GSEB Class 10 Social Science Notes Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

This GSEB Class 10 Social Science Notes Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Class 10 GSEB Notes

→ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે થયેલાં સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે.

→ આપન્ના ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિઘા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે.

→ અવાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોષ પણ ધરાવે છે.

→ પ્રાચીન ભારતે ધાતુવિઘામાં અદ્વિતીય સિદ્ધિઓ મેળવી હતી. સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિની ધાતુની નર્તકીની પ્રતિમા પ્રખ્યાત છે. કુષાણ વંશના રાજાઓના સમયની બુદ્ધની ધાતુની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓના સમય દરમિયાન વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં. દલિન્ન ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, તમિલનાડુમાં ચેન્નઈ(મદ્રાસના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ અને ધનુષધારી રામનું શિલ્પ – આ બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે.

GSEB Class 10 Social Science Notes Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

→ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય ગણાય છે, તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી” નામનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમણે વનસ્પતિ-ૌષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત, તેમણે પારાની ભસ્મ બનાવી તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.

→ નાલંદા વિદ્યાપીઠે રસાયણવિઘાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભકીઓ ઊભી કરી હતી.

→ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગભટ્ટ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રતાઓ છે. મહર્ષિ ચરકે તેમના ‘ચરકસંહિતા” નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ-ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા” નામના વૈદકશાસ્ત્રના ગ્રંથમાં શશુચિકિત્સા(વાઢકાપ – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ ક્ય છે, જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શક્તાં હતાં.

→ “હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રરચિત “અશ્વશાસ્ત્ર’ – આ બે પ્રાણીરોગોના પ્રખ્યાત ગ્રંથો છે.

→ ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્યા0)ની સંશા, દશાંશ-પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગતિ, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે. શૂન્ય(0)ની શોધ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ કરી હતી. તેમણે “આર્યભટ્ટીયમ્’, ‘દસગીતિકા” અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા.

→ આર્યભટ્ટ સાબિત કર્યું હતું કે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે.

→ મૃત્સમદ ઋષિએ આંકડાની પાછળ શુન્ય લગાવીને લખવાની પદ્ધતિની શોધ કરી હતી.

→ પ્રાચીન સમયમાં મેધાતિથિએ “મોહેં-જો-દડો અને હડપ્પા’ના અવશેષોમાં માપવામાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી તેની ઓળખ આપી હતી.

→ ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા,

→ બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. તે ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને અભ્યાસ કરવામાં આવતો ખો.

→ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે જ્યોતિષશાસને ‘તંત્ર’, ‘હોરા” અને “સંહિતા’ એમ ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતું. તેમણે “બૃહત્સંહિતા” નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં વરાહમિહિરે આકાશી ગ્રહોની મનુષ્યના જીવન પર થતી અસરો, મનુષ્યનાં લક્ષજ્ઞ, પ્રાણીઓના જુદા જુદ્ય વર્ગો, લગ્નસમય, તળાવો અને કૂવાઓનાં ખોદકામ, બગીચા બનાવવા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોનાં શુભ મુહુર્તાની ચર્ચા કરી છે.

→ ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત “બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ લખ્યો હતો તેમજ “ગુરુત્વાકર્ષણ’ અંગેના પ્રખ્યાત નિયમની શોધ કરી હતી.

→ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) હતા. તેમણે વાસ્તુશાસને 8 વિભાગોમાં વહેંચ્યું હતું. બાબા, નારદ, હસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિકમાં વગેરે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા.

→ વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.

GSEB Class 10 Social Science Notes Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો

→ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી.

→ ભારતીય સંસ્કૃતિ વિશાળ અને ભાતીગળ છે. તેમાં વિજ્ઞાન અને ધર્મ, પરંપરાગત આદર્શો અને વ્યાવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય થયેલો છે.

→ ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતા છે. દેશની દરેક વ્યક્તિના ધર્મ, જીવનરાહ અને મૂલ્યોમાં વૈવિધ્ય છે. આમ છતાં, પ્રજામાં એકતાનાં દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.

Leave a Comment

Your email address will not be published.