GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

આપણી આસપાસમાં દ્રવ્ય Class 9 GSEB Solutions Science Chapter 1

GSEB Class 9 Science આપણી આસપાસમાં દ્રવ્ય Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો : [2 ગુણ]
(a) 293 K (b) 470 K
ઉત્તર :
(a) 293 K-273 = 20 °C
(b) 470 K-273 = 197 °C

પ્રશ્ન 2.
નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો :
(a) 25 °C
ઉત્તર :
25 °C + 273 = 298 K

(b) 873°C
ઉત્તર :
373 °C + 273 = 646 K

પ્રશ્ન 3.
નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો [2 ગુણ].
(a) નૈશ્કેલીનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ (Residue) છોડ્યા વિના જ અદશ્ય થઈ જાય છે.
ઉત્તર :
ઝૂંથેલીન એ ઊર્ધ્વપતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને જ તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર સ્વતઃ થાય છે. આથી ગૂંથેલીનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદશ્ય થઈ જાય છે.

(b) આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા અંતર સુધી આવે છે.
ઉત્તર :
અત્તર એ (અતિ) બાષ્પશીલ પ્રવાહી છે. આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના અણુઓની ગતિ ઊર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે (પ્રસરી શકે) છે. તેથી આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા અંતર સુધી આવે છે.

પ્રશ્ન 4.
નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો :
પાણી, ખાંડ, ઑક્સિજન
ઉત્તર :
ઑક્સિજન < પાણી < ખાંડ

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રશ્ન 5.
નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે?
(a) 25°C
(b) 0°C
(c) 100°C
ઉત્તર :

તાપમાન ભૌતિક અવસ્થા
(a) 25 °C પ્રવાહી
(b) 0°C ઘન અને પ્રવાહી
(c) 100 °C પ્રવાહી અને વાયુ

પ્રશ્ન 6.
નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો :
(a) પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે.
ઉત્તર :
ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. પાણીને ચોક્કસ આકાર હોતો નથી. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે.

(b) લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે.
ઉત્તર :
લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી. તે અદબનીય તેમજ દઢ છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે.

પ્રશ્ન 7.
273 K તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી 2 કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે?
ઉત્તર :
273 K તાપમાને બરફના કણોની ઊર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 8.
ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં ? વધુ માલૂમ પડે છે?
ઉત્તર :
ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા વરાળમાં = વધુ માલૂમ પડે છે.

પ્રશ્ન 9.
નીચે દર્શાવેલ આકૃતિ માટે A, B, C, D, E તથા ૨ ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો :
GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 1
ઉત્તર :
(A) ગલન
(B) બાષ્પીભવન
(C) સંઘનન
(D) ઘનીકરણ
(E) ઊર્ધ્વપાતન
(F) બાષ્પનું ઘનીકરણ (ઊર્ધ્વપાતન).

GSEB Class 9 Science આપણી આસપાસમાં દ્રવ્ય Intext Questions and Answers

Intext પ્રશ્નોતર (પા.પુ. પાના નં. ૩)

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયાં દ્રવ્યો છે? ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડું છું પણું, અત્તરની સુગંધ
ઉત્તરઃ
ખુરશી, હવા, બદામ, ઠંડું પીણું અને અત્તરની સુગંધ દ્રવ્યો છે.

પ્રશ્ન 2.
નીચેના અવલોકન માટેનું કારણ આપોઃ
ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે.
ઉત્તર:
ગરમ ખોરાકની સોડમ (વાસ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે. – જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ (વાસ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે, કારણ કે અહીં કણોની ગતિ ઊર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ ધીમું થાય છે.

પ્રશ્ન 3.
તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે?
ઉત્તર :
દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન (અવકાશ) હોય છે તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીં, દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે છે.

પ્રશ્ન 4.
દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે?
ઉત્તર :
દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

  • દ્રવ્યના કણો અતિસૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે.
  • દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો (અવકાશ) રહેલાં હોય છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે.
  • દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે.
  • દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે.

Intext પ્રશ્નોત્તર [ પા.પુ. પાના નં. 6),

પ્રશ્ન 1.
પદાર્થના પ્રતિએકમ કદના દળને તેની ઘનતા કહે છે. (ઘનતા = દળ / કદ). નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો :
હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચૉક, રૂ અને લોખંડ
ઉત્તર :
હવા < ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ < પાણી < મધ < ચૉક < લોખંડ

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રશ્ન 2.
(a) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો.
(b) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો :
સખતાઈ (Rigidity), સંકોચનીયતા (Compressibility), તરલતા (Fluidity), પાત્રમાં વાયુને ભરવો, આકાર, ગતિ ઊર્જા (Kinetic Energy) તેમજ ઘનતા.
ઉત્તર :
(a) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર નીચેના કોષ્ટકમાં દર્શાવ્યો છે :
GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 2

(b) સખતાઈઃ પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખતાઈ કહે છે.
સંકોચનીયતાઃ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બાહ્ય બળ લગાડતાં આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા (દબનીયતા) કહે છે.
તરલતા દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે. પાત્રમાં વાયુને ભરવોઃ વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે. આ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે. આકારઃ ઘન અવસ્થામાં મહત્તમ આંતરઆણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ગતિ ઊર્જા દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઊર્જાને ગતિ ઊર્જા કહે છે. ઘનતા પદાર્થના પ્રતિએકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા = \(\frac{દળ}{કદ}\)

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 9)

પ્રશ્ન 1.
નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવોઃ
(a) 300 K
(b) 573K
ઉત્તર :
(a) 300 K-273 = 27°C.
(b) 573K-273 = 300°C

પ્રશ્ન 2.
નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે?
(a) 250°C
(b) 100 °C
ઉત્તર :
(a) 250 °C તાપમાને પાણી બાષ્પ સ્વરૂપે છે.
(b) 100°C તાપમાને પાણી પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે છે.

પ્રશ્ન 3.
કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે?
ઉત્તરઃ
કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઊર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઊર્જાને શોષી લે છે. આ ઊર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. આમ, ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે.

પ્રશ્ન 4.
વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો.
ઉત્તરઃ
વાતાવરણીય વાયુઓનું બંધપાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ થઈ શકે છે

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 10]

પ્રશ્ન 1.
ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે?
ઉત્તર :
ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે.

પ્રશ્ન 2.
ઉનાળામાં માટલા(ઘડા)નું પાણી શા માટે ઠંડું હોય છે?
ઉત્તર :
માટલા(ઘડા)ની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા(ઘડા)નું પાણી ઠંડું હોય છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રશ્ન 3.
એસિટોન / પેટ્રોલ અત્તર / સ્પિરિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે?
ઉત્તર :
એસિટોન / પેટ્રોલ અત્તર / સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે. આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઊર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે. જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે.

પ્રશ્ન 4.
કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબી| (પ્લેટ)માં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે?
ઉત્તર :
સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતાં બાષ્પીભવનનો દર વધે છે. આમ, કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલા ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ.

પ્રશ્ન 5.
ઉનાળામાં આપણે કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ? શા માટે?
ઉત્તર :
ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળા(ગરમીના દિવસો)માં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક (શીતળતા) મળે છે. જેમ કે, આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન-ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્માઊર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે. જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જોકે સુતરાઉ કપડાંમાં પાણીનું અવશોષણ વધુ થાય છે. તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં = સરળતાથી બાષ્પીભવન પામે છે.

પ્રશ્ન 6.
કેટલીક માપનયોગ્ય ભૌતિક રાશિઓ અને તેના એકમો, સંજ્ઞાઓ જણાવો.
ઉત્તર :
કેટલીક માપનયોગ્ય ભૌતિક રાશિઓ અને તેના એકમો. – સંજ્ઞાઓ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે :

ભૌતિક રાશિ એકમ સંજ્ઞા
તાપમાન કેલ્વિન K
લંબાઈ મીટર m
દળ કિલોગ્રામ Kg
બળ ન્યૂટન N
કદી મીટર3 m3
ઘનતા કિલોગ્રામ પ્રતિમીટર3 kg m-3
દબાણ પાસ્કલ. Pa

પ્રશ્ન 7.
પ્લાઝમા એટલે શું? સમજાવો.
ઉત્તર :
પ્લાઝમા : આ અવસ્થા અતિશય ઊર્જાવાળા તેમજ અતિ = ઉત્તેજિત કણો ધરાવે છે. આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં = હોય છે. ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝમા હોય – છે. નિયોન બલ્બમાં નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યૂબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલ હોય છે. વિદ્યુતઊર્જા પસાર કરવાથી વાયુ આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ કરે છે. વીજભાર ગ્રહણ કરવાને લીધે ટ્યૂબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝમા તૈયાર થાય છે. : વાયુના સ્વભાવ અનુસાર પ્લાઝમામાં એક વિશેષ રંગ પ્રકાશિત થાય – છે. પ્લાઝમાના કારણે જ સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે. સૂર્ય – અને તારાઓમાં પ્લાઝમા ઉત્પન્ન થવાનું કારણ તેમનું ઘણું જ ઊંચું તાપમાન છે.

પ્રશ્ન 8.
બોઝ-આઈન્સ્ટાઇન સંઘટક વિશે સમજૂતી આપો.
ઉત્તર :
1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ – દ્રવ્યની પાંચમી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરી. તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઇને દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાકથન કર્યું, જેને બોઝ-આઈન્સ્ટાઇન સંઘટક (BEC) કહે છે. 2001માં અમેરિકાના એરિક એ. કોર્નેલ, વુલ્ફગેંગ કેટરલ અને કાલે ઈ. વાઈમૅનને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકની શોધ કરવા માટે ભૌતિક વિજ્ઞાનનું નૉબેલ પારિતોષિક આપવામાં આવ્યું. હવાની સામાન્ય ઘનતાના – એક લાખમા ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી BEC તૈયાર થાય છે. www.chem4kids.com વેબસાઇટ પરથી દ્રવ્યની ચોથી અને પાંચમી અવસ્થા વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકશો.

GSEB Class 9 Science આપણી આસપાસમાં દ્રવ્ય Textbook Activities

પ્રવૃત્તિ 1.1 [પા.પુ. પાના નં 1]

હેતુ : દ્રવ્ય સતત કણોનું બનેલું છે.

  • 100 mLનું એક બીકર લો.
  • તેને પાણીથી અડધું ભરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો.
  • તેમાં થોડી ખાંડ અથવા મીઠું નાખીને કાચના સળિયા વડે હલાવીને ઓગાળો.
  • પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહિ તેનું અવલોકન કરો.
  • આકૃતિ 1.1માં ચમચીમાં લીધેલ ખાંડ અથવા મીઠું સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 3
[આકૃતિ : જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેનાં ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ (ગોઠવાઈ) જાય છે.]

1. તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠાનું શું થયું હશે?
ઉત્તર :
બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠું પાણીમાં ઓગળી (દ્રાવ્ય) ગયું છે.

2. તે ક્યાં અદશ્ય થઈ ગયા?
ઉત્તર :
ખાંડ અથવા મીઠાના કણો પાણીના અણુઓ વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ ગયા.

3. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે?
ઉત્તર :
પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. નિષ્કર્ષ દ્રવ્ય સતત કણોનું બનેલું છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રવૃત્તિ 1.2 [પા.પુ. પાના નં. 1-2]

હેતુ દ્રવ્ય અંતિસૂક્ષ્મ કણોનું બનેલું હોય છે.

  • પોટેશિયમ પરમેંગેનેટ (KMnO4) સ્ફટિકના બે-ત્રણ કણ લઈ તેને 3 100 mL પાણીમાં ઓગાળો.
  • આ દ્રાવણમાંથી આશરે 10 mL દ્રાવણ લઈ તેને 90 mL શુદ્ધ પાણીમાં ઉમેરો.
  • આ રીતે તૈયાર કરેલા દ્રાવણમાંથી ફરીથી 10 mL દ્રાવણ લઈ
  • તેને 90 mL શુદ્ધ પાણીમાં ઉમેરો.
  • આ જ રીતે દ્રાવણને પાંચથી આઠ વખત મંદ બનાવો.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 4
1. શું હજુ પાણી રંગીન રહે છે?
ઉત્તર : પાણીને ગમે તેટલું મંદ કરવા છતાં પણ તે રંગીન જ રહે છે. નિષ્કર્ષ દ્રવ્ય અતિસૂક્ષ્મ કણોનું બનેલું હોય છે.

પ્રવૃત્તિ 1.3 [પા.પુ. પાના નં.2]

હેતુ દ્રવ્યના કણો સતત ગતિશીલ છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 5
તમારા વર્ગના કોઈ એક ખૂણામાં થોડા સમય પહેલાં બુઝાયેલી અગરબત્તી મૂકો.

1. તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે?
ઉત્તર :
બુઝાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ નજીક જવું પડે.

2. જો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે? શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે?
ઉત્તર :
અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળે છે.

નિષ્કર્ષ દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. તાપમાન વધતાં તેમની ગતિમાં વધારો થાય છે.

પ્રવૃત્તિ 1.4 [પા.પુ. પાના નં. 2]

હેતુઃ જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે લાગતો સમય સમાન હોતો નથી.

  • બે બીકરમાં સમાન કદ ધરાવતું પાણી લો.
  • એક બીકરમાં ભૂરી | લાલ શાહીનું એક ટીપું બીકરની દીવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો.
  • બીજા વીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું બીકરની દીવાલ બાજુથી ઉમેરો.
  • ત્યારબાદ બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર | વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકો.

અવલોકન :

  1. જે બીકરમાં ભૂરી | લાલ શાહીનું ટીપું ઉમેર્યું હતું, તેમાં શાહીનું ઝડપથી પ્રસરણ થાય છે.
  2. જે બીકરમાં મધનું ટીપું ઉમેર્યું હતું, તેમાં મધનું ઝડપથી પ્રસરણ થતું નથી.

નિષ્કર્ષ : જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે.

પ્રવૃત્તિ 1.5 [પા.પુ. પાના નં 2]

હેતુ તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે. (પ્રસરણ તાપમાન પર આધાર રાખે છે.)
પ્રવૃત્તિ:

  • ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કૉપર સલ્ફટ (CuSO) અથવા પોટેશિયમ પરમેંગેનેટ
  • (KMnO4) સ્ફટિકનો એક કણ ઉમેરી, તેને એક બાજુ મૂકી રાખો. દ્રાવણને હલાવશો નહિ. સ્ફટિકને તળિયે બેસવા દો.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 6
1. પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે?
ઉત્તર :
ઘન સ્ફટિક કણનું પ્રસરણ થવાનું શરૂ થાય છે.

2. સમય પસાર થતાં શું થાય છે?
ઉત્તર :
જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ પ્રસરણ થાય છે.

3. તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શો ખ્યાલ આવે છે?
ઉત્તર :
થોડા સમય બાદ પ્રવાહી કણોમાં ઘન કણો મિશ્ર થઈ જાય છે.

4. શું તાપમાન બદલાતાં મિશ્ર થવાનો દર બદલાય છે? કેવી રીતે? શા માટે?
ઉત્તર :
તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. આથી મિશ્ર થવાનો દર વધે છે.

નિષ્કર્ષઃ તાપમાન વધતાં કણોની ગતિ ઊર્જા વધે છે. આથી પ્રસરણ માટે લાગતો સમય ઘટે છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રવૃત્તિ 1.6 [પા.પુ. પાના નં.3]

  • આકૃતિ 1.5માં દર્શાવેલ રમતને કોઈ મેદાનમાં રમો. નીચે દર્શાવ્યા પ્રમાણે ચાર જૂથ બનાવી માનવસાંકળ રચો.
  • પ્રથમ જૂથ ઇદુ મિશ્મી નૃત્યની માફક પાછળની બાજુએથી એકબીજાનો હાથ પકડી માનવસાંકળ રચશે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 7
ઇદુ મિક્ષ્મી નૃત્ય]’

  • બીજું જૂથ એકબીજાના હાથ પકડીને માનવસાંકળ રચશે.
  • ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીનાં ટેરવાંના સ્પર્શથી માનવસાંકળ રચશે.
  • ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળોને એક પછી એક તોડીને શક્ય તેટલાં નાનાં જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે.

1. કયું જૂથ સરળતાથી તૂટ્યું હશે? શા માટે?
ઉત્તર :
ત્રીજું જૂથ સરળતાથી તૂટ્યું હશે, કારણ કે તેઓ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ બળ દ્વારા જોડાયેલા છે.

2. જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ, તો કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે?
ઉત્તર :
પ્રથમ જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે.

પ્રવૃત્તિ 1.7 [પા.પુ. પાના નં. 3]

  • એક લોખંડની ખીલી, ચૉકનો ટુકડો અને રબર-બૅન્ડ લો.
  • તેને હથોડી વડે પ્રહાર કરીને, કાપીને અથવા ખેંચીને તોડવાનો પ્રયાસ કરો.

1. ઉપર્યુક્ત ત્રણેય પદાર્થો પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા હશે?
ઉત્તર :
ત્રણેય પદાર્થો પૈકી લોખંડની ખીલીમાં કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા છે.

પ્રવૃત્તિ 1.8 [પા.પુ. પાના નં. 3]

પાણીનો નળ ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો.

1. શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય છે?
ઉત્તર :
પાણીનો પ્રવાહ આંગળી વડે ના અટકાવી શકાય.

2. પાણીનો પ્રવાહ શા માટે અટકાવી શકાતો નથી?
ઉત્તર :
કારણ કે પાણીના અણુ-અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે.

પ્રવૃત્તિ 1.9 [પા.પુ. પાના નં.43]

હેતુઃ ઘન અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવો.

  • નીચે દર્શાવેલી વસ્તુઓ એકત્રિત કરોઃ પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો.
  • ઉપર્યુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી, તેની ફરતે પેન્સિલ વડે તેના આકારનું રેખાચિત્ર બનાવો.

1. શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, સીમા અને કદ હોય છે?
ઉત્તર :
હા, આ દરેક વસ્તુ ચોક્કસ આકાર, સીમા અને કદ ધરાવે છે.

2. તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી 3 શું થાય છે?
ઉત્તર :
તેઓનો મૂળભૂત આકાર બદલાતો નથી.

3. શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે?
ઉત્તરઃ
ના, આ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય નથી.

4. બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો કે દબાવવાનો પ્રયાસ કરો. શું તેનું સંકોચન થઈ શકે છે?
ઉત્તરઃ
આ વસ્તુઓનું સંકોચન લગભગ અશક્ય છે.

પ્રવૃત્તિ 1.10 [પા.પુ. પાના નં. 4]

હેતુ પ્રવાહી અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવો.

  • નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો:
  • (અ) પાણી, ખોરાક રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ (રસ) અને ઠંડું પીણું
  • (બ) પ્રયોગશાળામાં માપન નળાકાર(Measuring Cylinder)ની મદદથી જુદાં જુદાં આકારનાં પાત્રો(વાસણો)માં 50 mL કદ પર નિશાન કરો.

1. આ પ્રવાહીઓને ભોંયતળિયે ઢોળી દેવાથી શું થશે?
ઉત્તર :
ભોંયતળિયા પર પ્રવાહી ફેલાઈ જાય છે.

2. કોઈ એક પ્રવાહીનું 50 mL કદ લઈ જુદાં જુદાં આકારનાં પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે?
ઉત્તર :
પ્રવાહીનું કદ દરેક વખતે એકસમાન જ રહે છે.

3. શું પ્રવાહીનો આકાર એકસમાન જળવાઈ રહે છે?
ઉત્તર :
ના. પ્રવાહીનો આકાર પાત્રના આકાર પ્રમાણેનો થાય છે. એકસમાન જળવાઈ રહેતો નથી.

4. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતાં તે સરળતાથી વહન પામે છે?
ઉત્તર :
હા. પ્રવાહી સરળતાથી વહન પામે છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રવૃત્તિ 1.11 [પા.પુ. પાના નં. 5]

હેતુ : વાયુ અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરવો.

  • 100 mLની ત્રણ સિરિંજ લો અને તેના શીર્ષ (અગ્ર) ભાગને રબરના બૂચથી બંધ કરી દો. (આકૃતિ 1.6માં દર્શાવ્યા મુજબ)
  • દરેક સિરિજના પિસ્ટનને દૂર કરો.
  • પ્રથમ સિરિંજમાં હવા રહેવા દો, બીજીમાં સામાન્ય ક્ષાર અને ત્રીજીમાં પાણી ભરો.
  • પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો. સિરિજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી (વૈસેલાઇન) લગાવો.
  • દરેક પિસ્ટનને સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 8

1. તમે શું જોયું? કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે?
ઉત્તર :
જે સિરિંજમાં હવા (વાયુ) ભરેલી છે, તેમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે.

2. તમારા અવલોકન પરથી તમે શું તારણ નક્કી કર્યું?
ઉત્તર :
વાયુ અવસ્થા સરળતાથી દબનીય છે.

પ્રવૃત્તિ 1.12 [પા.પુ. પાના નં. 6]

  • એક બીકરમાં 150 g બરફના ટુકડા લઈ આકૃતિ (a)માં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થરમૉમીટર એવી રીતે ગોઠવો કે જેથી થરમૉમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે.
  • ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો.
  • જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો.
  • જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી (પ્રવાહી સ્વરૂપ)માં રૂપાંતરિત થઈ
  • જાય ત્યારે ફરી વાર તાપમાન નોંધી લો.
  • ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો.

નિષ્કર્ષ: બરફ 0°C તાપમાને પીગળવા માંડે છે તથા 0°C તાપમાને બરફ સંપૂર્ણ રીતે પાણીમાં રૂપાંતરિત થાય છે. લોખંડનું સ્ટેન્ડ
GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 9
(a) : બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા.

હવે, આકૃતિ (b)માં દર્શાવ્યા મુજબ બીકરમાં એક કાચનો સળિયો (Glass Rod) રાખીને તેના દ્વારા હલાવતાં હલાવતાં પાણી ઊકળે ત્યાં સુધી તેને ગરમ કરો.
GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 10
(b) : પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા

  • જ્યાં સુધી મોટા ભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થરમૉમીટરના તાપમાન પર નજર રાખો.
  • પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકનો નોંધો.

નિષ્કર્ષ : પાણીનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર 100 °C તાપમાને થાય છે.

પ્રવૃત્તિ 1.13 [પા.પુ. પાના નં. 8]

હેતુ ઊર્ધ્વપતન પામતા પદાર્થનો અભ્યાસ કરવો.

  • થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ (નવસાર) લો. તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડિશમાં મૂકો.
  • એક કાચની ગળણીને ઊંધી કરીને આ વાસણ પર મૂકી દો.
  • આ ગળણીના છેડે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું લગાવો.
  • હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય 11
એમોનિયમ ક્લોરાઇડનું ઊદર્વપાતન (Sublimation)

1. ઉપર્યુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા?
નિષ્કર્ષ :
ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના સીધેસીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડું પાડતાં ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને (અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને) ઊર્ધ્વપાતન (Sublimation) કહે છે.

GSEB Solutions Class 9 Science Chapter 1 આપણી આસપાસમાં દ્રવ્ય

પ્રવૃત્તિ 1.14 [પા.પુ. પાના નં. 9]
હેતુઃ બાષ્પીભવન પર અસર કરતાં પરિબળો સમજવાં.

  • એક કસનળી(Test tube)માં 5mL પાણી લઈ તેને બારી પાસે
  • અથવા પંખા નીચે રાખો.
  • ચાઇના ડિશમાં 5 mL પાણી લઈને તેને પણ બારી પાસે અથવા પંખા નીચે રાખો.
  • ખુલ્લી રાખેલી ચાઈના ડિશમાં 5 mL પાણી ભરી તેને તમારા વર્ગના કોઈ કબાટમાં અથવા વર્ગની છાજલી પર મૂકો.
  • ઓરડાનું તાપમાન નોંધો.
  • આ તમામ પરિસ્થિતિઓમાં બાષ્પીભવન માટે લાગેલ સમય અથવા દિવસોની નોંધ કરો.
  • વરસાદના દિવસોમાં ઉપર્યુક્ત ત્રણેય તબક્કાનું પુનરાવર્તન કરી તમારાં અવલોકનો નોંધો.

નિષ્કર્ષ બાષ્પીભવન પર તાપમાનની અસર, સંપર્કસપાટીનું 3 ક્ષેત્રફળ અને પવનની ઝડપ અસર કરે છે.

Leave a Comment

Your email address will not be published.