GSEB Class 9 Social Science Notes Chapter 10 સરકારનાં અંગો

This GSEB Class 9 Social Science Notes Chapter 10 સરકારનાં અંગો covers all the important topics and concepts as mentioned in the chapter.

સરકારનાં અંગો Class 9 GSEB Notes

→ સરકારનાં ત્રણ અંગો છે :

  • ધારાસભા
  • કારોબારી અને
  • ન્યાયતંત્ર.

→ ધારાસભા કાયદાઓ ઘડે છે, કારોબારી કાયદાઓનો અમલ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરે છે તેમજ ન્યાય આપે છે.

→ ભારતમાં સંધ અને રાજ્ય કક્ષાએ સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ સરકારનાં કાર્યોને તેનાં ત્રણેય અંગો વચ્ચે વહેંચવામાં આવ્યાં છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં
આવ્યું છે.

→ સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે.

→ સંસદ દ્વિગૃહી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા” તરીકે અને ઉપલું ગૃહ રાજ્યસભાતરીકે ઓળખાય છે.

GSEB Class 9 Social Science Notes Chapter 10 સરકારનાં અંગો

→ લોકસભાના કુલ 54s સભ્યો પુખ્તવય મતાધિકારના ધોરણે લોકો દ્વારા ચૂંટાય છે, લોક્સભાની મુદત પાંચ વર્ષની છે, કટોકટી દરમિયાન તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે.

→ લોકસભાના સભ્યો તેમનામાંથી અધ્યક્ષ (સ્પી ક૨) અને ઉપાધ્યક્ષડિપ્યુટી સ્પીક૨)ની ચૂંટણી કરે છે, અધ્યા લોકસભાની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળી તેનું સંચાલન કરે છે. કોઈ ખરડા પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે.

→ રાજ્યસભા કુલ 250 સભ્યોની બનેલી છે. તેમાં 238 સભ્યો રાજ્યોની વિધાનસભા દ્વારા ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિયુક્ત થયેલા હોય છે. છે સંસદને ધારાકીય, નાણાકીય, કારોબારીવિષયક અને ન્યાયવિષયક સત્તાઓ મળેલી છે, સંઘસરકારમાં કાયદા ઘડવાનું કામ સંસદ કરે છે, બિનનાણાકીય ખરડો સંસદના કોઈ પક્ષ ચૂકમાં રજૂ થઈ શકે છે, નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મેળવી લોકસભામાં જ રજૂ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં સંસદે પસાર કરેલો ખરડો કાયદો બને છે,

→ લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ તરીકે ચૂંટણી કરે છે. સ્પીકર લોકસભાના અધ્યક્ષ સ્થાને બેસીને ગૃહનું સંચાલન કરે છે, તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માનમરતબો જાળવે છે. ગૃહમાં ઠરાવ પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત’ (casting Vote) આપીને ઠરાવ પસાર કરાવવામાં સહાય કરે છે.

→ કાયદા માટેની દરખાસ્ત ખરડો’ કહેવાય છે, ખરડાના બે પ્રકારો છે :

  • સામાન્ય ખરડો અને
  • નાણાકીય ખરો.

→ સામાન્ય ખરડો કાયદો બને તે પહેલાં તેને બંને ગૃwોમાંથી પસાર થવું પડે છે. ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ ખરડા પર સહી કરે ત્યારે જ તે કાયદો બને છે,

→ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, લોકસભામાં પસાર કર્યા પછી જ એ ખાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ 14 દિવસમાં તેને પાછો મોકલવાનો હોય છે, આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગન્નાય છે, રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે

→ છે રાજ્યની ધારાસભા એકગૃહીં કે દ્વિગૃહી હોઈ શકે છે. ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા” તરીકે અને ઉપલું ગૃહ વિધાનપરિષદ’ તરીકે ઓળખાય છે.

→ વિધાનસભાની સભ્યસંખ્યા વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60 હોય છે. વિધાનસભાના સભ્યો રાજ્યના લોકો દ્વારા ચૂંટાય છે. તેઓ તેમનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે.

→ વિધાનપરિષદના સભ્યો રાજ્યનાં વિવિધ મતદારમંડળો દ્વારા ચૂંટાય છે. વિધાનપરિષદ કાયમી ગૃહે છે. તેનો દરેક સભ્ય 6 વર્ષની– મુદત માટે ચૂંથય છેવિધાનસભા વિધાનપરિષદ કરતાં વધારે સત્તાઓ ધરાવે છે.

→ સંઘસરકારની કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ અને વડા પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.

→ ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે. તેમની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરનો ભારતીય નાગરિક બંધારણે નક્કી કરેલી અન્ય લાયકાત ધરાવતો હોય, તો તે રાષ્ટ્રપ્રમુખના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. રાષ્ટ્રપ્રમુખના હોદાની મુદત પાંચ વર્ષની છે. બંધારણમાં દર્શાવેલી “મહાભિયોગ’ (tampeachment)ની કાર્યવાહી દ્વારા તેમને હોદ ‘ પરથી દૂર કરી શકાય છે,

→ રાષ્ટ્રપ્રમુખને પાંચ પ્રકારની સત્તાઓ મળેલી છે :

  • કારોબારી સત્તાઓ
  • ધારાકીય સત્તાઓ
  • નાણાકીય સત્તાઓ
  • ન્યાયવિષયક સત્તાઓ અને
  • કટોકી વિશેની સત્તાઓ.

રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. તેઓ વધ્ય પ્રધાનની નિમણુક કરે છે અને તેમની સલાહથી અન્ય પ્રધાનોને નીમે છે. તેઓ દેશના મહત્ત્વના અનેક હોદાઓ પર લાયકાત ધરાવતી વ્યક્તિઓની નિમણૂકો કરે છે, સંઘસરકારનો સઘળો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે, પરંતુ વાસ્તવમાં બધી સત્તાઓ વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.

→ રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવે છે. દર વર્ષે સંસદના પ્રથમ સત્રની શરૂઆતમાં તેઓ સંસદની સંયુક્ત બેઠકને સંબોધે છે. સંસદે પસાર કરેલા ખરડા પર રાષ્ટ્રપ્રમુખ સહી કરે તો જ તે કાયદો અને છે. સંસદની બેઠક ચાલું ન હોય એ સમયે તેઓ વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે.

→ દેશના સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપ્રમુખ લશકરી અદાલતના ગુનેગારો સિવાયના ગુનેગારોને માફી આપવાની, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવાની, તેનો અમલ મોકૂફ રાખવાની અથવા સજાનું સ્વરૂપ બદલવાની સત્તા ધરાવે છે.

GSEB Class 9 Social Science Notes Chapter 10 સરકારનાં અંગો

→ બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે દેશની સલામતી ભયમાં મુકાઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોક્ટીની સ્થિતિ જાહેર કરે છે. દેશના કોઈ રાજ્યમાં બંધારણ પ્રમાણે વહીવટ ન ચાલી શકે એમ હોય ત્યારે તેઓ બંધારણીય કટોકટી જાહેર કરી એ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન જાહેર કરે છે. દેશમાં નાણાકીય અસ્થિરતા સર્જાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય
સ્પેકટી જાહેર કરે છે.

→ રામમુખની ગેરહાજરીમાં રાષ્ટ્રપ્રમુખની ફરજો ઉપરાષ્ટ્રમુખ બજાવે છે. ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે.

→ વડા પ્રધાન સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે. વડા પ્રધાનની સલાહ અનુસાર તેઓ અન્ય પ્રધાનોને નીમે છે. સરકાર વડા પ્રધાનના નામથી ઓળખાય છે. તેઓ પોતાના હોદાની રૂએ નીતિપંચ(આયોજનપંચ)ના અધ્યક્ષ બને છે. સમગ્ર પ્રધાનમંડળ સંયુક્તપણે લોકસભાને જવાબદાર છે. લોકસભા પ્રધાનમંડળ પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે.

→ સંધીય પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ રાજ્યના બંધારણીય વડા તરીકે રાજ્યપાલને નિયુક્ત કરે છે. રાજ્યપાલની મુદત પાંચ વર્ષની છે. તેઓ મહત્ત્વની ધારાકીય સત્તાઓ ધરાવે છે.

→ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નીમે છે. મુખ્યમંત્રીની સલાહથી તેઓ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. રાજ્યપાલને મળેલી સત્તાઓ વાસ્તવમાં મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.

→ સરકારનું વહીવટી તંત્ર સનદી સેવા તરીકે ઓળખાય છે, સનદી સેવકો દેશના વિકાસલક્ષી કાર્યોને ફળીભૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. સનદી સેવકોના કાર્યદક્ષ વહીવટથી દેશ પ્રગતિશીલ બને છે.

→ પોતાના ક્ષેત્રમાં નિરાત, તજ્જ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજજુ સમાન છે.

→ રાજકીય કારોબારી લોકોનાં કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે; જ્યારે વહીવટી કારોબારી તેના હાથપગ છે. બંને વચ્ચેના નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધી રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે.

→ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્વશાસનની સંસ્થા છે. તે ‘પંચાયતીરાજની સંસ્થાઓ’ કહેવાય છે. છે પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છે :

  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત
  • તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને
  • જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત,

→ ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.

→ જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે એ ગામને ‘સમરસ ગામ’ કહે છે.

→ ગામનો સઘળો વહીવટ ‘તલાટી-કમ-મંત્રી’ સંભાળે છે, તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી’ના નામે ઓળખાય છે,

GSEB Class 9 Social Science Notes Chapter 10 સરકારનાં અંગો

→ જિલ્લા પંચાયતના વહીવર્ય વઢ “જિલ્લા વિકાસ અધિકારી”ના નામે ઓળખાય છે.

→ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.

→ નગરપાલિકાના વડા “પ્રમુખ’ના નામે અને વહીવટી વડા “ચીફ ઑફિસર”ના નામે ઓળખાય છે.

→ મહાનગરપાલિકા અને મહાનગરનિગમના વડને ‘મેયર’ કહે છે. આ સંસ્થાઓના વહીવટી વડા “મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકારે કરે છે.

→ ન્યાયતંત્ર ભારતના બંધારવાનું અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓ જ બંધારણ સાથે સુસંગત ન હોય, તો તે તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published.