GSEB Solutions Class 8 Social Science Chapter 17 ન્યાયતંત્ર

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 17 ન્યાયતંત્ર Textbook Exercise and Answers.

ન્યાયતંત્ર Class 8 GSEB Solutions Social Science Chapter 17

GSEB Class 8 Social Science ન્યાયતંત્ર Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય?
ઉત્તર:
ફોજદારી દાવામાં ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 2.
સેશન્સ. ન્યાયાધીશ કોને કહેવાય?
ઉત્તર:
જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેમને ‘સેશન્સ ન્યાયાધીશ’ કહેવાય.’

પ્રશ્ન 3.
આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે?
ઉત્તર:
આપણા દેશની બધી અદાલતોમાં ‘સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.

GSEB Solutions Class 8 Social Science Chapter 17 ન્યાયતંત્ર

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.
ઉત્તરઃ
વડી અદાલતની સત્તા અને કાર્યો – કાર્યક્ષેત્રને – અધિકારક્ષેત્રને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છેઃ

  1. મૂળ અધિકારક્ષેત્ર,
  2. વિવાદી અધિકારક્ષેત્ર અને
  3. વહીવટી અધિકારક્ષેત્ર.

વડી અદાલતની અન્ય સત્તાઓ અને કાર્યોઃ

  • વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી સંબંધી દાવાઓ સાંભળી ન્યાય આપે છે.
  • બંધારણની કલમ-226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં વડી અદાલત આદેશો – હુકમો જારી કરે છે.
  • તે તેના અંકુશ હેઠળની-તાબાની અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળીને ચુકાદા આપે છે.
  • તે તેના તાબા હેઠળની રાજ્યની બધી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે રિપોર્ટ મંગાવી શકે છે.
  • તે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા સામાન્ય નિયમો બનાવીને તેમને મળે છે.
  • તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું તે માર્ગદર્શન આપે છે.
  • તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે.

પ્રશ્ન 2.
લોકઅદાલતના ફાયદા જણાવો.
ઉત્તર:
લોકઅદાલતના મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છેઃ

  • લોકઅદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી, સુખદ અને કાયમી સમાધાન થાય છે.
  • પ્રજા અને કૉર્ટ-કચેરીનાં સમય અને નાણાં બચે છે.
  • વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો બિનખર્ચાળ અને ઝડપી નિકાલ થાય છે.
  • પ્રજાને કાયદાકીય આંટીઘૂંટીથી બચાવી શકાય છે. .
  • સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે છે.
  • લોકઅદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ મળેલું છે.

GSEB Solutions Class 8 Social Science Chapter 17 ન્યાયતંત્ર

3. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો :

1. ન્યાયની દેવીએ પોતાના હાથમાં ……………………………. અને ……………………. ધારણ કરેલ છે.
ઉત્તરઃ
ત્રાજવું, તલવાર

2. વડી અદાલતના ચુકાદા સામે …………………… અદાલતમાં અપીલ કરી શકાય છે.
ઉત્તરઃ
સર્વોચ્ચ

૩. ગુજરાત રાજ્યની વડી અદાલત …………………….. શહેરમાં છે.
ઉત્તરઃ
અમદાવાદ

4. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ……………………………. શહેરમાં છે.
ઉત્તરઃ
દિલ્લી

Leave a Comment

Your email address will not be published.