GSEB Class 9 Social Science Notes Chapter 17 કુદરતી વનસ્પતિ

This GSEB Class 9 Social Science Notes Chapter 17 કુદરતી વનસ્પતિ covers all the important topics and concepts as mentioned in the chapter.

કુદરતી વનસ્પતિ Class 9 GSEB Notes

→ ભારતમાં વિવિધ પ્રકારની વનસ્પતિ છે. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું છે.

→ વિશાળ વિસ્તારમાં પથરાયેલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિના સમૂહને ‘જંગલ’ કહે છે.

→ માણસની સહાય વગર ઊગતી અને વિકસતી વનસ્પતિ “કુદરતી વનસ્પતિ’ કહેવાય છે.

→ ભારતની કુદરતી વનસ્પતિની વિવિધતા પર અસર કરનારાં પરિબળોમાં ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન અને ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ મુખ્ય છે.

GSEB Class 9 Social Science Notes Chapter 17 કુદરતી વનસ્પતિ

→ ભારતમાં આશરે 5000 જાતનાં વૃક્ષો થાય છે. તેમાંથી 450 જાતનાં વૃક્ષો વેપારી દષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત આશરે 15,000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના 6% છે. હંસરાજ (ફની, લીલ, શેવાળ અને ફૂગ જેવી અપુષ્પ વનસ્પતિ પણ
થાય છે,

→ ભારત સર્પગંધા જેવી ઘણી જડીબુટ્ટીઓ માટે વિખ્યાત છે, સર્પગંધા લોહીના ઊંચા દબાણનો રોગ મટાડે છે. તે ફક્ત ભારતમાં જ થાય છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધિઓનું વર્ણન છે.

→ ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે ભારતમાં કુદરતી વનસ્પતિના પાંચ પ્રદેશો રચાયા છે :

  • ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
  • ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
  • ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
  • સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો અને
  • ભરતીનાં જંગલો (મેન્યુવ જંગલો).

1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો 200 સેમીથી વધુ વરસાદવાળા ગરમ પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો બારે માસ લીલાં રહે છે, વૃક્ષો જાડા થડવાળાં અને 60 મીટરથી વધુ ઊંચાં હોય છે. વૃક્ષોનું લાકડું કન્ન અને વજનદાર હોય છે. અબનૂસ, મહોગની, રોઝવુડ અને રબર અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

2. ઉષણ કટિબંધીય ખરાઉ જંગલોને “મોસમી જંગલો’ પણ કહે છે, અર્શી 70થી 200 સેમી જેટલો વરસાદ પડે છે, અઠ્ઠીંનાં વૃક્ષો પાનખર ઋતુમાં પોતાનાં બધાં પાન ખેરવી નાખે છે. સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ અહીંના મુખ્ય વૃક્ષો છે.

3. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો 70 સેમીથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. અર્લી ખજૂર, બાવળ, બોરડી, થોર અને ખીજડો મુખ્ય વનસ્પતિ છે. તેનાં મૂળ લાંબાં, ઊંડાં અને પાણી મેળવવા માટે ચોતરફ ફેલાયેલાં હોય છે. પાન નાનાં હોય છે, જેથી બાધ્યનિષ્કાસન ઓછું થાય છે.

4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો મુખ્યત્વે હિમાલયમાં જોવા મળે છે. હિમાલયના તળેટી વિસ્તારમાં ખરાઉ જંગલો, 1000થી 2000 મીટરની ઊંચાઈએ પહોળાં પાનવાળાં ઓક, ચેસ્ટનટ અને ચિનારનાં વૃક્ષો તથા 1500થી 3000 મીટરની ઊંચાઈએ પાઇન, દેવદાર, સિલ્વર ફરે, સૂસ, સીડર વગેરે શંકુ આકારનાં વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષોનું લાકડું પોચું અને માવાદાર હોવાથી કાગળ બનાવવામાં વપરાય છે. હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ આલ્પાઇન ઘાસ અને ટ્રેડ વનસ્પતિ જોવા મળે છે. અહીં સિલ્વર ફેર, જુનિફર બર્ચ મુખ્ય વનસ્પતિ છે,

5. ભારતનાં દરિયાકિનારે નદીઓના મુખત્રિકૌપ્રદેશોમાં ભરતીનાં જંગલો (મેન્યુવ જંગલો) આવેલાં છે. સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે.

→ ભારતનાં જંગલો અનેક પ્રકારની પેદાશો આપે છે. તેમાં લાકડું મુખ્ય છે. જંગલો ઇમારતી લાકડું, બળતણ, ઔષધિઓ અને કાગળ, દીવાસળી, કૃત્રિમ રેસા જેવા વિવિધ ઉદ્યોગો માટે કાચો . માલ આપે છે. તે કેટલાક ગૃહઉદ્યોગો માટે વાંસ અને વિવિધ પ્રકારનાં પાન આપે છે. આ ઉપરાંત, લાખ, ગુંદર, રાળ, મધ, ટર્પેન્ટાઇન, નેતર, રબર, ફળો વગેરે તેની ગૌણ પેદાશો છે.

GSEB Class 9 Social Science Notes Chapter 17 કુદરતી વનસ્પતિ

→ પર્યાવરણની સમતુલા જાળવવા માટે જંગલો બહુ મહત્ત્વનાં છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ઑક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે. વનસ્પતિ વાતાવરણને ઠડું રાખે છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, તે પવન અને વરસાદથી ધતું જમીનનું ધોવાણ ધટાડે છે અને રણને આગળ વધતું અટકાવે છે. તે ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે, હે જંગલોના વિનાશ માટેનાં કારણોમાં દેશનો વસ્તીવધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની ઘેલછા, ઉદ્યોગીકરણ, ઝૂમ પદ્ધતિની ખેતી, જંગલવાર્તાઓની ગરીબી, બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ, નવી વસાહતોનું પ્રસ્થાપન, સડકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ વગેરે મુખ્ય છે. જંગલોના વિનાશના કારણે માનવ સમક્ષ ધણી વિકટ સમસ્યાઓ ઊભી થઈ છે.

→ જંગલોના વિનાશથી પર્યાવરણીય સમતુલા ખોરવાઈ છે. આ અસરોમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ વિશ્વિક તાપવૃદ્ધિ), ગ્રીનહાઉસ ઇફેક્ટ હરિતગૃહ પ્રભાવ), રણવિસ્તારમાં વધારો થવો, વન્ય જીવો નિરાશ્રિત થવાં વગેરે મુખ્ય છે.

→ ભારતની ઈ. સ. 1952ની રાષ્ટ્રીય વનનીતિ મુજબ દેશના 33 % વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ. તેને બદલે માત્ર 23 % વિસ્તારમાં જંગલો છે. ગુજરાતમાં આ પ્રમાણ કેવળ 10 % છે.

→ જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ભારત સરકારે ઈ. સ. 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી છે. ઈ. સ. 1980માં સંસદે વનસંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ભારત સરકારે ઈ. સ. 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.

→ જંગલોના જતન અને સંરક્ષણ માટે નીચે પ્રમાણેના ઉપાયો હાથ ધરવા જોઈએ:

  • જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે એવી નાગરિકોમાં સમજ કેળવવી.
  • વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવાં અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી.
  • વનમહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી.
  • વૃક્ષારોપણની પ્રવૃત્તિ વિકસાવવી.
  • શાળા-કૉલેજોમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ વિકસાવવી.
  • પર્યાવરણલક્ષી દિન ઊજવવા.
  • જંગલોમાં આગ ન લાગે તે માટેની તકેદારીઓ રાખવી અને આગનું શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી.
  • સૌર-ઊર્જા, બાયો-ઊર્જા, પવન-ઊર્જા વગેરેના ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહન આપવું.
  • પ્રચાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી, લોકજાગૃતિ લાવવી.

Leave a Comment

Your email address will not be published.