GSEB Class 9 Social Science Notes Chapter 16 આબોહવા

This GSEB Class 9 Social Science Notes Chapter 16 આબોહવા covers all the important topics and concepts as mentioned in the chapter.

આબોહવા Class 9 GSEB Notes

→ આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ,

→ હવામાન એટલે કોઈ પણ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ,

→ હવામાનનો આધાર મુખ્ય રૂપે હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનોની દિશા અને વેગ, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, ઝાકળા, વાદળાં વગેરે પર રહેલો છે.

→ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. એશિયા ખંડમાં મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર છે.

→ પૃથ્વી પોતાની ધરી પર 23.5નો અને ક્ષાની સાથે ઉ6.5નો ખૂણો બનાવે છે. 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર લંબ પડે છે. છે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું હોવાથી ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. તેથી ભારતના જુદા જુદા ભાગોમાં આવેલાં સ્થળોના તાપમાનમાં ઘણો મોટો તફાવત નોંધાય છે.

GSEB Class 9 Social Science Notes Chapter 16 આબોહવા

→ ભારતની ઉત્તરે આવેલા લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં – 45 સે જેટલું નીચું જાય છે, જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગર અને અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 સે જેટલું ઊંચું નોંધાયેલું છે. ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા મેધાલયના ચેરાપુંજીમાં વાર્ષિક 1200 સેમી વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ચેરાપુંજીથી 16 કિમી દૂર આવેલું મૌસિનરમ ચોવીસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતું બન્યું છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશમાં વાર્ષિક માત્ર 10થી 12 સેમી વરસાદ પડે છે.

→ ભારતની આબોહવાને અસર કરતાં પરિબળો અક્ષાંશ વિષુવવૃત્તથી અંત૨), સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાલ અને પવનો છે. & સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1°સે અથવા 1000 મીટરે 6.5 સે જેટલું તાપમાન ઘટે છે,

→ ભારતની આબોહવાને દૂરના પ્રદેશોની જેટ સ્ટીમ, પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીઝ), અલનીનો, આઈ. ટી. સી. ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે. દભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ ગણાય છે : હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષ અને શરદ.

→ ભારત સરકારની દિલ્લી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની ઋતુઓને ચાર વિભાગમાં વર્ગીકૃત કરી છે :

  • શિયાળો – ડિસેમ્બરથી ફેબ્રુઆરી
  • ઉનાળો – માર્ચથી મે
  • ચોમાસું – જૂનથી સપ્ટેમ્બર તથા
  • પાછા ફરતા મોસમી પવનોની તુ- ઑક્ટોબર અને નવેમ્બર.

→ શિયાળાના મહિના દરમિયાન ભારત પર સૂર્યનાં કિરણો ત્રાંસા પડતાં હોવાથી ઘણી ઓછી ગરમી પડે છે. આ સમય દરમિયાન મધ્ય એશિયામાંથી ઉત્તર-પૂર્વીય પવનો વાય છે. તે સૂકા અને ઠંડ હોય છે. તેથી દેશમાં હવામાન સૂકું રહે છે. સમુદ્રથી વધુ દૂર હોવાથી ઉત્તર-પૂર્વ ભારતમાં ખૂબ ઠંડી પડે છે. હિમાલયમાં થતી હિમવર્ષાથી ઉત્તર ભારતનાં મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. શિયાળામાં હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયાથી આવતા અત્યંત ઠંડા પવનો રોકે છે. તેથી ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઘરબિંદુથી નીચું જતું નથી,

→ ઉત્તર-પૂર્વીય પવનો તમિલનાડુના કોરોમંડલ તટીય ક્ષેત્રમાં બંગાળની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા બને છે, જે તમિલનાડુમાં વરસાદ આપે છે.

→ માર્ચથી મે દરમિયાન સૂર્ય વધુ ને વધુ ઉત્તર તરફ ખસે છે. આથી ભારતમાં ઉનાળો હોય છે. માર્ચથી દક્ષિણ ભારતનું અધિકતમ તાપમાન 40 °સેની આસપાસ પહોંચી જાય છે. એપ્રિલ-મે મહિનાઓમાં મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી વધુ ગરમી પડે છે. અહીં કેટલાંક સ્થળોનું તાપમાન 40થી 45 °સે સુધી પહોંચી જાય છે. દ્વીપકલ્પીય ભારતમાં સમુદ્રની સમીપતા અને ઉચ્ચપ્રદેશની ઊંચાઈને લીધે તાપમાન બહુ ઊંચું જતું નથી.

→ મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરી પાકવામાં મદદરૂપ થતો હોવાથી “આમ્રવૃષ્ટિ’ કહેવાય છે. તે કૉફીના પાકને પણ ફાયદાકારક છે.

→ ભારતીય દ્વીપકલ્પ નેત્યકોણીય મોસમી પવનોને બે શાખાઓમાં વહેંચી દે છે : અરબ સાગરની શાખા અને બંગાળની ખાડીની શાખા. અરબ સાગરની શાખાના માર્ગમાં પશ્ચિમધાટ અવરોધરૂપ બનતાં તેના વાતાભિમુખ ઢોળાવો પર 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે. આ પવનો પશ્ચિમધાટની વાતવિમુખ બાજુએ આગળ જતાં ઓછો વરસાદ આપે છે.

→ અરબ સાગરની એક શાખા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ થઈને રાજસ્થાન સુધી પહોંચે છે. તે માર્ગમાં પણ ઓછો વરસાદ આપે છે. રાજસ્થાનના રણપ્રદેશમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે,

→ બંગાળની ખાડીની એક શાખા પશ્ચિમ બંગાળ થઈને મેઘાલય જાય છે. મેઘાલયમાં ખાસી ટેકરીઓમાં આવેલાં ચેરાપુંજી અને મૌસિનરમમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. સૂફ મોસમી પવનોની સાથે બંગાળની ખાડી અને અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો વર્ષાઋતુને વધુ તીવ્ર બનાવે છે.

GSEB Class 9 Social Science Notes Chapter 16 આબોહવા

→ મોસમી પવનોની સાથે “વરસાદના ક્રમભંગ’ની ઘટના સંકળાયેલી છે. વરસાદ પડવાના અને નહિ પડવાના સમયગાળાઓ વારાફરતી આવ્યા કરે છે. નથી.

→ ભારતની પ્રાકૃતિક રચનામાં ઘણું વૈવિધ્ય છે. તેને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. દા. ત., અસમ અને મેઘાલયમાં ખૂબ વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશમાં અને કાશ્મીરના લેહમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે.

→ ઑક્ટોબર અને નવેમ્બર માસમાં ભારતમાં હળવા દબાણનું ક્ષેત્ર નબળું પડે છે અને તેના સ્થાને ક્રમશઃ ભારે દબાણનું ક્ષેત્ર રચાય છે. આથી મોસમી પવનો ભારતના ભૂમિ-ભાગો પરથી સમુદ્રો તરફ વાય છે. તેથી આ ઋતુ “પાછા ફરતા મોસમી પવનોની ઋતુ” કહેવાય છે. ભેજવાળી જમીન, સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન તેનાં પૂર્વલક્ષણો છે. ઊંચા તાપમાન અને ભેજને લીધે દિવસનું તાપમાન અકળાવનારું રહે છે. તેને “ઑક્ટોબર હિીટ’ કે ભાદરવી તાપ” કહે છે.

→ મોસમી પવનોની અનિયમિતતા અને અનિશ્ચિતતાની અસરો ભારતની આબોહવા પર અને લોકોનાં ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતપ્રવૃત્તિ પર પડે છે. પણ

→ આબોહવાની માનવજીવન પર અસરોઃ

  • સિંચાઈની સગવડો વિનાના વિસ્તારોમાં માત્ર વરસાદના આધારે એક જ પાક લઈ શકાય છે
  • પાકોને યોગ્ય સમયે વરસાદી પાણી મળતું ન હોવાથી બિયારણ નિષ્ફળ જાય છે કે પાક બળી જાય છે.
  • અતિવૃષ્ટિ થવાથી પાકો નાશ પામે છે.
  • પૂરથી જમીનનું ધોવાણ થતાં જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. લાંબા ગાળે ખેત-ઉત્પાદન ઘટી જાય છે.
  • વર્ષાઋતુ પછી ખેતમજૂરો બેકાર બને છે, તેથી તેમની આજીવિકાનો પ્રશ્ન વિકટ બને છે. તેઓ રોજગારી માટે શહેરો તરફ સ્થળાંતર કરે છે.
  • વરસાદની અનિશ્ચિતતાથી કાચો માલ ન મળવાથી ખેત આધારિત ઉદ્યોગોને સહન કરવું પડે છે.
  • અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા વિકટ બને છે. રણવિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારીભર્યું બને છે.

Leave a Comment

Your email address will not be published.