GSEB Class 10 Social Science Notes Chapter 21 સામાજિક પરિવર્તન

This GSEB Class 10 Social Science Notes Chapter 21 સામાજિક પરિવર્તન covers all the important topics and concepts as mentioned in the chapter.

સામાજિક પરિવર્તન Class 10 GSEB Notes

→ સામાજિક પરિવર્તન એટલે સમાજના રચનાતંત્રમાં, સામાજિક સંગઠનમાં, સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં આવતું પરિવર્તન.

→ પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરલ્સ અને શહેરીકરણને લીધે ભારતીય સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં છે.

→ સમાજમાં આવેલાં ભૌતિક પરિવર્તનોથી લોકોનાં જીવનધોરણમાં સુધારો થયો છે.

→ સાક્ષરતાનો દર ઘણો નીચો હોવાથી આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી છે.

→ કાયાની જાણકારીના અભાવે આપણે કાયદાનો ભંગ કરીએ છીએ. કાયદાના ભંગ બદલ થયેલી સજા કે દંડ માફ થઈ શક્તો નથી.

→ માનવ-અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)એ માનવહકોના ઘોષણાપત્ર(Charter of Rights)માં નાગરિકોના અધિકારોની રજૂઆત કરી છે.

→ નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓને મૂળભૂત અધિકારો કહે છે.

→ પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિશ્ન બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે.

→ ઈ. સ. 1992માં સંયુક્ત રાષ્ટ્રીયુ.એન.)એ બાળકોના અધિકારોની ધોષણા કરી છે.

→ બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે. બાળકો પર જાણીબૂઝીને માનસિક કે શારીરિક પીડા પહોંચાડવી એ બાળ અત્યાચાર છે.

GSEB Class 10 Social Science Notes Chapter 21 સામાજિક પરિવર્તન

→ 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજુર કહેવાય છે. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ભારતમાં છે.

→ બાળકોની બાળમજૂરી પાછળના કારણોમાં તેના કુટુંબની ગરીબી, માતાપિતાની નિરક્ષરતા, મોટું કુટુંબ, અનાથ કે નિરાધારતા વગેરે મુખ્ય છે.

→ બાળમજૂરી કે બાળશોષણ કે અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલીક બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ ઘડીને તેનો અમલ કરાવીને તથા બાળ સુરક્ષા, બાળકલ્યાણ-વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને સહાય કરી છે.

→ ભારતમાં વૃદ્ધોની વધતી જતી વસ્તીએ અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલા વધારાએ વૃદ્ધો માટે સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્માવી છે,

→ વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવૈદનાહીન કે લાગણીશૂન્ય વર્તનવ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ઘરડાંધર(વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડે છે.

→ સંયુક્ત રાષ્ટ્રUિN)એ ઈ. સ. 1999ના વર્ષને “આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ” તરીકે તેમજ 1ઑક્ટોબરના દિવસને “વિશ્વ વૃદ્ધદિન” તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું.

→ ભારત સરકારે ઈ. સ. 1999માં વૃદ્ધો માટે “રાષ્ટ્રીય નીતિ’ નિશનલ પૉલિસી ફૉર ઓલ પરસનું જાહેર કરી છે.

→ સમાજ અને કાયદા દ્વારા જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવી વ્યક્તિ કે સમૂહની પ્રવૃત્તિને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય.

→ ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. વિશ્વબેંન્કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે “સાર્વજનિક હોદ્દાની વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે કાષ્ટાચાર.” ભારતમાં કેટલાંક જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે જોવા મળે છે.

→ ઈ. સ. 1984માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોનું મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું અને એ આરોપો સાચા જણાય તો ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવવાનું છે. ગુજરાતમાં આ સંસ્થાની કચેરી શાહીબાગ, અમદાવાદમાં આવેલી છે.

→ ભારત સરકારનો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ -1988 બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે.

→ કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ (RTI) 15 જૂન, 2005ના રોજ બહાર પાડ્યો છે. તે ભારતનાં જમ્મુ-કશ્મીર સિવાયનાં બધાં રાજ્યોને લાગુ પડે છે. ગુજરાત સરકારે પણ આ અધિનિયમની જોગવાઈઓને આધીન “ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો -2005′ 5 ઑક્ટોબર, 2005ના રોજ બહાર પાડ્યા છે.

→ કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં બાળકોને “મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો પ્રયદો-2009*(RTE-2009) અમલમાં મૂક્યો, જે કાયદા અનુસાર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ “બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર ક્યાં છે.

→ ભારતીય બંધારકૂના 80મા સુધારા મુજબ 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

GSEB Class 10 Social Science Notes Chapter 21 સામાજિક પરિવર્તન

→ ભારતીય બંધારણના અનુચ્છેદ 47માં કરેલી જોગવાઈ મુજબ રાજ્ય દેશના લોકોના પોષણક્ષમ આહારના સ્તરને અને જીવનધોરણને ઊંચું લાવવા તેમજ જનસુખાકારી અને લોકકલ્યાણમાં સુધારો કરવા ભારત સરકારે 5 જુલાઈ, 2013ના રોજ “રાષ્ટ્રીય અન સલામતી કાયદો-2018′ (RTE-2013) અમલમાં મૂક્યો છે.

→ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના કાયદા મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં અંત્યોદય કુટુંબોને, ગરીબીરેખાથી નીચે જીવન જીવતાં કુટુંબોને તથા મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ ગરીબ કુટુંબોને રાહતદરે અનાજ તથા અન્ય કેટલીક જરૂરિયાતો પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા “મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.

Leave a Comment

Your email address will not be published.