GSEB Class 9 Social Science Notes Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

This GSEB Class 9 Social Science Notes Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત covers all the important topics and concepts as mentioned in the chapter.

સ્વાતંત્ર્યોત્તર ભારત Class 9 GSEB Notes

→ આઝાદી પછી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવું અને દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડી અખંડ ભારતની રચના કરવી આ બે અગત્યનાં કાર્યો હતો.

→ રાણ સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી. પી. મેનને ‘જોડાણખત” અને “જૈસે થે કરાર’(15 ઑગસ્ટ, 1947ની સ્થિતિ જાળવી રાખવી.)નો મુસદ્દો બનાવીને 562 જેટલાં દેશી રાજ્યોના વિલિનીકરણની યોજના હાથ ધરી.

→ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને લીધે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીર સિવાયનાં રાજ્યો ભારતીય સંઘ સાથે જોડાઈ ગયાં.

→ હૈદરાબાદના નવાબે સ્વતંત્ર રહેવાની જાહેરાત કરીને ભારતની એકતા સામે ખતરો ઊભો કર્યો. નિઝામ સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં સરદાર વલ્લભભાઈ પટેલે તેની સામે “પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું. ભારતને સરદાર પટેલની અસાધારણ કુનેહ અને ધીરજનો વિજય થયો. કનૈયાલાલ મુનશીએ
આ પ્રશ્નમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

→ આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. જૂનાગઢની પ્રજાએ તેનો પ્રચંડ વિરોધ કર્યો. સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢની પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંધમાં જોડાણ થયું.

GSEB Class 9 Social Science Notes Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

→ કશ્મીરના મહારાજા હરિસિંહે સમયસૂચકતા ન દાખવતાં પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. એ પછી તેમણે કશ્મીરનું રક્ષણ કરવા માટે કશ્મીરનું ભારતીય સંઘ સાથે તાત્કાલિક જોડાણ કર્યું. ભારતના લશ્કરે કશ્મીર જઈને પાકિસ્તાનના સૈન્યને ભગાડી મૂક્યું, પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરની પશ્ચિમે તેના ત્રીજા ભાગ પર કબજો જમાવી દીધો હતો. કશ્મીરનો એ ભાગ હજુ આપણે પાછો મેળવી શક્યા નથી. કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આજે પણ સળગતો રહ્યો છે.

→ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારે પુડુચેરી (પોંડિચેરી), કરાઇકલ (તમિલનાડુ), માટે (કેરલ), નામ (આંધ્ર પ્રદેશ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફ્રેંચોની સત્તા હતી. એ પ્રદેશોની પ્રજાએ ભારતીય સંઘ સાથે જોડાવા માટે ઉગ્ર ચળવળો ચલાવી. જોડાણના પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેંચ સરકાર સાથે વાટાઘાટો કરી, પણ કોઈ પરિણામ ન આવ્યું. અંતે એ પ્રદેશોની પ્રજાનો મિજાજ પારખીને ફેંચ સરકારે એ પ્રદેશો ભારત સરકારને સોંપી દીધા.

→ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે દીવ, દમણ, દાદરા નગરહવેલી અને ગોવા પર પોર્ટુગીઝોનો અંકુશ હતો. એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે પોર્ટુગીઝ સરકાર સાથે વાટાઘાટો કરી, પરંતુ તેમાં સફળતા ન મળી. લોકોએ પણ “ગોવા મુક્તિ આંદોલન’ શરૂ કરી સત્યાગ્રહ કર્યો. છેવટે ભારતે લશ્કરી અભિયાન ‘ઑપરેશન વિજય” દ્વારા ગોવા, દીવ અને દમણ કબજે કર્યો.

→ બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોનું એકીકરણ કરીને ઈ. સ. 1950માં ભારતનાં રાજ્યોને ચાર વર્ગોમાં વિભાજિત કર્યો. એ રાજ્યોનો દરજ્જો એકસરખો નહોતો.

→ રાજ્યોની પુનર્રચના કરવા માટે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની નિમણૂક કરી.

→ એ પંચના અહેવાલ પરથી બંધારણમાં સુધારો કરી ભારત સરકારે રાજ્યોની પુનર્ચના માટે કાયદો ઘડ્યો. એ કાયદા મુજબ ચાર પ્રકારનાં રાજ્યો રદ કરી ભાષાના ધોરણે 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતનાં રાજ્યોની પુનર્ચના કરવામાં આવી. પરંતુ તેમાં મુંબઈ અને પંજાબની રચના ભાષાના ધોરણે થઈ નહોતી. મુંબઈની દ્વિભાષી રચના સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકોએ આંદોલન ચલાવ્યું. અંતે 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વિભાજન થયું.

→ ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં અસમ સહિત નવાં 7 રાજ્યોની રચના કરવામાં આવી. એ સાતેય રાજ્યોને ‘સાત બહેનો” (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે.

→ ઈ. સ. 2000માં બિહારમાંથી નવા ઝારખંડ રાજ્યની અને મધ્ય પ્રદેશમાંથી નવા છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી તેમજ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

→ ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી નવા તેલંગણા રાજ્યની રચના કરવામાં આવી. જ આજે (ઈ. સ. 2016માં ભારતીય સંધમાં 29 રાજ્યો અને 6 સંધશાસિત પ્રદેશો તેમજ ભારતના પાટનગર દિલ્હીના રાજ્ય
સહિત કુલ 36 ઘટ છે.

→ એક ઉપખંડ કહી શકાય એવો ભારતદેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષા, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મી છે.

→ ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજામાં પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવાત્મક લાગણી જન્મે છે, તેને ‘પ્રદેશવાદ’ કહે છે,

→ પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

GSEB Class 9 Social Science Notes Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

→ ભારતના બંધારણે ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કર્યો છે.

→ પ્રાદેશિક અસમાનતાને લીધે પ્રદેશવાદની ભાવના જન્મે છે. દેશમાં પ્રવર્તતી પ્રાદેશિક અસમાનતા નાબૂદ કરી દેશનો સમતોલ સામાજિક અને આર્થિક વિકાસ સાધવા આપણે કેન્દ્રીય આયોજનનો માર્ગ અપનાવ્યો. એ માટે ભારત સરકારે ઈ. સ. 1950માં આયોજનપંચની રચના કરી.

→ દેશનાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યોમાં પણ આંતરિક પ્રાદેશિક અસમાનતાઓ પ્રવર્તે છે.

→ છે છેલ્લાં 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે.

→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસમાં ડૉ. હોમી ભાભા, ડ, રાજા રામન્ના, ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સી. વી. રામન, સર એમ. વિશ્વેશ્વરયા, સામ પિત્રો, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, ઈ. શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેક્નોક્રેટો વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો છે,

→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે મહિલાઓનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. આ ઉપરાંત, મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સુંદર કામગીરી બજાવીને રાષ્ટ્રીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

→ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સિસ’, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજી’, ‘ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન” (ઇસરો)’, ‘ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી’ વગેરે સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે,

→ ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા “હરિયાળી ક્રાંતિ’ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે,

→ પરમાણુ વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારતે અઘતન પરમાણુ મથકો ઊભાં ક્યાં છે. ભારતે પરમાણુ બૉમ્બ અને વિવિધ અંતરની મિસાઇલો વિકસાવી છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરલ ખાતે બે વખત સફળ પરમાડ્યું પરીક્ષણ કર્યા છે

→ ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહો બાહ્ય અવકાશમાં છોડ્યા છે તેમજ ઉપગ્રહો છોડવા માટેનાં વહીકલ [GSLV) વિકસાવ્યાં છે.

→ છેલ્લા એક દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ ટેલિફોન, ટી.વી., કમ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો રહ્યો છે, જ ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેક્નોલૉજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

→ વિશ્વ-સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો (United Nations) એ 21 જૂનનો દિવસ વિશ્વ-યોગદિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ માટે ભારત ગૌરવ અનુભવે છે.

Leave a Comment

Your email address will not be published.