GSEB Class 10 Social Science Notes Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

This GSEB Class 10 Social Science Notes Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય Class 10 GSEB Notes

→ કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને “શિલ્પ” કહેવામાં આવે છે. આમ, આકાર બનાવવાની કલા ” શિલ્પકલા’ કહેવાય છે.

→ મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને “સ્થાપત્ય’ કહે છે.

→ પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે :

  • શાસક અધિકારીઓનો ગઢ (સિટલ)
  • અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને
  • સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર,

→ મોહેં-જો-દડોનો અર્થ ‘મરેલાંનો ટેકરો’ એવો થાય છે. નદીઓનાં પૂર અને ભેજથી બચવા માટે મોહેં-જો-દડનાં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે સામાન્ય વર્ગનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં.

→ મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી. મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી.

GSEB Class 10 Social Science Notes Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

→ મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્યના કોમ્બર તરીકે થતો હોવાનું મનાય છે,

→ ઈ. સ. 19માં સર જહોન માર્શલ અને કર્નલ મેંના નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી હતી. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા. તેથી સિંધુખીણની સંસ્કૃતિને ‘હડપ્પીય સંસ્કૃતિ’ કહે છે.

→ પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોય રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે.

→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

→ ‘સૂપ’ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો(કે એક અવશેષ)ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકારે ઈમારત. સમ્રાટ અશોના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છે :

  • સાંચીનો સ્તૂપ,
  • સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ,
  • બેરતનો સ્તૂપ,
  • નંદનગઢનો સ્તૂપ અને
  • દેવની મોરીનો સ્તુપ (સાબરકાંઠ).

→ સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફાવિહારો, મૈત્યો (ઉપાસના ગૃહ) અને તૂપોની ભેટ આપી છે.

→ સ્તંભલેખ એક જ શિલામાંથી – પથ્થરમાંથી કોતરીને, પસીપસીને ચળકાટ આપીને બનાવવામાં આવતા. મૌર્યસમ્રાટ અશોકની ધમશાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પ કલાના ઉત્તમ નમૂનાઓ છે. મૌર્યયુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય ભારત), કાશી, પટેના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા.

→ મૌર્યસમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાખંભ શિલ્પક્કાનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથના સ્તંભની મૅચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યા છે. સારનાથના સ્તંભના ધર્મચકને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે,

→ ગુજરાતમાં સમ્રાટ અશોક્ના સમયનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં – તળેટીમાં આવેલો છે.

→ ગુપ્તયુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે ક્લાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. આથી તે ભારતીય ક્ષાનો “સુવર્ણયુગ” કહેવાય છે.

→ દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડકાર તેમજ પંટાકાર ટોચવાળા છે. દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોઘવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા હતા.

→ સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે.

→ ખાપરા-કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી છે. ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે. ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ) અને ઉપરકોટ (જૂનાગઢ) ખાતે ત્રણ ગુફાસમૂહો તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે.

→ કાંચનું કૈલાસનાથનું મંદિર અને વૈકટપેરૂમલનું રથમંદિર ક્લા સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. પલ્લવ રાજાઓએ બનાવેલ મહાબલિપુરમ્’નો મંડપ (ગુફામંદિર) અને મહાબલિપુરના સાત રથનું મંદિર – આ બે રથમંદિરો વિશ્વવિખ્યાત છે. રથમંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ યુધિષ્ઠિરે)નું અને સૌથી નાનું દ્રૌપદીનું છે.

→ ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર અને મધ્ય પ્રદેશમાં
જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર પ્રસિદ્ધ છે.

→ દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોંડાનો સ્તુપ અને અમરાવતીનો સ્તુપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂનાઓ છે.

→ ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની મૂર્તિ પ્રખ્યાત છે.

→ ચોલવંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. તે ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.

→ પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દીવાલો તેમજ | ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ગોપુરમ્’ કહેવામાં આવે છે. કાંચી અને મદુરાનાં મંદિરો જોઈને કલારસિકો મંત્રમુગ્ધ બને છે. તાંજોરના બૃહદેશ્વર મંદિરને તેર . માળનું ‘ગોપુરમ્ છે.

→ ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં.

GSEB Class 10 Social Science Notes Chapter 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

→ રાજગૃહ(બિહાર)માં આ પાંચ જૈન મંદિરો આવેલાં છે:

  • વૈભાર
  • વિપુલાચલ
  • રત્નગિરિ
  • ઉદયગિરિ અને
  • શ્રમણગિરિ.

→ રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરનાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. માઉન્ટ આબુ પર દેલવાડામાં સોલંકી યુગમાં ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલ “વિમલ-વસહી’ અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ લૂણ-વસહી” નામનાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

→ ગુજરાતમાં મોઢેરા (મહેસાણા) ખાતે આવેલું સૂર્યમંદિર સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું.

→ દિલ્લીના સુલતાન કુતબુદીન ઐબકે દિલ્લીમાં “કુવ્રત-ઉલ-ઇસ્લામ’ અને અજમેરમાં “હાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પંઆ ખાતે અદીના મસ્જિદ, જલાલુદીન મુહમ્મદશાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું હતું. અટાલા મસ્જિદ જૌનપુર(ઉત્તર પ્રદેશ)માં સુકે સુલતાનોએ બંધાવી હતી.

→ ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બિજાપુર ખાતે આવેલું છે.

→ અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈ. સ. 1424માં અમદાવાદના સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી. મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી – મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદે નગીના) વગેરે મસ્જિદોનું નિર્માણ થયું હતું.

→ ગુજરાતમાં હઠીસિંગનાં જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિરિ પર આદેશ્વર ભગવાનનું મંદિર – પાલિતાણા વગેરે જૈન દેરાસરો (જૈનમંદિરો) શિલ્પ-સ્થાપત્યની દષ્ટિએ ઘણાં કલાત્મક છે.

→ ગુજરાતમાં અડાલજની વાવ, દાદા હરિની વાવ (અમદાવાદ), રાણકી (રાણીની) વાવ (પાટણ), ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.

Leave a Comment

Your email address will not be published.