GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો Textbook Exercise and Answers.

પૃથ્વીનાં આવરણો Class 6 GSEB Solutions Social Science Chapter 10

GSEB Class 6 Social Science પૃથ્વીનાં આવરણો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં અને કયાં છે?
ઉત્તર:
પૃથ્વી પરનાં મુખ્ય ચાર આવરણો છે:

  1. મૃદાવરણ છે (ઘનાવરણ),
  2. જલાવરણ,
  3. વાતાવરણ અને
  4. જીવાવરણ.

પ્રશ્ન 2.
મૃદાવરણ (ઘનાવરણ) એટલે શું?
ઉત્તર:
‘મૃદા’ એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય છે રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો

પ્રશ્ન 3.
જલાવરણ શેનું બનેલું છે?
ઉત્તર:
પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને ‘જલાવરણ’ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 4.
વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે?
ઉત્તર:
નાઇટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઈડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે.

પ્રશ્ન 5.
જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.

2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:

1. પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો વગેરે …………………… વરણમાં આવેલાં છે.
2. પૃથ્વી સપાટીથી આશરે ………………….. કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
3. વાતાવરણમાં ……………………… વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે.
ઉત્તર:
1. મૃદા-
2. 800 થી 1000
3. નાઇટ્રોજન

GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો

3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. વાતાવરણમાં ઑક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે.
ઉત્તર:
ખોટું

2. મહાસાગરો આપણા જળમાગ બન્યા છે.
ઉત્તર:
ખરું

3. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
ઉત્તર:
ખરું

4. પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.
ઉત્તર:
ખરું

5. ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.
ઉત્તર:
ખરું

GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો

4. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
વાતાવરણ
ઉત્તર:
પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે. તેમાં વાયુ તત્ત્વો, પ્રવાહી તત્ત્વો અને ઘન તત્ત્વો હોય છે.

વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, ઓઝોન, કાર્બન ડાયૉક્સાઈડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે.
GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો 1
કાર્બન ડાયૉક્સાઈડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયૉક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઑક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઈટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે.
GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો 2
વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે.

પ્રશ્ન 2.
જલાવરણનું મહત્ત્વ અથવા જલાવરણની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
જલાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે:

  1. જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે.
  2. વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે.
  3. સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્રતળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનીજ તેલ મળે છે.
  4. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલાં તેમજ અન્ય જીવો મળે છે.
  5. સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે.
  6. સમુદ્રનાં મોજાં, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
  7. મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 10 પૃથ્વીનાં આવરણો

પ્રશ્ન 3.
મૃદાવરણ (ઘનાવરણ)નું મહત્ત્વ
અથવા
મૃદાવરણ(ઘનાવરણ)ની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
મૃદાવરણ (ઘનાવરણ)નું મહત્ત્વ આ પ્રમાણે છે:

  1. મૃદાવરણ (ઘનાવરણ) માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે.
  2. માનવને મૃદાવરણ(ઘનાવરણ)ના જલસ્રોતોમાંથી પાણી મળે છે.
  3. માનવી મૃદાવરણ (ઘનાવરણ) પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ-ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે.
  4. મૃદાવરણ (ઘનાવરણ) વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ (ઘનાવરણ) પરનાં જંગલો, ઘાસનાં મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે.
  5. મૃદાવરણ(ઘનાવરણ)માંથી મળતાં ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે.
  6. માનવીનું અસ્તિત્વ અને માનવ-સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણ(ઘનાવરણ)ને આભારી છે.

Leave a Comment

Your email address will not be published.