GSEB Class 10 Social Science Notes Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

This GSEB Class 10 Social Science Notes Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતનો સાહિત્યિક વારસો Class 10 GSEB Notes

→ ભરતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે :

  • વૈદિક સાહિત્ય અને
  • પ્રશિષ્ટ સાહિત્ય.

→ સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’, ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ના નામે ઓળખવામાં આવે છે.

→ સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, વિવેચન વગેરે વિષયોની ભાષા હતી.

→ વેદો ચારે છે :

  • ત્રસ્વેદ
  • સામવેદ
  • યજુર્વેદ અને
  • અથર્વવેદ.

→ વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં આયોંની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ સામવેદ ઋગ્વદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે, એ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તેથી સામવેદ સંગીતની ગંગોત્રી’ કહેવાય છે.

→ યજુર્વેદમાં વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે.

GSEB Class 10 Social Science Notes Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

→ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.

→ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી – યકાઓનો બ્રાહ્મણગ્રંથોમાં સમાવેશ થાય છે.

→ આર્યોએ અરણ્યમાં -વનમાં, આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રચેલા તત્ત્વજ્ઞાનથી સભર એવા સાહિત્યને “આરણ્યકો’ કહે છે.

→ ભારતનાં મુખ્ય બે મહાકાવ્યો : (1) રામાયણ અને (2) મહાભારત.

→ મહાભારતના “શ્રીમદ્દભગવદ્ગીતા’માં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ – આ ત્રણ મોક્ષપ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે.

→ સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવવામાં આવ્યાં છે.

→ કાલિદાસ, ભવભૂતિ, માધ, ભારવિ, ભર્તુહરિ, બાણભટ્ટ વગેરે ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો છે.

→ ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘તુસંહાર’ વગેરે મહાકવિ કાલિદાસની ઉત્કૃષ્ટ નાટ્યરૌલીના શ્રેષ્ઠ ગ્રંથો છે.

→ ‘સુત્ત (સૂત્ર) પિટક”, ‘વિનય પિટક” અને ‘અભિધમ્મ પિટક’ – એ ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો છે.

→ પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો. ‘શીલપ્પતિકાર અને ‘મલિમેખલાઈ” એ બે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.

→ મધ્યયુગમાં કશ્મીરમાં સોમદેવે ‘કથાસરિતસાગર’ અને કઠ્ઠણે ‘રાજતરંગિણી’ નામના બે ગ્રંથો લખ્યા.

→ કશ્મીરના ઇતિહાસને આલેખતો હણનો “રાજતરંગિણી’ નામનો ગ્રંથ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.

→ કવિ જયદેવરચિત “ગીતગોવિંદ’ નામનો કાવ્યસંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિસુંદર કાવ્યગ્રંથ છે. ચંદબરદાઈરચિત “પૃથ્વીરાજરાસો’ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.

→ પંપા, પોના અને રન્ના – એ ત્રણ કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ’ તરીકે ઓળખવામાં આવે છે.

→ “જ” અને “ખડીબોલી’ – એ હિંદી ભાષાનાં બે સ્વરૂપો છે.

→ મુલ્લા દાઉદરચિત “ચંદ્રાયન’ ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે.

→ આહા, ઉદલ, બીસલદેવરાસો વગેરે રાજસ્થાની ભાષાની પ્રખ્યાત વીરગાથાઓ છે.

→ અમીર ખુશરો દિલ્લી સલ્તનત સમયનો મહાન સાહિત્યકાર હતો. આસિકા’, ‘નૂહ’, ‘સિપિહર’ અને ‘કિરાતુલ-સાયન’ – એ અમીર ખુશરોની મહત્ત્વની કૃતિઓ છે.

→ તુલસીદાસ અને સૂરદાસ મધ્યયુગના હિંદી ભાષાના મહાન સાહિત્યકારો હતા. તુલસીદાસે અવધિ ભાષામાં “રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. ભોજપુરી અને અવધી એ બે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે.

GSEB Class 10 Social Science Notes Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

→ મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્ય, ગુજરાતીમાં નરસિંહ મહેતાએ અને મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિગીતો રચ્યાં.

→ “આમુક્તમાલ્યદા’ ગ્રંથની રચના વિજયનગરના મહાન સમ્રાટ – કૃષ્ણદેવરાયે કરી હતી.

→ અબુલ ફઝલે “આમને-અકબરી” અને “અકબરનામા’ નામનાં બે પુસ્તકો લખ્યાં. આમને-અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્યચારો, ધર્મ, દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનનાં લગભગ તમામ પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ મુઘલ બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, “શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી.

→ મધ્યયુગ દરમિયાન વલી, મરદર્દ, મરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થઈ ગયા હતા.

→ નાલંદા વિશ્વવિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી હતી. નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર આવેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.

→ નાલંદા વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શૈક્તમ ગણાતાં ગ્રંથાલયો હતાં. અર્ટીનો ગ્રંથાલયવાળો વિસ્તાર “ધર્મગજ’ નામે ઓળખાતો હતો. ચીની પ્રવાસી યુએન-શવાંગે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. ઈ. સ. 5મીથી 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ અને પ્રસિદ્ધિ રહી હતી.

→ તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. આ વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગાજવિધા, ધનુર્વિઘા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિઘા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષા આપવામાં આવતું હતું.

→ વૈટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલ રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. વારાણસી(કાશી)ના રાજકુમારો તક્ષશિલા વિદ્યાપીઠમાં જ શિક્ષક્ષ લેતા હતા.

→ 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

→ યાત્રાધામ વારાજ્ઞસી (કાશી) ઈ. સ. પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્ત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા.

→ ભગવાન બુદ્ધ, આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલભાચાર્યજી વગેરે માટે વારાણસી(કાશી)નું મહત્ત્વ ઘણું હતું.

→ સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો.

→ વલભી વિદ્યાપીઠ ઈ. સ.ના 7મા સૈકામાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું. તે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. વલભી વિદ્યાપીઠને વિશાળ અને અતિ સમૃદ્ધ બનાવવામાં મૈત્રક વંશના એ સમયના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.

→ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા.

GSEB Class 10 Social Science Notes Chapter 4 ભારતનો સાહિત્યિક વારસો

→ વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. મૈત્રક વંશના રાજવીઓ સનાતની હોવા છતાં તેઓ મહાન આશ્રયદાતાઓ હતા.

→ વલભી વિદ્યાપીઠમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. ખરેખર, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.

→ ચીની પ્રવાસી ઇન્સિંગ વલભી વિદ્યાપીઠથી પ્રભાવિત બન્યો હતો.

→ નાલંદા, તક્ષશિલા, વલભી, વારાણસી (કાશી) વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી.

Leave a Comment

Your email address will not be published.