે.
ઉત્તર:
ખરું

4. સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને ‘સ્થપતિ’ કહે છે.
ઉત્તર:
ખરું

5. રાજપૂતયુગીન દક્ષિણ ભારતમાં મંદિરોનું નિર્માણ નાગરશૈલીમાં થયું હતું.
ઉત્તર:
ખોટું

6. ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ મહેમદાવાદમાં આવેલાં છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

7. કુંભલગઢનો દુર્ગ રાણા સાંગાએ બંધાવ્યો હતો.
ઉત્તર:
ખોટું

8. હૌશલેશ્વર મંદિર મધ્ય પ્રદેશમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

9. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં આવેલું છે.
ઉત્તર:
ખરું

10. કોણાર્કના સૂર્યમંદિરને ‘કાળા પેગોડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

11. ઉત્તર ભારતમાં ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર) એ મંદિરોની વિશેષતા છે.
ઉત્તર:
ખોટું

12. રાજરાજેશ્વરનું મંદિર તાંજોરમાં આવેલું છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

13. તાંજોરનું હોશલેશ્વર મંદિર એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું.
ઉત્તર:
ખોટું

14. હુમાયુનો રોજો એ મુઘલ સ્થાપત્યનો વિશેષ નમૂનો છે.
ઉત્તર:
ખોટું

15. મુઘલ શાસનના સમયનો નિશાંતબાગ કશ્મીરમાં આવેલો છે.
ઉત્તર:
ખરું

16. મુઘલ શાસનના સમયનો શાલીમાર બાગ દિલ્લીમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું

17. મુઘલ શાસનના સમયનો આરામબાગ આગરામાં આવેલો છે.
ઉત્તર:
ખરું

18. તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

19. તાજમહાલ આગરામાં ગંગા નદીના કિનારે આવેલો છે.
ઉત્તર:
ખોટું

20. શાહજહાંએ આગરામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.
ઉત્તર:
ખોટું

21. શાહજહાંએ લાલ કિલ્લામાં કલાત્મક મયૂરાસન બંધાવ્યું હતું.
ઉત્તર:
ખરું

22. દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

23. શીખ સમુદાયનું સુવર્ણમંદિર અમૃતસરમાં આવેલું છે.
ઉત્તર:
ખરું

24. મોઢેરાનું સૂર્યમંદિર સોલંકીવંશના રાજવી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

25. નવા સોમનાથ મંદિરનું નિર્માણ ઈ. સ. 1958માં થયું હતું.
ઉત્તર:
ખોટું

26. સોમનાથ મંદિર એ ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
ઉત્તર:
ખરું

27. ઉપરકોટનો કિલ્લો વેરાવળ શહેરમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું

28. અડી-કડી વાવ અને નવઘણ કૂવો રા’ખેંગારે બંધાવ્યો હતો.
ઉત્તર:
ખરું

29. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

30. મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

31. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ છે.
ઉત્તર:
ખરું

32. પાટણમાં આવેલી રાણીની વાવને રાણી ભાનુમતિએ બંધાવી હતી.
ઉત્તર:
ખોટું

33. રાણીની વાવ સાત માળની છે.
ઉત્તર:
ખરું

34. યુનિસેફે રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.
ઉત્તર:
ખોટું

35. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરનો રુદ્રમહાલય બંધાવ્યો હતો.
ઉત્તર:
ખરું

36. હાલમાં બે માળનો રુદ્રમહાલય હયાત છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

37. મીનળદેવી સિદ્ધરાજ જયસિંહનાં માતા હતાં.
ઉત્તર:
ખરું

38. સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
ઉત્તર:
ખરું

39. વડનગરમાં કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળો છે.
ઉત્તર:
ખરું

40. સુલતાન અહમદશાહે ઈ. સ. 1411માં અમદાવાદ વસાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું

41. અમદાવાદના ભદ્રકાળીના કિલ્લાને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સામેલ કર્યો છે.
ઉત્તર:
ખરું

42. અમદાવાદ નજીક આવેલ અડાલજની રાણી માયાદેવીની વાવ એક પ્રસિદ્ધ સ્થાપત્ય છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

43. સીદી સૈયદની જાળીને અત્યંત બારીક કોતરણી લાકડામાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે.
ઉત્તર:
ખોટું

44. અમદાવાદની સીદી બશીરની જાળી વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો છે.
ઉત્તર:
ખોટું

45. ગુજરાતમાં પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિરો આવેલાં છે.
ઉત્તર:
ખરું

46. ગુજરાતમાં પાલિતાણા જૈનોનું મહાન તીર્થધામ છે.
ઉત્તર:
ખરું

47. પાળિયાની સાથે વીર યોદ્ધાની ગાથા જોડાયેલી હોય છે.
ઉત્તર:
ખરું

48. ગુજરાતમાં જામનગર પાસે હમીરજી ગોહિલનો પાળિયો
આવેલો છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

49. ભારતમાં મુઘલ બાદશાહ હુમાયુથી ચિત્રકલાનો વિકાસ થયેલો છે.
ઉત્તર:
ખોટું

50. આકારિઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તર:
ખરું

51. દિલ્લી સલ્તનતના સમયમાં ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ હતી.
ઉત્તર:
ખરું

52. મહાન સાહિત્યકાર અમીર ખુશરોએ કવાલીની શોધ કરી હતી.
ઉત્તર:
ખરું

53. દેવગિરિ(દોલતાબાદ)ના પંડિત સારંગદેવે ‘સંગીત સુધાકર’ નામનો સંગીતગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
ખોટું

54. ગુજરાતમાં પંડિત હરિપાલ દેવે ‘સંગીત રત્નાકર’ નામનો સંગીતગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

55. તાનસેન શાસ્ત્રીય ગાન (સંગીત) સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા.
ઉત્તર:
ખરું

56. ભાસ્કરાચાર્ય ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથના રચયિતા છે.
ઉત્તર:
ખોટું

57. કવિ જયદેવ ‘ગીતગોવિંદમ્’ ગ્રંથના રચયિતા છે.
ઉત્તર:
ખરું

58. ચંદબરદાઈએ ‘પૃથ્વીરાજરાસો’ નામનો ગ્રંથ લખ્યો હતો.
ઉત્તર:
ખરું

59. ઇબ્નબતુતાએ ‘તુઘલખનામા’ અને ‘તારીખ-એ-દિલ્લી’ નામના ગ્રંથ લખ્યા હતા.
ઉત્તર:
ખોટું

60. ઇબ્નબતુતા કિતાબ-એ હિન્દ-રહેલા ગ્રંથના રચયિતા છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

61. પદ્માવત ‘કાન્હડદે પ્રબંધ’ ગ્રંથના રચયિતા છે.
ઉત્તર:
ખોટું

62. પદ્મનાભ ‘મહંમદ જાયસી’ ગ્રંથના રચયિતા છે.
ઉત્તર:
ખોટું

63. ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય અસાઈત નાયકને ફાળે જાય છે.
ઉત્તર:
ખોટું

64. ‘હુડો’ એ ઝાલાવાડ વિસ્તારના પશુપાલકોનો એક વિશિષ્ટ પ્રકારનો રાસ છે.
ઉત્તર:
ખરું

65. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ-વિદેશના લોકો ગુજરાત આવે છે.
ઉત્તર:
ખરું

66. ગુજરાતમાં ભક્તકવિ નરસિંહ મહેતાના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

67. શાહજહાંએ લાલ કિલ્લો બનાવડાવીને આગરા શહેરને વિશાળ બનાવ્યું હતું.
ઉત્તર:
ખોટું

68. શીખધર્મને કારણે અમૃતસર અગત્યનું શહેરી કેન્દ્ર બન્યું હતું.
ઉત્તર:
ખરું

69. દક્ષિણ ભારતમાં દેવગિરિ (દોલતાબાદ) ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું.
ઉત્તર:
ખરું

70. હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે.
ઉત્તર:
ખરું

71. સોળમી સદીમાં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા.
ઉત્તર:
ખરું

72. સોળમી સદીમાં સુતરાઉ કાપડની વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

બંધબેસતાં જોડકાં જોડો:

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) જામા મસ્જિદ (1) તાંજોર
(2) વિજયસ્તંભ (2) મોઢેરા
(3) સૂર્યમંદિર (3) કર્ણાટક
(4) હોશલેશ્વર મંદિર (4) ચિતોડ
(5) અમદાવાદ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) જામા મસ્જિદ (5) અમદાવાદ
(2) વિજયસ્તંભ (4) ચિતોડ
(3) સૂર્યમંદિર (2) મોઢેરા
(4) હોશલેશ્વર મંદિર (3) કર્ણાટક

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) કોણાર્કનું સૂર્યમંદિર (1) મંદિરનું પ્રવેશદ્વાર
(2) ગોપુરમ્ (2) મંદિરની પ્રદક્ષિણાપથ
(3) રાજરાજેશ્વર મંદિર (3) પ્રભાસપાટણ
(4) સોમનાથ મંદિર (4) કાળા પેગોડા
(5) તાંજોર

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) કોણાર્કનું સૂર્યમંદિર (4) કાળા પેગોડા
(2) ગોપુરમ્ (1) મંદિરનું પ્રવેશદ્વાર
(3) રાજરાજેશ્વર મંદિર (5) તાંજોર
(4) સોમનાથ મંદિર (3) પ્રભાસપાટણ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) નિશાંતબાગ (1) દિલ્લી
(2) શાલીમાર બાગ (2) હમ્પી
(3) આરામબાગ (3) કશ્મીર
(4) વિજયનગરની રાજધાની (4) લાહોર
(5) આગરા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) નિશાંતબાગ (3) કશ્મીર
(2) શાલીમાર બાગ (4) લાહોર
(3) આરામબાગ (5) આગરા
(4) વિજયનગરની રાજધાની (2) હમ્પી

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) તાજમહાલ (1) દિલ્લી
(2) લાલ કિલ્લો (2) આગરા
(3) ઉપરકોટનો કિલ્લો (3) વીરમગામ
(4) સૂર્યમંદિર (4) જૂનાગઢ
(5) કોણાર્ક

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) તાજમહાલ (2) આગરા
(2) લાલ કિલ્લો (1) દિલ્લી
(3) ઉપરકોટનો કિલ્લો (4) જૂનાગઢ
(4) સૂર્યમંદિર (5) કોણાર્ક

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાણીની વાવ (1) ધોળકા
(2) રુદ્રમહાલય (2) વડનગર
(3) મલાવ તળાવ (3) સિદ્ધપુર
(4) મુનસર તળાવ (4) પાટણ
(5) વીરમગામ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાણીની વાવ (4) પાટણ
(2) રુદ્રમહાલય (3) સિદ્ધપુર
(3) મલાવ તળાવ (1) ધોળકા
(4) મુનસર તળાવ (5) વીરમગામ

6.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સહસ્ત્રલિંગ તળાવ (1) અમદાવાદ
(2) કીર્તિસ્તંભ (2) ચાંપાનેર
(3) ભદ્રકાળીનો કિલ્લો (૩) કુંભલગઢ
(4) જામી મસ્જિદ (4) ચિતોડ
(5) પાટણ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સહસ્ત્રલિંગ તળાવ (5) પાટણ
(2) કીર્તિસ્તંભ (4) ચિતોડ
(3) ભદ્રકાળીનો કિલ્લો (1) અમદાવાદ
(4) જામી મસ્જિદ (2) ચાંપાનેર

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

7.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાણી રૂડાદેવીની વાવ (1) અમદાવાદ
(2) સીદી સૈયદની જાળી (2) સોમનાથ મંદિર
(3) જૈનમંદિરો (3) અડાલજ
(4) હમીરજી ગોહિલનો પાળિયો (4) સરખેજ
(5) પાલિતાણા

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) રાણી રૂડાદેવીની વાવ (3) અડાલજ
(2) સીદી સૈયદની જાળી (1) અમદાવાદ
(3) જૈનમંદિરો (5) પાલિતાણા
(4) હમીરજી ગોહિલનો પાળિયો (2) સોમનાથ મંદિર

8.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) પંડિત સારંગદેવ (1) હિતોપદેશ
(2) પંડિત હરિપાલ દેવ (2) ગીતગોવિંદમ્
(3) જયદેવ (3) સંગીત પારિજાત
(4) નારાયણ (4) સંગીત સુધાકર
(5) સંગીત રત્નાકર

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) પંડિત સારંગદેવ (5) સંગીત રત્નાકર
(2) પંડિત હરિપાલ દેવ (4) સંગીત સુધાકર
(3) જયદેવ (2) ગીતગોવિંદમ્
(4) નારાયણ (1) હિતોપદેશ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

9.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સિદ્ધાંત શિરોમણિ (1) મહંમદ જાયસી
(2) તુઘલખનામા (2) ચંદબરદાઈ
(3) કાન્હડદે પ્રબંધ (3) અમીર ખુશરો
(4) પૃથ્વીરાજરાસો (4) ભાસ્કરાચાર્ય
(5) પદ્મનાભ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) સિદ્ધાંત શિરોમણિ (4) ભાસ્કરાચાર્ય
(2) તુઘલખનામા (3) અમીર ખુશરો
(3) કાન્હડદે પ્રબંધ (5) પદ્મનાભ
(4) પૃથ્વીરાજરાસો (2) ચંદબરદાઈ

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
ભારત શાને લીધે વિશ્વમાં પ્રસિદ્ધ છે?
ઉત્તર:
ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વમાં પ્રસિદ્ધ છે.

પ્રશ્ન 2.
મૌર્યયુગ અને અનુમૌર્યયુગ દરમિયાન કયાં કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? ?
ઉત્તર:
મૌર્યયુગ દરમિયાન સ્તૂપો અને સ્તંભલેખોનું તથા અનુમૌર્યયુગ દરમિયાન ગાંધાર અને મથુરાશેલીમાં સ્તૂપોનું નિર્માણ { થયું હતું.

પ્રશ્ન 3.
દિલ્લી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન કયાં કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
ઉત્તર:
દિલ્લી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુખ્યત્વે વાવો, તળાવો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, રોજાઓ વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.

પ્રશ્ન 4.
શિલ્પકલા એટલે શું?
ઉત્તરઃ
શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા.

પ્રશ્ન 5.
સ્થાપત્ય માટે કયો શબ્દ પણ વપરાય છે?
ઉત્તરઃ
‘સ્થાપત્ય’ માટે ‘શિલ્પશાસ્ત્ર’ શબ્દ પણ વપરાય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 6.
કયાં કયાં બાંધકામને સ્થાપત્ય કહે છે?
ઉત્તરઃ
મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, – મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ, તળાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય’ કહે છે.

પ્રશ્ન 7.
‘સ્થપતિ’ કોને કહે છે?
ઉત્તરઃ
સ્થાપત્યકલામાં નિપુણ (નિષ્ણાત) વ્યક્તિને ‘સ્થપતિ’ કહે છે.

પ્રશ્ન 8.
રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતમાં મંદિરની ? કઈ શૈલી પ્રચલિત થઈ હતી? એ શૈલીનાં મંદિરોમાં કયાં કયાં મંદિરોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતમાં મંદિરની નાગરશૈલી પ્રચલિત થઈ હતી. એ શૈલીનાં મંદિરોમાં ખજૂરાહોનાં મંદિરોનો, પુરીના લિંગરાજ મંદિરનો અને સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 9.
સ્થાપત્યની આરબશૈલીનાં મુખ્ય સ્થાપત્યો કયાં કયાં છે?
ઉત્તરઃ
મસ્જિદ, મકબરા અને રોજા એ સ્થાપત્યની આરબ- શૈલીનાં મુખ્ય સ્થાપત્યો છે.

પ્રશ્ન 10.
દિલ્લી સ્થાપત્યોના મુખ્ય સ્થાપત્યો કયાં કયાં છે?
ઉત્તર:
જામા મસ્જિદ, કુતુબમિનાર, હોજ-એ-ખાસ, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો વગેરે દિલ્લી સ્થાપત્યોનાં મુખ્ય સ્થાપત્યો છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 11.
ગુજરાત અને બંગાળના મુસ્લિમ શાસકોએ બનાવેલાં અગત્યનાં સ્થાપત્યો કયાં ક્યાં છે?
ઉત્તરઃ
અમદાવાદનો ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ એ ગુજરાતના તથા સોના મસ્જિદ એ બંગાળના મુસ્લિમ શાસકોએ બનાવેલાં અગત્યનાં સ્થાપત્યો છે.

પ્રશ્ન 12.
દિલ્લી સલ્તનતના સમયનાં અગત્યનાં હિંદુ સ્થાપત્યો કયાં કયાં છે?
ઉત્તરઃ
રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિતોડનો કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ એ દિલ્લી સલ્તનતના સમયનાં અગત્યનાં હિંદુ સ્થાપત્યો છે.

પ્રશ્ન 13.
13મી સદીનાં સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યો ક્યાં કયાં છે?
ઉત્તરઃ
ઓડિશા રાજ્યમાં આવેલું કોણાર્કનું સૂર્યમંદિર અને કર્ણાટક રાજ્યમાં આવેલું હૌશલેશ્વરનું મંદિર એ 13મી સદીનાં સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યો છે.

પ્રશ્ન 14.
કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે?
ઉત્તરઃ
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળાના અખાત પાસે આવેલું છે.

પ્રશ્ન 15.
કોણાર્કનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
કોણાર્કનું સૂર્યમંદિર 13મી સદીમાં થઈ ગયેલા ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં બાંધવામાં આવ્યું હતું.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 16.
કોણાર્કનું સૂર્યમંદિર કેવું છે?
ઉત્તરઃ
કોણાર્કનું સૂર્યમંદિર – રથમંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું છે. તેને 12 મોટાં પૈડાં છે.

પ્રશ્ન 17.
કોણાર્કના સૂર્યમંદિરને ‘કાળા પેગોડા’ શા માટે કહેવામાં આવે છે?
ઉત્તરઃ
કોણાર્કનું સૂર્યમંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું રે છે. આથી કોણાર્કના સૂર્યમંદિરને કાળા પેગોડા’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 18.
ઉત્તર ભારતનાં અને દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
ઉત્તર:
ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેનાં ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે; જ્યારે દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેનાં શંકુ આકારનાં અણીદાર શિખરો તેમજ ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર) છે.

પ્રશ્ન 19.
મંદિરની રચનામાં શું શું હોય છે?
ઉત્તર:
મંદિરની રચનામાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગારચોકી કે મુખમંડપ, પ્રદક્ષિણાપથ વગેરે હોય છે.

પ્રશ્ન 20.
13મી સદીના સમયગાળામાં કયાં મંદિરોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
13મી સદીના સમયગાળામાં પલ્લવવંશ દરમિયાન બંધાયેલાં રથમંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 21.
કયું મંદિર 13મી સદીના સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું?
ઉત્તર:
તાંજોરનું રાજરાજેશ્વર મંદિર 13મી સદીના સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું.

પ્રશ્ન 22.
મુઘલ સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો કયો છે?
ઉત્તરઃ
હુમાયુનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે.

પ્રશ્ન 23.
મુઘલ શાસન દરમિયાન કયા કયા નોંધપાત્ર બાગબગીચા બનાવવામાં આવ્યા હતા?
ઉત્તર:
મુઘલ શાસન દરમિયાન કશ્મીરમાં નિશાંતબાગ, લાહોરમાં શાલીમાર બાગ, આગરામાં આરામબાગ વગેરે નોંધપાત્ર બાગ-બગીચા બનાવવામાં આવ્યા હતા.

પ્રશ્ન 24.
મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર કયું છે?
ઉત્તરઃ
મુઘલ બાદશાહ શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહાલ એ મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર છે.

પ્રશ્ન 25.
તાજમહાલ કોણે, કોની યાદમાં બંધાવ્યો હતો?
ઉત્તરઃ
તાજમહાલ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં બંધાવ્યો હતો.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 26.
મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?
ઉત્તર:
મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં યમુના નદીના કિનારે બંધાવ્યો હતો.

પ્રશ્ન 27.
દિલ્લીમાં લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો?
ઉત્તર:
દિલ્લીમાં લાલ કિલ્લો મુઘલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો.

પ્રશ્ન 28.
શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી?
ઉત્તર:
શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું. એ નગરમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહેલ વગેરે ઇમારતો બંધાવી હતી.

પ્રશ્ન 29.
શાહજહાંએ પોતાને બેસવા માટે લાલ કિલ્લામાં શું બનાવડાવ્યું હતું?
ઉત્તરઃ
શાહજહાંએ પોતાને બેસવા માટે લાલ કિલ્લામાં (દીવાન-એ-ખાસમાં) કીમતી પથ્થરોનો ઉપયોગ કરીને સોનારત્નજડિત કલાત્મક મયૂરાસન બનાવડાવ્યું હતું.

પ્રશ્ન 30.
લાલ કિલ્લા પરથી ક્યારે ધ્વજવંદન કરવામાં આવે છે?
ઉત્તર:
દર વર્ષે 15 ઑગસ્ટના રોજ (સ્વાતંત્ર્યદિને) લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. (આ દિવસે ભારતના માનનીય વડા પ્રધાનશ્રી ધ્વજવંદન કરાવે છે અને પ્રવચન કરે છે.).

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 31.
અમૃતસરમાં શીખ સંપ્રદાયનું કયું શ્રેષ્ઠતમ સ્થાપત્ય આવેલું છે?
ઉત્તરઃ
સુવર્ણમંદિર એ અમૃતસરમાં આવેલું શીખધર્મનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે.

પ્રશ્ન 32.
ગુજરાતમાં સોલંકીકાલીન સ્થાપત્યોમાં કયાં બે ઉચ્ચ કોટિનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં સોલંકીકાલીન સ્થાપત્યોમાં 11મી સદીમાં રાજા ભીમદેવ પ્રથમે કરેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર એ બે ઉચ્ચ કોટિનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 33.
ગુજરાતમાં સોમનાથ મંદિર ક્યાં આવેલું છે?
ઉત્તર:
ગુજરાતમાં સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસપાટણમાં આવેલું છે.

પ્રશ્ન 34.
સોમનાથ કયા પંથનું કેવું કેન્દ્ર હતું?
ઉત્તર:
સોમનાથ હિન્દુધર્મના શૈવપંથનું એક અગત્યનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું.

પ્રશ્ન 35.
સોમનાથના નવા મંદિરનું નિર્માણ છેલ્લે ક્યારે થયું હતું?
ઉત્તરઃ
સોમનાથના નવા મંદિરનું નિર્માણ છેલ્લે ઈ. સ. 1951માં થયું હતું.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 36.
ભારતમાં કેટલાં જ્યોતિર્લિંગો આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગો આવેલાં છે.

પ્રશ્ન 37.
ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? ઉપરકોટનું મૂળ નામ શું હતું?
ઉત્તરઃ
ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ શહેરમાં આવેલો છે. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું.

પ્રશ્ન 38.
રા’ખેંગારે ઉપરકોટના કિલ્લામાં કયાં બાંધકામો કરાવ્યાં હતાં? શા માટે?
ઉત્તર:
જૂનાગઢની પ્રજાને પાણીની સુવિધા પૂરી પાડવા માટે રા’ખેંગારે ઉપરકોટના કિલ્લામાં અડી-કડી વાવ અને નવઘણ કૂવો એ બે બાંધકામો કરાવ્યાં હતાં.

પ્રશ્ન 39.
અડી-કડી વાવ અને નવઘણ કૂવા માટે કઈ ઉક્તિ છે?
ઉત્તરઃ
અડી-કડી વાવ અને નવઘણ કૂવા માટે ઉક્તિ છે કે, ‘અડી-કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયા તે જીવતો મૂઓ.’

પ્રશ્ન 40.
મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે? તે કોણે બંધાવ્યું હતું?
ઉત્તરઃ
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. તે પાટણના સોલંકી રાજા ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 41.
મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?
ઉત્તરઃ
મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે.

પ્રશ્ન 42.
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે? આ મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ કેટલાં મંદિરો છે?
ઉત્તર:
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ છે. આ મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાનાં નાનાં કુલ 108 મંદિરો છે.

પ્રશ્ન 43.
રાણીની વાવ ક્યાં આવેલી છે? તે કોણે બંધાવી હતી?
ઉત્તરઃ
રાણીની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણ શહેરમાં આવેલી છે. તે સોલંકી રાજા ભીમદેવ પહેલાનાં રાણી ઉદયમતિએ બંધાવી હતી.

પ્રશ્ન 44.
યુનેસ્કોએ રાણીની વાવને ક્યો દરજ્જો આપ્યો છે?
ઉત્તરઃ
યુનેસ્કોએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે.

પ્રશ્ન 45.
સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?
ઉત્તર:
સિદ્ધપુરનો રુદ્રમહાલય પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 46.
સિદ્ધરાજ જયસિંહે પોતાના મહાલયનું નામ રુદ્ર સાથે શા માટે સાંકળ્યું હતું?
ઉત્તરઃ
સિદ્ધરાજ જયસિંહ પોતે શૈવપંથી હોવાથી તેણે પોતાના મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળ્યું હતું.

પ્રશ્ન 47.
સિદ્ધરાજ જયસિંહે કોના કહેવાથી કયાં કયાં તળાવો બંધાવ્યાં હતાં?
ઉત્તરઃ
સિદ્ધરાજ જયસિંહે પોતાની માતા મીનળદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ એ બે તળાવો બંધાવ્યાં હતાં.

પ્રશ્ન 48.
પાટણમાં કયું તળાવ આવેલું છે? તે કોણે બંધાવ્યું હતું?
ઉત્તર:
પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. તે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું.

પ્રશ્ન 49.
વડનગરમાં કયાં કયાં સ્થાપત્યો આવેલાં છે?
ઉત્તરઃ
વડનગરમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ એ બે સ્થાપત્યો આવેલાં છે.

પ્રશ્ન 50.
અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે, કોણે કરી હતી?
ઉત્તર:
અમદાવાદ શહેરની સ્થાપના ઈ. સ. 1411માં ગુજરાતના સુલતાન અહમદશાહે કરી હતી.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 51.
અમદાવાદનાં મુખ્ય સ્થાપત્યો કયાં કયાં છે?
ઉત્તર:
અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, રાણી સિપ્રીની મસ્જિદ, હોજે કુતુબ – કાંકરિયા તળાવ અને નગીનાવાડી વગેરે અમદાવાદનાં મુખ્ય સ્થાપત્યો છે.

પ્રશ્ન 52.
અમદાવાદના કયા સ્થાપત્યને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં હું સ્થાન મળેલ છે?
ઉત્તરઃ
અમદાવાદના ભદ્રના કિલ્લાને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન મળેલ છે.

પ્રશ્ન 53.
અમદાવાદનું વિશ્વવિખ્યાત સ્થાપત્ય કયું છે?
ઉત્તરઃ
સીદી સૈયદની જાળી એ અમદાવાદનું વિશ્વવિખ્યાત સ્થાપત્ય છે.

પ્રશ્ન 54.
વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો કોને ગણવામાં આવે છે?
ઉત્તર:
સીદી સૈયદની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની રે અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે.

પ્રશ્ન 55.
પાલિતાણા શું છે? તે ક્યાં આવેલું છે?
ઉત્તર:
પાલિતાણા જૈનોનું મોટું તીર્થધામ છે. તે શત્રુંજય ડુંગર પર આવેલું છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 56.
પાલિતાણાના શત્રુંજય ડુંગર પર કોણે જૈનમંદિરો બંધાવ્યાં હતાં?
ઉત્તર:
પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં.

પ્રશ્ન 57.
દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવાં સ્થળો કયાં છે?
ઉત્તરઃ
દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો પાવાપુરી અને પાલિતાણા છે.

પ્રશ્ન 58.
પાળિયા સાથે શું જોડાયેલ હોય છે?
ઉત્તર:
પાળિયા સાથે કોઈ વીર યોદ્ધાની શહાદત ગાથા-વાર્તા જોડાયેલી હોય છે.

પ્રશ્ન 59.
પાળિયો ક્યાં બાંધવામાં આવે છે?
ઉત્તર:
પાળિયો વીર યોદ્ધાના યુદ્ધસ્થળે અથવા તેના અવસાનના સ્થળે બાંધવામાં આવે છે.

પ્રશ્ન 60.
ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં કયા કયા પાળિયાનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસેનો ભૂચર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસેનો હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 61.
મુઘલ શાસન દરમિયાન ચિત્રકલાના કયા ક્યા ગ્રંથો રચાયા હતા?
ઉત્તરઃ
મુઘલ શાસન દરમિયાન ચિત્રકલાના ‘ગુલશન ચિત્રાવલિ’ અને ‘હસ્ત્રનામા’ નામના ગ્રંથો રચાયા હતા.

પ્રશ્ન 62.
કયા ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી?
ઉત્તર:
‘આકારિઝા’ નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી.

પ્રશ્ન 63.
મુઘલ શાસન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં કઈ કઈ ચિત્રશૈલીઓ પ્રચલિત હતી?
ઉત્તરઃ
મુઘલ શાસન દરમિયાન રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલીઓ પ્રચલિત હતી; જ્યારે ગુજરાતમાં તળપદી, સાદી અને કથાપ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ ચિત્રશૈલી પ્રચલિત હતી.

પ્રશ્ન 64.
સલ્તનતકાળમાં ભારતમાં કયા સંગીતની શરૂઆત થઈ?
ઉત્તરઃ
સલ્તનતકાળમાં ભારતમાં ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ.

પ્રશ્ન 65.
ઇસ્લામિક સૂફી સંગીતમાં અમીર ખુશરોની શી ભૂમિકા હતી?
ઉત્તર:
ઇસ્લામિક સૂફી સંગીતમાં અમીર ખુશરોએ કવાલીની શોધ કરી. તેણે ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 66.
દેવગિરિના પંડિત સારંગદેવે અને ગુજરાતના પંડિત હરિપાલ દેવે સંગીતના કયા ગ્રંથો રચ્યા હતા?
ઉત્તરઃ
દેવગિરિના પંડિત સારંગદેવે ‘સંગીત રત્નાકર’ નામનો સંગીતગ્રંથ અને ગુજરાતના પંડિત હરિપાલ દેવે ‘સંગીત સુધાકર’ નામનો સંગીતગ્રંથ લખ્યો હતો.

પ્રશ્ન 67.
તાનસેન કોણ હતો?
ઉત્તરઃ
તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન ક્લાકાર હતો.

પ્રશ્ન 68.
હેમચંદ્રાચાર્યે કયો ગ્રંથ લખ્યો હતો?
ઉત્તર:
હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામનો ગ્રંથ લખ્યો હતો.

પ્રશ્ન 69.
કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો?
ઉત્તર:
કવિ જયદેવે ‘ગીતગોવિંદ’ નામનો ગ્રંથ લખ્યો હતો.

પ્રશ્ન 70
હિતોપદેશના રચયિતા કોણ હતા?
ઉત્તર:
હિતોપદેશના રચયિતા નારાયણ હતા.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 71.
ભાસ્કરાચાર્યે કયા કયા ગ્રંથો લખ્યા હતા?
ઉત્તર:
ભાસ્કરાચાર્યે સિદ્ધાંત શિરોમણિ’ અને ‘લીલાવતી’ નામના ગ્રંથો લખ્યા હતા.

પ્રશ્ન 72.
‘પૃથ્વીરાજરાસો’ ગ્રંથના રચયિતા કોણ હતા?
ઉત્તર:
‘પૃથ્વીરાજરાસો’ ગ્રંથના રચયિતા ચંદબરદાઈ હતા.

પ્રશ્ન 73.
અમીર ખુશરોએ કયા કયા ગ્રંથો લખ્યા હતા?
ઉત્તરઃ
અમીર ખુશરોએ ‘તુઘલખનામા’ અને ‘તારીખે દિલ્લી’ નામના ગ્રંથો લખ્યા હતા.

પ્રશ્ન 74.
ઈબ્નબતુતાએ કયો ગ્રંથ લખ્યો હતો?
ઉત્તર:
ઇબ્નબતુતાએ ‘કિતાબ-એ હિન્દ-રહેલા’ નામનો ગ્રંથ કે લખ્યો હતો.

પ્રશ્ન 75.
પદ્મનાભે કયો ગ્રંથ લખ્યો હતો?
ઉત્તર:
પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધ’ નામનો ગ્રંથ લખ્યો હતો.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 76.
મહંમદ જાયસીએ કયો ગ્રંથ લખ્યો હતો?
ઉત્તરઃ
મહમદ જાયસીએ ‘પદ્માવત’ નામનો ગ્રંથ લખ્યો હતો.

પ્રશ્ન 77.
ગુજરાત શાના માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે?
ઉત્તર:
ગુજરાત તેની લોકસંસ્કૃતિ, લોકનૃત્યો અને ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે.

પ્રશ્ન 78.
ગુજરાતમાં ભવાઈ લેખનનું અને ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે?
ઉત્તર
ગુજરાતમાં ભવાઈ લેખનનું અને ભવાઈ ભજવવાનું શ્રેય અસાઈત ઠાકરને ફાળે જાય છે.

પ્રશ્ન 79.
‘હુડો’ કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને ‘હુડો’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 80.
શું જોવા માટે દેશ-વિદેશના લોકો ગુજરાતમાં આવે છે?
ઉત્તર
તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ-વિદેશના લોકો ગુજરાતમાં આવે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 81.
ગુજરાતમાં ગરબીનો વિકાસ કોના સમયથી થયો છે?
ઉત્તર:
ગુજરાતમાં ભક્તકવિ દયારામના સમયથી ગરબીનો વિકાસ થયો છે.

પ્રશ્ન 82.
ગુજરાતની કલા-કારીગરીની કઈ કઈ બાબતો વિશ્વવિખ્યાત થઈ છે?
ઉત્તર:
ગુજરાતની કલા-કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ; પાટણના પટોળાં; જામનગર અને જેતપુરની બાંધણી; કચ્છના બની અને ખદિર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થતું ભરતગૂંથણ વગેરે બાબતો વિશ્વવિખ્યાત થઈ છે.

પ્રશ્ન 83.
રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં કયાં કયાં શહેરોનો સવિશેષ વિકાસ થયો હતો?
ઉત્તરઃ
રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ભરૂચ, ખંભાત વગેરે શહેરોનો સવિશેષ વિકાસ થયો હતો.

પ્રશ્ન 84.
દિલ્લીનું શહેરીકરણ કેવી રીતે થયું હતું?
ઉત્તર:
મુઘલ બાદશાહો જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્લી રાજધાની અને વેપાર-વાણિજ્યનું મોટું મથક હતું. શાહજહાંએ દિલ્લીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું. આમ, રાજપૂતયુગથી મુઘલકાળ સુધી દિલ્લીનું શહેરીકરણ થયું હતું.

પ્રશ્ન 85.
લાહોર, જોનપુર અને ઢાકાનો શહેરો તરીકે શાથી વિકાસ થયો હતો?
ઉત્તર:
લાહોર, જોનપુર અને ઢાકા વેપારીમાર્ગ પર આવતાં મથકો હોવાથી તેમના શહેરો તરીકે વિકાસ થયો હતો.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 86.
કયા કારણે અમૃતસર શહેરી કેન્દ્ર બન્યું હતું?
ઉત્તરઃ
શીખધર્મને કારણે અમૃતસર શહેરી કેન્દ્ર બન્યું હતું.

પ્રશ્ન 87.
દક્ષિણ ભારતમાં દેવગિરિ (દોલતાબાદ) શાથી સમૃદ્ધ શહેર બન્યું હતું?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં દેવગિરિ (દોલતાબાદ) ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું હોવાથી તે સમૃદ્ધ શહેર બન્યું હતું.

પ્રશ્ન 88.
મરાઠા સામ્રાજ્ય દરમિયાન કયાં કયાં શહેરોનો વિકાસ થયો હતો?
ઉત્તર:
મરાઠા સામ્રાજ્ય દરમિયાન પુણે, સાતારા, ગ્વાલિયર, વડોદરા વગેરે શહેરોનો વિકાસ થયો હતો.

પ્રશ્ન 89.
યુરોપિયન કંપનીઓને કારણે કયાં કયાં મથકોનો શહેરીકેન્દ્રો તરીકે સારો વિકાસ થયો હતો?
ઉત્તર:
યુરોપિયન કંપનીઓને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પુદુચેરી, કોચી, ચંદ્રનગર, સુરત વગેરે મથકોનો શહેરી કેન્દ્રો તરીકે સારો વિકાસ થયો હતો.

પ્રશ્ન 90.
હમ્પી શું હતું? હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પી વિશે શી માહિતી આપી છે?
ઉત્તર:
હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 91.
હમ્પીમાંથી કઈ કઈ ચીજવસ્તુઓ યુરોપ જતી હતી?
ઉત્તર:
હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા વગેરે ચીજવસ્તુઓ યુરોપ જતી હતી.

પ્રશ્ન 92.
હમ્પીમાંથી કેવા સિક્કાઓ મળી આવ્યા હતા? તે શું દર્શાવે છે?
ઉત્તર:
હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા હતા. તે દર્શાવે છે કે, હમ્પી હુન્નરકલાનું અને વેપાર-વાણિજ્યનું મોટું મથક હતું.

પ્રશ્ન 93.
સોળમી સદીમાં કયું શહેર ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું? ત્યાં કયા વિશ્વવિખ્યાત સોદાગરો રહેતા હતા?
ઉત્તરઃ
સોળમી સદીમાં સુરત શહેર ભારતનું મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું. અહીં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત – સોદાગરો રહેતા હતા.

પ્રશ્ન 94.
સત્તરમી સદીમાં સુરત શહેરમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા હતા?
ઉત્તર:
સત્તરમી સદીમાં સુરત શહેરમાં મસલિન, સુતરાઉ કાપડ, જરીભરતનું કાપડ, જહાજ બાંધકામ વગેરે ઉદ્યોગો વિકસ્યા હતા.

પ્રશ્ન 95.
કયા કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર ક્યાંથી થતો હતો?
ઉત્તરઃ
જરીભરતના કાપડની વિશ્વભરમાં સૌથી મોટો વેપાર કે સુરતથી થતો હતો.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 96.
સુરતમાં ભારતીય અને યુરોપિયન વેપારીઓનાં અનેક વેપારી સંસ્થાનો શાથી હતાં?
ઉત્તર:
સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર અને મહત્ત્વનું શહેર હોવાથી અહીં ભારતીય અને યુરોપિયન વેપારીઓનાં અનેક વેપારી સંસ્થાનો હતાં.

પ્રશ્ન 97.
સુરતમાં કયા કયા આનુષંગિક હુનર-ઉદ્યોગો વિકસ્યા હતા? શાથી?
ઉત્તર:
સુરતમાં ચાલતા વિવિધ ઉદ્યોગ-ધંધાને કારણે અને વિદેશ વ્યાપારને પરિણામે અહીં ગોદામો, પૅકિંગ, વહાણ બાંધવાનો ઉદ્યોગ, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલા વગેરેના હુન્નર-ઉદ્યોગો વિકસ્યા હતા.

નીચેનાં સ્થળોનો પરિચય આપો:

પ્રશ્ન 1.
કોણાર્કનું સૂર્યમંદિર
ઉત્તર:
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 6
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયાકિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. સમગ્ર રથમંદિરને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય આપતાં 12 મોટાં પૈડાં છે. આ મંદિર કાળા પથ્થરોમાંથી બનાવેલું હોવાથી તે ‘કાળા પેગોડા’ના નામે પણ ઓળખાય છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 2.
તાજમહાલ
ઉત્તર:
ઈ. સ. 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે ભવ્ય ‘તાજમહાલ’ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે. તે મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ મુઘલ સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે. તે દેશ-વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે.

પ્રશ્ન 3.
લાલ કિલ્લો
ઉત્તર:
(5) શાહજહાંએ દિલ્લીમાં ઈ. સ. 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલશૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 7નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાન-એ-ખાસ ઇમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું. દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 4.
સોમનાથ મંદિર
ઉત્તર:
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 5
સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસપાટણમાં આવેલું છે. તે હિંદુધર્મના શૈવ સંપ્રદાયનું અત્યંત પ્રાચીન, ભવ્ય અને સુપ્રસિદ્ધ મંદિર છે. આજે પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધારરૂપે નવું મંદિર જોવા મળે છે. સોમનાથ મંદિર ભારતનું શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર છે. સોમનાથ મંદિરની પુનઃનિર્માણની યોજના મુજબ ઈ. સ. 1951માં નવું મંદિર બાંધવામાં આવ્યું છે. તે ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક છે.

પ્રશ્ન 5.
રુદ્રમહાલય
ઉત્તર:
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 8
રુદ્રમહાલય ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેરમાં આવેલો છે. આજે તે ભગ્ન અવસ્થામાં જોવા મળે છે, પરંતુ એક સમયે તે ગુજરાતનું ભવ્ય, વિશાળ અને અનુપમ સ્થાપત્ય હતું. પાટણના સોલંકી રાજા જયસિંહે રુદ્રમહાલય બંધાવ્યો હતો. (ખરેખર, સોલંકી રાજા મૂળરાજ પ્રથમે રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કરી અને સિદ્ધરાજ જયસિંહે તેને પૂર્ણ કરાવ્યો હતો.) સિદ્ધરાજ પોતે હિંદુધર્મના શૈવપંથી હોવાથી તેણે આ મહાલયનું નામ રુદ્ર સાથે જોડ્યું હતું. કેટલાક ઇતિહાસકારોના મતે રુદ્રમહાલય ઝરૂખા સાથે સાત માળનો હોવો જોઈએ; જોકે હાલમાં રુદ્રમહાલય માત્ર એક માળનો જ જોવા મળે છે. રુદ્રમહાલયના સ્તંભો, ઝરૂખા, મનોહર શિલ્પબદ્ધ તોરણો વગેરે તેની સમૃદ્ધ સ્થાપત્યકલાની ઝાંખી કરાવે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 6.
અમદાવાદ
ઉત્તર:
અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું. ઈ. સ. 1411માં ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદનાં મુખ્ય સ્થાપત્યોમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ, હઠીસિંગનાં દેરાં, હોજેકુતુબ (કાંકરિયું તળાવ) અને નગીનાવાડી વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 7.
સીદી સૈયદની જાળી
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 9
ઉત્તર:
સીદી સૈયદની જાળી એ અમદાવાદનું વિશિષ્ટ અને વિશ્વવિખ્યાત સ્થાપત્ય છે. તે અમદાવાદમાં લાલ દરવાજા પાસે એક મસ્જિદમાં આવેલી છે. તે શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાના સૈનિક સીદી સૈયદે બનાવડાવી હતી. મસ્જિદની પથ્થરની દીવાલોમાં આવેલી બે જાળીઓ અત્યંત બારીક કોતરણી માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. એક જાળીમાં વૃક્ષની ડાળીઓની આકૃતિઓ છે અને બીજી જાળીમાં ભૌમિતિક ભાતો પથ્થરમાં નકશીકામ કરીને તૈયાર કરવામાં આવી છે, જે વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો અદ્વિતીય નમૂનો છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 8.
પાલિતાણા
ઉત્તર:
પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ ભાવનગરથી આશરે 60 કિલોમીટર દૂર શત્રુંજય ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં. અહીં અસંખ્ય મંદિરો આવેલાં છે. પાલિતાણા એ દુનિયામાં એક જ સ્થળે પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ છે. શત્રુંજય ડુંગર જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવજી(આદિનાથજી)નું સ્થળ ગણાય છે. અહીં ચોવીસ તીર્થકર બિરાજમાન છે. પાલિતાણા એ જૈનોનું મહાન તીર્થધામ છે. પાલિતાણાનાં મંદિરોનું શિલ્પસ્થાપત્ય બેનમૂન અને ઉત્કૃષ્ટ છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
રાજપૂતયુગ અને દિલ્લી સલ્તનતકાળ દરમિયાન કયાં કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
ઉત્તર:
રાજપૂતયુગ દરમિયાન ઉત્તર ભારતમાં નાગરશૈલીનાં મંદિરોનું નિર્માણ થયું હતું. એ મંદિરોમાં ખજૂરાહોનાં મંદિરો, જગન્નાથપુરીનું લિંગરાજ મંદિર, સૌરાષ્ટ્રના ગોપના મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 10
દિલ્લી સલ્તનતકાળના સમયગાળામાં મુખ્યત્વે ઇસ્લામ સાથે સંકળાયેલ આરબશેલીમાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. તેમાં મસ્જિદ, મકબરા અને રોજા એ ત્રણ પ્રકારનાં
સ્થાપત્યો મુખ્ય છે. દિલ્લી સલ્તનતનાં મુખ્ય સ્થાપત્યોમાં જામા મસ્જિદ, કુતુબમિનાર, હોજ-એખાસ, અલાઈ દરવાજા અને સીરીનો કિલ્લો છે. ફિરોજશાહ તુઘલકે મુખ્યત્વે મસ્જિદો અને સિંચાઈ માટે નહેરો બંધાવી હતી. આ સમયમાં ગુજરાતના મુસ્લિમ શાસકોએ અનેક સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, હોજે કુતુબ (કાંકરિયું તળાવ), રાણી સિપ્રીની મસ્જિદ તેમજ ચાંપાનેરમાં જામી મસ્જિદ, ચાંપાનેરનો કિલ્લો મુખ્ય છે. બંગાળમાં સોના મસ્જિદ બંધાઈ હતી. દિલ્લી સલ્તનતના સમયમાં હિંદુ સ્થાપત્યોમાં રાજસ્થાનમાં રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિતોડનો કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ છે. 13મી સદીમાં નિર્માણ પામેલાં કોણાર્કનું સૂર્યમંદિર અને કર્ણાટકનું હૌશલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારનાં સ્થાપત્યો છે.

પ્રશ્ન 2.
જૂનાગઢનાં સ્થાપત્યોનો પરિચય આપો.
ઉત્તર:
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 11
જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. જૂનાગઢના રાજવી રા’ખેંગારે શહેરના લોકોને પાણીની સુવિધા પૂરી પાડવા માટે અડી-કડી વાવ અને નવઘણ કૂવો બંધાવ્યાં હતાં. આ બંને સ્થાપત્યો માટે એક ઉક્તિ પ્રચલિત છે કે, ‘અડી-કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયા તે જીવતો મૂઓ.

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 3.
મુઘલકાલીન ચિત્રકલાની માહિતી આપો.
ઉત્તર:
મુઘલ ચિત્રકલા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતી. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને પોતાના દરબારમાં આમંત્રિત કરતા હતા. મુઘલ બાદશાહ બાબરના સમયથી ભારતમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો. મુઘલ શાસન દરમિયાન ચિત્રકલાના ‘ગુલશન ચિત્રાવલિ’ અને ‘હમ્મુનામા’ નામના ગ્રંથો રચાયા હતા. આકારિઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયના ચિત્રકારોએ પશુ-પક્ષીનાં અને પુષ્પોનાં ચિત્રો દોર્યા હતાં. મુઘલ બાદશાહ અકબરના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ હતી; જ્યારે જહાંગીરના સમયમાં મુખ્ય તહેવારો અને તેના પ્રસંગોનાં ચિત્રો બનાવવામાં આવતાં હતાં. મુઘલ શાસનના સમયમાં રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલીઓ પ્રખ્યાત હતી. એ સમયમાં ગુજરાતી ચિત્રશૈલી તળપદી, સાદી અને કથાપ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી.

પ્રશ્ન 4.
દિલ્લી સલ્તનતકાળ અને મુઘલ શાસન દરમિયાન સંગીત ક્ષેત્રે શી સ્થિતિ હતી?
ઉત્તર:
દિલ્લી સલ્તનતકાળ દરમિયાન ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ. આ સમયનો અમીર ખુશરો મહાન સંગીતકાર હતો. તેણે કવાલીની શોધ કરી હતી. તેણે ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી હતી. આ સમયમાં દેવગિરિ(દોલતાબાદ)ના પંડિત સારંગદેવે ‘સંગીત રત્નાકર’ નામનો સંગીતગ્રંથ અને ગુજરાતના પંડિત હરિપાલ દેવે ‘સંગીત સુધાકર’ નામનો ગ્રંથ લખ્યો હતો. મુઘલ બાદશાહ અકબર સંગીતનો જાણકાર હતો. તેના દરબારમાં બિરાજમાન તાનસેન શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો. તેણે અનેક રાગો રચ્યા હતા.

પ્રશ્ન 5.
મધ્યયુગના સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર:
મધ્યયુગ દરમિયાન અનેક ખ્યાતનામ સાહિત્યકારોએ જુદા જુદા વિષયો પર અમર ગ્રંથો લખ્યા હતા. તેમાંના કેટલાક સાહિત્યકારો અને તેમણે રચેલા ગ્રંથોની માહિતી નીચે મુજબ છે:

સાહિત્યકાર – ગ્રંથ
1. હેમચંદ્રાચાર્ય – સિદ્ધહેમશબ્દાનુશાસન
2. જયદેવ – ગીતગોવિંદમ્
3. નારાયણ – હિતોપદેશ
4. ભાસ્કરાચાર્ય – સિદ્ધાંત શિરોમણિ અને લીલાવતી
5. ચંદબરદાઈ – પૃથ્વીરાજરાસો
6. અમીર ખુશરો – તુઘલખનામાં અને તારીખે દિલ્લી
7. ઇબ્નબતુતા – કિતાબ-એ હિન્દ-રહેલા
8. પદ્મનાભ – કાન્હડદે પ્રબંધ
9. મહંમદ જાયસી – પદ્માવત

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 6.
ગુજરાતનાં લોકનૃત્યો અને હસ્તકલાનો પરિચય આપો.
ઉત્તર:
ગુજરાત તેની લોકસંસ્કૃતિ, તેનાં લોકનૃત્યો અને ભરતગૂંથણ જેવી હસ્ત-કલાકારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલું છે. ગુજરાતની લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ ભવાઈ, નાટકો, ગરબો, રાસ વગેરેમાં પડેલ છે. ‘ભવાઈ’ એ ખૂબ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે. ભવાઈનું લેખન કરવાનું અને ભવાઈ ભજવવાનું શ્રેય અસાઈત ઠાકરને ફાળે જાય છે. ‘રાસ’ એટલે વર્તુળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. ગુજરાતમાં ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને ‘હુડો’ કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ-વિદેશના લોકો ગુજરાત આવે છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 12
સમગ્ર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમાય છે. ગરબી શબ્દ પરથી ઊતરી આવેલ શબ્દ ગરબો આદ્યશક્તિની આરાધના અને સ્તુતિનું પ્રતીક છે. ભક્તકવિ દયારામના સમયથી ગરબીનો નોંધપાત્ર વિકાસ થયો છે. નવરાત્રીમાં સ્ત્રીઓ અને પુરુષો ગરબો, ગરબી અને રાસ રમીને ઉત્સવ ઊજવે છે.

ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા-કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ; પાટણના પટોળાં; જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી; કચ્છના બન્ની અને ખદિર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થતું ભરતગૂંથણ વગેરે બાબતો વિશ્વવિખ્યાત થઈ છે. પાટણમાં છેક અગિયારમી-બારમી સદીથી પાટણના કુશળ કારીગરો (સાળવીઓ)એ બનાવેલાં પટોળાં વિશ્વભરમાં પ્રખ્યાત થયાં છે. એ પટોળાં તેના ટકાઉ વણાટકામ અને પાકા રંગ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.’
GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો 13

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

ટૂંક નોંધ લખો:

શહેરીકરણની અસરો
ઉત્તર:
દિલ્લી સલ્તનત અને મુઘલ શાસનનો સમય શહેરોનાં પુનઃઉત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળનાં શહેરોની જગ્યાએ નવાં શહેરોનો ઉદય થયો હતો.

  1. રાજપૂતયુગની રાજધાનીઓ મોટા ભાગે શહેરોમાં પલટાતી ગઈ. જેમ કે, અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત, ભરૂચ જેવાં શહેરો વિકસ્યાં હતાં.
  2. શહેરીકરણનું સૌથી શ્રેષ્ઠ દષ્ટાંત દિલ્લીમાં જોવા મળે છે. રાજપૂતકાળથી મુઘલકાળ સુધી દિલ્લીનો સતત વિકાસ થતો ગયો છે. જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્લી રાજધાની અને વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું.
  3. મુઘલ સમયમાં લાહોર, જોનપુર અને ઢાકા વેપારીમાર્ગ
  4. અમૃતસર શીખધર્મનું મોટું યાત્રાધામ હોવાથી તે મહત્ત્વનું શહેર બન્યું હતું.
  5. દક્ષિણ ભારતમાં દેવગિરિ (દોલતાબાદ) ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું હોવાથી તે સમૃદ્ધ શહેર બન્યું હતું.
  6. મરાઠા સામ્રાજ્યના સમયમાં પુણે, સાતારા, ગ્વાલિયર, વડોદરા વગેરે શહેરોનો વિકાસ થયો હતો.
  7. અંગ્રેજ શાસન દરમિયાન યુરોપિયન કંપનીઓના વેપારવાણિજ્યને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પુદુચ્ચેરી, કોચી, ચંદ્રનગર, સુરત વગેરેનો શહેરી કેન્દ્રો તરીકે વિકાસ થયો હતો.
  8. વિજયનગરની રાજધાની હમ્પી વિશિષ્ટ હુન્નર ઉદ્યોગો અને વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હોવાથી તે મોટું શહેર બન્યું હતું.
  9. સોળમી-સત્તરમી સદીથી સુરત ભારતનું વ્યાપારિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં વિદેશ-વ્યાપાર ચાલતો હતો તેમજ હુન્નર-ઉદ્યોગો વિકસ્યા હતા. તેથી સુરતનો એક મહત્ત્વના શહેર તરીકે વિકાસ થયો હતો.

પ્રવૃત્તિઓ
1. ગુજરાતના મધ્યયુગીન સ્થાપત્યોનાં ચિત્રો એકઠાં કરી એક છે આલ્બમ બનાવો.
2. રાણીની વાવ, મલાવ તળાવ, મુનસર તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, રાણી રૂડાદેવીની વાવ વગેરે સ્થાપત્યો વિશે વધુ જાણકારી શાળા-પુસ્તકાલયમાંથી મેળવો.
૩. તમારા વિસ્તારની આસપાસ આવેલ પાળિયા અને પીરનાં સ્થાનોની માહિતી મેળવો.
4. ઉત્તર ગુજરાતનાં પ્રસિદ્ધ સ્થાપત્યો પૈકી કોઈ એક સ્થાપત્યના શાળા-પ્રવાસનું આયોજન કરો.
5. તમારા શિક્ષકની મદદથી તાજમહાલ વિશે એકોક્તિ તૈયાર કરો અને વર્ગમાં તેનો અભિનય કરો.
6. મધ્યકાલીન ભારતના કલા-વારસાનાં ચિત્રોનું પ્રદર્શન શાળામાં યોજો.

HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખોઃ

પ્રશ્ન 1.
નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે?
A. તાજમહાલ – આગરા
B. વિજયસ્તંભ – ઉદેપુર
C. લાલ કિલ્લો – દિલ્લી
D. રાજરાજેશ્વર મંદિર – તાંજોર
ઉત્તરઃ
B. વિજયસ્તંભ – ઉદેપુર

પ્રશ્ન 2.
મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કયા બાગનો સમાવેશ થતો નથી?
A. લાલબાગ
B. નિશાંતબાગ
C. શાલીમાર બાગ
D. આરામબાગ
ઉત્તરઃ
A. લાલબાગ

પ્રશ્ન 3.
યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે?
A. રાણીની વાવ – પાટણ
B. માધાવાવ – વઢવાણ
C. અડી-કડીની વાવ- જૂનાગઢ
D. મીનળ વાવ – વીરપુર
ઉત્તરઃ
A. રાણીની વાવ – પાટણ

GSEB Class 7 Social Science Important Questions Chapter 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

પ્રશ્ન 4.
દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે?
A. સમેતશિખર
B. શંખેશ્વર
C. પાલિતાણા
D. તારંગા ટેમ્પલ
ઉત્તરઃ
C. પાલિતાણા

પ્રશ્ન 5.
કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે?
A. આગરાનો લાલ કિલ્લો
B. કુતુબમિનાર
C. દિલ્લીનો લાલ કિલ્લો
D. તાજમહાલ
ઉત્તરઃ
D. તાજમહાલ

પ્રશ્ન 6.
પાલિતાણા જૈનતીર્થ ક્યાં આવેલું છે?
A. શત્રુંજય ડુંગર પર
B. ગિરનાર પર્વત પર
C. પાવાગઢ પર્વત પર
D. બરડાના ડુંગર પર
ઉત્તરઃ
A. શત્રુંજય ડુંગર પર

પ્રશ્ન 7.
અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે?
A. સીદી બશીરની જાળી
B. રાણી રૂપમતિની જાળી
C. સીદી સૈયદની જાળી
D. રાણી સિપ્રીની જાળી
ઉત્તરઃ
C. સીદી સૈયદની જાળી

Leave a Comment

Your email address will not be published.