GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Textbook Exercise Important Questions and Answers.

ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Class 10 GSEB Solutions Social Science Chapter 2

GSEB Class 10 Social Science ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.
અથવા
ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો: ભારતની માટીકામની કલા
અથવા
માનવજીવન અને માટી વચ્ચેનો સહસંબંધ સમજાવો. (August 20)
અથવા
“માનવજીવન અને મારી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર:
પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલાં પાત્રોનો ઉપયોગ કરતા.

    • એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતાં.
    • અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી.
    • ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરેનાં પાત્રો તેમજ રસોઈનાં વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતાં.
    • ગામડાંનાં બધાં જ ઘરોની દીવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી.
    • ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી(ટેરાકૉટા)નાં વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો પરથી મળે છે.
    • લોથલ, મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલાં લાલ રંગના પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.
    • કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે.
    • આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે.) જોવા મળે છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

પ્રશ્ન 2.
ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. તેની સ્પષ્ટતા કરો.
અથવા
ભારતની એક કલા તરીકે ચર્મઉદ્યોગનો પરિચય આપો.
ઉત્તર:
પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલાં પશુઓનાં ચામડાનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.

  • ચામડાંને જૂની પદ્ધતિઓથી કમાવવામાં (Process) આવતાં.
  • ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલી; ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવાં સંગીતનાં સાધનો, લુહારની ધમણો, પગરખાં, પાલતુ પ્રાણીઓને બાંધવાનાં સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતાં.
  • આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાનાં પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાનાં સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.
  • પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ, ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે.

પ્રશ્ન 3.
સંગીત રત્નાકરનો પરિચય આપો.
ઉત્તરઃ
સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.

  • સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.
  • તેઓ દેવગિરિ(દોલતાબાદ)માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.
  • પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
  • સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા-સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે.

પ્રશ્ન 4.
કથકલી નૃત્ય વિશે સમજ આપો.
અથવા
કથકલી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર:
કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.

  • પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં.
  • આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
  • તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ)ને સમજવું પડે છે.
  • કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે.
  • એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકનાં પાત્રોને સજીવ કરે છે.
  • ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (સ્થાપિત કલામંડળમાં કથકલી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
નૃત્યકલાક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.
અથવા
નૃત્યકલાક્ષેત્રમાં ભારતમાં થયેલ પ્રગતિ સમજાવો.
ઉત્તર:
નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ “નૃત્’ (નૃત્ય કરવું) પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.

  • નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ’ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે.
  • ભારતમાં (1) ભરતનાટ્યમ, (2) કૂચીપુડી, (3) કથકલી, (4) કથક, (5) મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે.

1. “ભરતનાટ્યમ્’ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે.

  • ભરતનાટ્યમનો મુખ્ય આધાર-સ્રોત ભરતમુનિરચિત “નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત “અભિનવ દર્પણ’ નામના ગ્રંથો છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિતકલા 1

  • ભરતનાટ્યમૂના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની વગેરે મુખ્ય છે.

2. “કૂચીપુડી નૃત્ય આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે.

  • તે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષ બંને આ નૃત્ય કરે છે.
  • કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે.
  • ગુરુ પ્રફ્લાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કૂચીપુડી નૃત્યશેલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.

3. કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.

  • આ નૃત્યશેલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
  • આ નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ)ને સમજવું પડે છે.
  • કેરલના કવિ વલ્લભથોળ, કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે.

4. કથકના નામમાં કથા રહેલી છે. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે.

  • કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યોની કથાઓ પર આધારિત છે.
  • વૈષ્ણવ સંપ્રદાયની શંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
  • પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે.

5. મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે.
GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિતકલા 2

  • આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
  • મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
  • આ નૃત્યમાં નર્તક “કુમીન’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો કે ચણિયો અને રેશમનો કબજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો બાંધે છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

પ્રશ્ન 2.
ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.
ઉત્તરઃ
ગરબો શબ્દ “ગર્ભ-દીપ’ પરથી બન્યો છે.

  • કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું, તેને “ગરબો’ કહેવામાં આવે છે.
  • સમગ્ર ગુજરાતમાં નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક 5 સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.
  • નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે.
  • સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી, તેની વર્તુળાકારે ફરતાં ફરતાં તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે.
  • આ ઉપરાંત, ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતાં હોય છે.
  • ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્તકવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કિંઠને ગુંજતો કરી દીધો છે.

પ્રશ્ન 3.
ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી વિશે જણાવો.
અથવા
ભારતની એક કલા તરીકે મોતીકામ અને મીનાકારીગરીનો પરિચય આપો.
અથવા
પ્રાચીન ભારતની એક કલા તરીકે “મોતી અને મીનાકારીગરી” વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે છે. તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે.

  • ભારતના કારીગરોએ બનાવેલાં હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે.
  • કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
  • ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે.
  • પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, અમીર-ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વેવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવાં કીમતી રત્નોનો ઉપયોગ કરતા.
  • પ્રાચીન સમયના રાજા-મહારાજાઓ અને બાદશાહો તેમનાં સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા.
  • વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે.
  • કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નનાં નાળિયેર, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયાં, શીંગડાં, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે.
  • વિશ્વના દેશોમાં માત્ર ભારતદેશ જ સોના-ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે.
  • મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝૂમખો વગેરે સોના-ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે.
  • ભારતમાં જયપુર, લખનઉ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે.

પ્રશ્ન 4.
ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ગુજરાતનાં આદિવાસી નૃત્યો
ઉત્તર:
ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબનાં નૃત્યો કરે છે.

  • તેમનાં મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે થતાં હોય છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિતકલા 3

  • તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે.
  • આવાં નૃત્યોમાં “ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવાં પક્ષીઓની નકલ કરે છે.
  • ડાંગના આદિવાસીઓ “માળીનો ચાળો’ તેમજ “ઠાકર્યા ચાળો’ જેવાં નૃત્યો કરે છે.
  • ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા કરીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો

પ્રશ્ન 1.
‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.
ઉત્તર:
પંડિત સારંગદેવ ‘સંગીત રત્નાકર’ ગ્રંથના અને પંડિત અહોબલ ‘સંગીત પારિજાત’ ગ્રંથના રચયિતા છે.

પ્રશ્ન 2. “કાંતણ” કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
ઉત્તરઃ
“કાંતણ’ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.

પ્રશ્ન 3.
લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?
ઉત્તર:
લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવાં ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત, તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેનાં અસ્ત્રો અને શસ્ત્રો પણ 3 ધાતુમાંથી બનાવતા.

પ્રશ્ન 4.
હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત ૨ પાડતા હતા?
ઉત્તર:
હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ૨ ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.

પ્રશ્ન 5.
ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભવાઈ
અથવા
રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલાનો પરિચય આપો. (March 20)
ઉત્તર:
રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલા ભવાઈ’ છે.

  • ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
  • શાસ્ત્રકારોએ ભવાઈને “ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.
  • ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી.
  • ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકીયુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું.
  • મોટે ભાગે પડદા વગર ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેનાં સંગીતપ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે.
  • ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે.
  • ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
  • ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલીનાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો ભજવવામાં આવે છે.

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?
A. ઊરુભંગ
B. કર્ણભાર
C. મેઘદૂતમ્
D દૂતવાક્યમ્
ઉત્તરઃ
C. મેઘદૂતમ્

પ્રશ્ન 2.
વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
A. મણિપુરી
B. કૂચીપુડી
C. કથકલી
D. ભરતનાટ્યમ્
ઉત્તરઃ
D. ભરતનાટ્યમ્

પ્રશ્ન 3.
ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
A. ઋગ્વદ
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
ઉત્તરઃ
B. સામવેદ

પ્રશ્ન 4.
ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ’ (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?
A. તાનસેન
B. તુલસીદાસ હે. કબીર
D. અમીર ખુશરો
ઉત્તરઃ
D. અમીર ખુશરો

પ્રશ્ન 5.
“ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય
A. આદિવાસીઓનું નૃત્ય
B. ભરવાડોનું નૃત્ય
C. કોળીઓનું નૃત્ય
D. પઢારોનું નૃત્ય
ઉત્તરઃ
A. આદિવાસીઓનું નૃત્ય

પ્રશ્ન 6.
ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
A. રાજસ્થાન
B. અંદમાન
C. આફ્રિકા
D. થાઈલૅન્ડ
ઉત્તરઃ
C. આફ્રિકા

GSEB Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

પ્રશ્ન 7.
વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઊજવવામાં આવે છે?
A. 21 જૂને
B. 1 મેએ
C. 21 એપ્રિલે
D. 5 સપ્ટેમ્બરે
ઉત્તરઃ
A. 21 જૂને

Leave a Comment

Your email address will not be published.