GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ? વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
ઈ. સ. …………………………માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
A. 2001
B. 1981
C. 1991
ઉત્તરઃ
C. 1991

પ્રશ્ન  2.
…………………….. અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
A. વૈશ્વિકીકરણ
B. આર્થિક ઉદારીકરણ
C. ખાનગીકરણ
ઉત્તરઃ
B. આર્થિક ઉદારીકરણ

પ્રશ્ન 3.
આર્થિક ઉદારીકરણને લીધે ……………………….. ની અસમાનતામાં વધારો થયો.
A. આવક
B. શિક્ષણ
C. સંપત્તિ
ઉત્તરઃ
A. આવક

પ્રશ્ન 4.
……………………….. ને લીધે ઇજારાશાહીને વેગ મળ્યો છે.
A. આર્થિક ઉદારીકરણ
B. ખાનગીકરણ
C. વૈશ્વિકીકરણ
ઉત્તરઃ
B. ખાનગીકરણ

પ્રશ્ન 5.
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ………………………… .
A. ખાનગીકરણ
B. આર્થિક ઉદારીકરણ
C. વૈશ્વિકીકરણ
ઉત્તરઃ
C. વૈશ્વિકીકરણ

પ્રશ્ન 6.
1 જાન્યુઆરી …………………………. થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.
A. 1985
B. 1991
C. 1995
ઉત્તરઃ
C. 1995

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 7.
વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ……………………………… ખાતે રાખવામાં આવ્યું છે.
A. રોમ
B. જિનીવા
C. સ્ટૉકહોમ
ઉત્તરઃ
B. જિનીવા

પ્રશ્ન 8.
WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર ………………………… વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
A. આંતરરાષ્ટ્રીય
B. રાષ્ટ્રીય
C. પ્રાદેશિક
ઉત્તરઃ
A. આંતરરાષ્ટ્રીય

પ્રશ્ન 9.
પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના ………………………… શહેરમાં પૃથ્વી પરિષદ યોજવામાં આવી.
A. જિનીવા
B. રોમ
C. સ્ટૉકહોમ
ઉત્તરઃ
C. સ્ટૉકહોમ

પ્રશ્ન 10.
પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ. ……………………..માં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજવામાં આવી.
A. 1972
B. 1991
C. 1995
ઉત્તરઃ
A. 1972

પ્રશ્ન 11.
વિશ્વમાં ………………….. ના દિવસને વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
A. 10 જાન્યુઆરી
B. 5 જૂન
C. 12 માર્ચ
ઉત્તરઃ
B. 5 જૂન

પ્રશ્ન 12.
ઈ. સ………………….માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર .
A. 1991
B. 1995
C. 1981
ઉત્તરઃ
C. 1981

પ્રશ્ન 13.
રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
A. વ્યાપાર નીતિ
B. ઔદ્યોગિક નીતિ
C. નાણાકીય નીતિ
D. રાજકોષીય નીતિ
ઉત્તરઃ
D. રાજકોષીય નીતિ

પ્રશ્ન 14.
કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
A. 1998ની
B. 1988ની
C. 1991ની
D. 1985ની
ઉત્તરઃ
C. 1991ની

પ્રશ્ન 15.
ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
A. આર્થિક ઉદારીકરણ
B. ખાનગીકરણ
C. વૈશ્વિકીકરણ
D. રાષ્ટ્રીયકરણ
ઉત્તરઃ
D. રાષ્ટ્રીયકરણ

પ્રશ્ન 16.
વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?
A. રાજકોષીય નીતિ
B. દેશની નાણાકીય નીતિ
C. ઔદ્યોગિક નીતિ
D. વિદેશ વ્યાપાર અંગેની નીતિ
ઉત્તરઃ
D. વિદેશ વ્યાપાર અંગેની નીતિ

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 17.
5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
A. વિશ્વ પર્યાવરણદિન
B. વિશ્વ વનદિન
C. જૈવ વિવિધતાદિન
D. વિશ્વ પ્રાણીદિન
ઉત્તરઃ
A. વિશ્વ પર્યાવરણદિન

પ્રશ્ન 18.
વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
A. યુરોપીય દેશોએ
B. અમેરિકન દેશોએ
C. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ
D. યુનેસ્કોએ
ઉત્તરઃ
C. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ

પ્રશ્ન 19.
નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?
A. પવનવિદ્યુત
B. કોલસો
C. સૌરઊર્જા
D. જળવિદ્યુત
ઉત્તરઃ
B. કોલસો

પ્રશ્ન 20.
પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
B. પ્રાકૃતિક વાયુ(સી.એન.જી.)નો
C. ડીઝલનો
D. પેટ્રોલનો
ઉત્તરઃ
B. પ્રાકૃતિક વાયુ(સી.એન.જી.)નો

પ્રશ્ન 21.
ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે ક્યો ધારો પસાર કર્યો છે?
A. અવાજ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
B. વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
C. ભ્રષ્ટાચાર નિયંત્રણ ધારો
D. જળ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
ઉત્તરઃ
B. વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો

પ્રશ્ન 22.
પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
A. અસ્ટરસંડમાં
B. સ્ટૉકહોમમાં
C. નોરકોપિંગમાં
D. અસાલામાં
ઉત્તરઃ
B. સ્ટૉકહોમમાં

પ્રશ્ન 23.
સ્ટૉકહોમ શહેર ક્યા દેશમાં આવેલું છે?
A. નોર્વેમાં
B. ગ્રેટ બ્રિટનમાં
C. સ્વિડનમાં
D. પોલેન્ડમાં
ઉત્તરઃ
C. સ્વિડનમાં

પ્રશ્ન 24.
ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
A. ખાનગીકરણ
B. વૈશ્વિકીકરણ
C. ઉદારીકરણ
D. રાષ્ટ્રીયકરણ
ઉત્તરઃ
C. ઉદારીકરણ

પ્રશ્ન 25.
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
A. 1 જૂન, 1992થી
B. 1 જાન્યુઆરી, 1995થી
C. 10 ઑક્ટોબર, 1994થી
D. 31 ડિસેમ્બર, 1993થી
ઉત્તરઃ
B. 1 જાન્યુઆરી, 1995થી

પ્રશ્ન 26.
ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
A. WRO
B. WST
C. WOT
D. WTO
ઉત્તરઃ
D. WTO

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 27.
ટકાઉ વિકાસમાં ક્યાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?
A. કુદરતી
B. પર્યાવરણીય
C. માનવીય
D. જળ
ઉત્તરઃ
B. પર્યાવરણીય

પ્રશ્ન 28.
નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?
A. અવકાશયાનના કચરાનો નિકાલ
B. ઓઝોન વાયુનું ગાબડું
C. જૈવિક વિવિધતાની જાળવણી
D. પરમાણુ કચરાનો નિકાલ
ઉત્તરઃ
A. અવકાશયાનના કચરાનો નિકાલ

પ્રશ્ન 29.
વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી? (August 20)
A. બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
B. બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે.
C. ટેકનોલૉજીની હેરફેરના અવરોધો દૂર કરવા.
D. વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા.
ઉત્તર:
D. વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા.

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
ઈ. સ. 1991માં દેશમાં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
આર્થિક ઉદારીકરણમાં દેશમાં ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા શરૂ કરવામાં આવી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં આવકની સમાનતામાં વધારો થયો.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
આર્થિક ઉદારીકરણના પરિણામે દેશના વિદેશી દેવામાં ઘટાડો થયો.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
ખાનગીકરણને લીધે દેશનાં જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં – સુધારો થયો છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 7.
ખાનગીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
1 જાન્યુઆરી, 1995માં વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના કરવામાં આવી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)નું મુખ્ય મથક ઈટાલીના જિનીવા ખાતે રાખવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
WTO ભેદભાવ વિના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 11.
ઈ. સ. 1972માં સ્વિડનના સ્ટૉકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
વિશ્વભરમાં 15 ઑગસ્ટના દિવસને પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
ભારત સરકારે ઈ. સ. 1981માં ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો” પસાર કર્યો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ઉદારીકરણ.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કઈ નીતિ અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
ઉત્તરઃ
આર્થિક ઉદારીકરણની

પ્રશ્ન 2.
કઈ નીતિને પરિણામે દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થયો?
ઉત્તરઃ
આર્થિક ઉદારીકરણની

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 3.
કઈ નીતિને પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો?
ઉત્તરઃ
આર્થિક ઉદારીકરણની

પ્રશ્ન 4.
કઈ નીતિને પરિણામે આવકની અસમાનતામાં વધારો થયો?
ઉત્તરઃ
આર્થિક ઉદારીકરણની

પ્રશ્ન 5.
કઈ નીતિને પરિણામે વિદેશી દેવામાં વધારો થયો?
ઉત્તરઃ
આર્થિક ઉદારીકરણની

પ્રશ્ન 6.
કઈ નીતિને પરિણામે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે?
ઉત્તરઃ
ખાનગીકરણની

પ્રશ્ન 7.
કઈ નીતિને પરિણામે ઇજારાશાહીને વેગ મળ્યો છે?
ઉત્તરઃ
ખાનગીકરણની

પ્રશ્ન 8.
કઈ નીતિને પરિણામે ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે?
ઉત્તરઃ
ખાનગીકરણની

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 9.
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ?
ઉત્તરઃ
વૈશ્વિકીકરણ

પ્રશ્ન 10.
કઈ નીતિને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે?
ઉત્તરઃ
વૈશ્વિકીકરણ

પ્રશ્ન 11.
પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્ટૉકહોમ શહેરમાં શાનું આયોજન થયું?
ઉત્તરઃ
પૃથ્વી પરિષદનું

પ્રશ્ન 12.
વિશ્વભરમાં 5 જૂનના દિવસને કયા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
ઉત્તરઃ
પર્યાવરણદિન

પ્રશ્ન 13.
ઈ. સ. 1981માં વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ કોણે પસાર કર્યો?
ઉત્તરઃ
ભારત સરકારે

પ્રશ્ન 14.
સુપોષિત વિકાસ એટલે શું?
ઉત્તરઃ
ટકાઉ વિકાસ

પ્રશ્ન 15.
આઝાદી પછી શાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ કરવાનું – કાર્ય હાથ ધરવામાં આવ્યું?
ઉત્તરઃ
પંચવર્ષીય યોજનાઓના

પ્રશ્ન 16.
વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય, તો તેનું નિવારણ કઈ સંસ્થા કરશે?
(March 20)
ઉત્તરઃ
(વિશ્વ-વ્યાપાર સંગઠન WTO).

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

પ્રશ્ન 1.
ભારત સરકારને ઈ. સ. 1991ની (નવી) ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા શાથી ઊભી થઈ?
ઉત્તર:
ભારત સરકારને ઈ. સ. 1991ની (નવી) ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા નીચેનાં કારણોસર ઊભી થઈ:

  • ઈ. સ. 1961થી ભારત સરકારના આયોજનપંચે (નીતિ આયોગે) દેશનો આર્થિક વિકાસ સાધવા ઘણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી.
  • એ યોજનાઓની સફળતા માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયાંતરે જાહેરાતો કરવામાં આવી.
  • વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહી.
  • તેથી સરકારે તેનાં કારણો શોધીને ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારીને જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો.
  • એ અનુસાર ઈ. સ. 1991માં ભારત સરકારે (નવી) ઓદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા.
  • નવી ઔદ્યોગિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2.
આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા કયા સુધારા અપનાવવામાં આવ્યા? અથવા ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કઈ રીતે
અથવા
ટૂંક નોંધ લખો : ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ
ઉત્તર:
ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણે સુધારાઓ અમલમાં મૂક્યા અર્થાત્ પગલાં ભર્યા:

  • ઈ. સ. 1956થી 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા. આ ઉદ્યોગો સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી.
  • રેલવે, પરમાણુ અને સંરક્ષણ સિવાયનાં બધાં ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો મૂકવામાં આવ્યાં.
  • જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી.

પ્રશ્ન 3.
વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા
વૈશ્વિકીકરણ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે?
ઉત્તરઃ
વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેક્નોલૉજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય.
વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારા હાથ ધરવામાં આવ્યા :

  • વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા.
  • જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરનાં નિયંત્રણો દૂર કરવાં.
  • જુદા જુદા દેશો વચ્ચે ટેક્નોલૉજીની હેરફેર પરનાં નિયંત્રણો દૂર કરવાં.
  • જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરનાં નિયંત્રણો દૂર કરવાં, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

પ્રશ્ન 1.
ખાનગીકરણના માર્ગો જણાવો.
ઉત્તર:
ખાનગીકરણના મુખ્ય બે માર્ગો છે:

  • પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યાં હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે.
  • રાજ્ય-સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે. અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે છે.

પ્રશ્ન 2.
વૈશ્વિકીકરણના ગેરલાભો જણાવો.
ઉત્તર:
વૈશ્વિકીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે:

  • વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી.
  • વિકાસશીલ દેશોને નિકાસવૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી.
  • વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે; જ્યારે લઘુ ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો છે.

પ્રશ્ન 3.
વિશ્વ-વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને ક્યા લાભો થવાની સંભાવના છે?
ઉત્તરઃ
વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)માં જોડાવાથી ભારતને નીચે પ્રમાણેના લાભ થવાની સંભાવના છેઃ

  • વિશ્વ-વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5 % હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં જંગી વધારો થયો. પરિણામે વિશ્વ-વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1 %થી વધારે થયો છે.
  • ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થશે.
  • વિકસિત દેશો તેમની કૃષિપેદાશો પરની સબસિડી, આયાત જકાતો વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિપેદાશોની નિકાસમાં વધારો થશે.
  • દેશની નિકાસ વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, જેથી દેશના વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.

પ્રશ્ન 4.
ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો વર્ણવો.
ઉત્તર:
ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની નીચે પ્રમાણે અસરો થઈ છેઃ
લાભ :

  • ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો છે.
  • દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો છે.
  • દેશમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે.

ગેરલાભ:

  • નિકાસોના પ્રમાણ કરતાં આયાતોના પ્રમાણમાં વધારો થયો છે.
  • દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો છે.
  • દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે. તેથી આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 5.
ટકાઉ વિકાસ(સુપોષિત વિકાસ)ના ખ્યાલની સમજૂતી આપો.
ઉત્તરઃ
ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.

  • આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે.
  • આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી.
  • વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે.
  • આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે.
  • વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર 3 થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
નવી આર્થિક નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થયો છે?
અથવા
ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિના આર્થિક સુધારાના પાયામાં કઈ ત્રણ બાબતો મુખ્ય હતી?
ઉત્તર:
ઈ. સ. 1991ની નવી આર્થિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ – આ ત્રણ બાબતોનો સમાવેશ થયો છે.

પ્રશ્ન 2.
આર્થિક ઉદારીકરણ એટલે શું?
ઉત્તરઃ
આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ.

પ્રશ્ન 3.
ખાનગીકરણ એટલે શું?
ઉત્તરઃ
ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું.

પ્રશ્ન 4.
વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર:
વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના સભ્ય-દેશોએ કરી હતી.

GSEB Class 10 Social Science Important Questions Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

પ્રશ્ન 5.
કઈ કઈ બાબતો માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે?
ઉત્તર:
વાતાવરણમાં ઓઝોન સ્તરનું ગાબડું (પ્રમાણ), પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતા જાળવણી જેવી બાબતો માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે.

યોગ્ય જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.

‘અ’ ’બ’
1. 1991ની ઔદ્યોગિક નીતિ a.વૈશ્વિકીકરણ
2. ઇજારાશાહીને વેગ મળ્યો b. રોમ
3. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન c. ખાનગીકરણ
4. વિશ્વ-વ્યાપાર સંગઠનનું મુખ્ય d. આર્થિક ઉદારીકરણ મથક
e. જિનીવા

ઉત્તર:

‘અ’ ’બ’
1. 1991ની ઔદ્યોગિક નીતિ d. આર્થિક ઉદારીકરણ
2. ઇજારાશાહીને વેગ મળ્યો c. ખાનગીકરણ
3. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન a.વૈશ્વિકીકરણ
4. વિશ્વ-વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક e. જિનીવા

પ્રશ્ન 2.

‘અ’ ’બ’
1. પ્રથમ પૃથ્વી પરિષદ a. પર્યાવરણદિન
2. 5 જૂન b. 1 જાન્યુઆરી, 1995
3. વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો c. ઈ. સ. 1972
4. વિશ્વ-વ્યાપાર સંગઠનની d. ઈ. સ. 1981 સ્થાપના
e. પ્રદૂષણ નિયંત્રણદિન

ઉત્તર :

‘અ’ ’બ’
1. પ્રથમ પૃથ્વી પરિષદ c. ઈ. સ. 1972
2. 5 જૂન a. પર્યાવરણદિન
3. વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો d. ઈ. સ. 1981 સ્થાપના
4. વિશ્વ-વ્યાપાર સંગઠનની b. 1 જાન્યુઆરી, 1995

Leave a Comment

Your email address will not be published.