Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ Textbook Questions and Answers

અઘરો દિવસ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
આસ્વાદકના મતે કવિ દયારામ કેવા આદમીને કેવા ભક્ત હતા?
ઉત્તરઃ
આસ્વાદકના મતે કવિ દયારામ દુલ્લો આદમી ને દુલારો ભક્ત હતો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામનાં સર્જનોમાં કોના શૃંગારનું વર્ણન જુએ છે?
ઉત્તરઃ
આસ્વાદક વેણીભાઈ પુરોહિત દયારામનાં સર્જનોમાં રાધા અને કૃષ્ણના શૃંગારનું વર્ણન જુએ છે.

પ્રશ્ન 3.
‘દયારામના કવનમાં રાજસી અને સાત્ત્વિક પ્રકૃતિ છે’ – એવું પ્રતિપાદિત કરવા આસ્વાદક કયું ઉદાહરણ આપે છે?
ઉત્તરઃ
‘દયારામના કવનમાં રાજસી અને સાત્ત્વિક પ્રકૃતિ છે.” એવું પ્રતિપાદિત કરવા આસ્વાદક નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો’ એ ઉદાહરણ આપે છે.

પ્રશ્ન 4.
આસ્વાદકની ધારણા પ્રમાણે “અઘરો દિવસ’ કૃતિ કવિ દયારામે કયા સંજોગોમાં લખી હશે?
ઉત્તરઃ
દયારામને પોતાની જીવનયાત્રાની સમાપ્તિનો અણસાર આવી ગયો હતો ત્યારે એમણે આ કૃતિની રચના કરી હશે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ શાથી લાગે છે?
ઉત્તર:
મૃત્યુનો દિવસ આવશે, યમના દૂત પ્રાણ લેવા આવશે ત્યારે ધન-સંપત્તિ, વૈભવ-વિલાસ સગાંવહાલાં કે સ્વજનોનો સાથ છોડીને જવું પડશે. કવિને વધારે જીવવું છે. જો આવા સમયે પ્રભુ તમે સાથ નહિ આપો, તો શત્રુઓ પોતાની યુક્તિમાં સફળ થશે અને યમના દૂતો મારા પ્રાણ હરી લેશે. માટે કવિને મૃત્યુનો દિવસ અઘરો લાગે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
દયારામ કોની શરણાગતિ સ્વીકારે છે? શા માટે?
ઉત્તરઃ
દયારામ ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે. આખી જિંદગી લોભ-મોહ, કપટ-પ્રપંચમાં વિતાવી છે, છતાં અંતિમ ઘડી શુભ, સહાયક અને મોક્ષ આપનારી બને એ માટે કવિ પ્રભુની શરણાગતિ સ્વીકારે છે.

પ્રશ્ન 3.
આપણા સંબંધો ક્યાં સુધી છે? શા માટે?
ઉત્તરઃ
આપણા સંબંધો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જ છે. કારણ કે મનુષ્યના સંબંધો આ દુનિયાના જ છે, મોહમાયા બધું જ જન્મથી મૃત્યુ સુધી જ હોય છે. મૃત્યુ પછીના નથી.

માણસ જન્મે ત્યાંથી મૃત્યુ સુધી ભાઈ-બહેન, સગાંસંબંધી વગેરે હોય છે. મૃત્યુની સાથે જ બધા સંબંધો પૂરા થઈ જાય છે. શરીરના સંબંધો આત્મા સાથે જોડાયેલા નથી.

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1.
દયારામનો શરણાગતિ ભાવ
ઉત્તરઃ
‘અઘરો દિવસ’ આસ્વાદલેખમાં માનવજીવનનું સત્ય સમજાવાયું છે. મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે.

કવિ દયારામ અઘરો દિવસ એટલે કે મૃત્યુનો દિવસ આવે ત્યારે હે પ્રભુ! મારી સંભાળ લેજો. યમના દૂત આવશે ત્યારે સગાંવહાલાં બધા જ દૂર રહેશે. મોહમાયાના સંબંધો ત્યારે કામ નહીં આવે. આવા સમયે હે પ્રભુ! તમે મારો હાથ ઝાલજો નહિ તો દુશ્મનોની યુક્તિ સફળ થશે.

મારી ભૂલો જોઈને પ્રભુ જો તમે પાછા હઠશો તો મને યમનાં પાશમાંથી કોણ છોડાવશે. જેમ પિતા પુત્રના અવગુણોને ઢાંકે તેમ તમે પણ મારા અવગુણો તરફ ધ્યાન ન આપશો. નહિ તો તમારી જ પ્રતિષ્ઠા ઓછી થશે. જેવો છું એવો હે પ્રભુ! હું તમારો છું. તમારે જ મને નિભાવવાનો છે.

ખરા હૃદયની શ્રદ્ધાથી મનુષ્ય ઈશ્વરકૃપા અને ઈશ્વરશરણ પામી શકે છે. આમ, અહીં ઈશ્વરભક્તિનો અને ઈશ્વરકૃપાનો મહિમા સ્પષ્ટ થયો છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
ટૂંકનોંધ લખો :
1. દયારામનું કૃષ્ણનું રટણ
ઉત્તર:
કવિ દયારામ એક અદકો આદમી છે. તે પ્રભુનો લાડકવાયો ભક્ત હતો. તેમની રચનાઓમાં પ્રેમીજનોનું માધુર્ય છે. રાધા અને કૃષ્ણનો શૃંગાર ભાવાલાલિત્ય જોવા મળે છે. તેમની ગરબીમાં મોહમાયામાં ફસાયેલાં જીવોને ભક્તિને માર્ગે લઈ જવાનો પ્રયાસ થયો છે.

કવિ દયારામ કૃષ્ણના નામનું રટણ કરતાં કહે છે કે, “હે પ્રભુ! મારી સંભાળ લેજો. યમના દૂત આવશે ત્યારે સગાંવહાલાં બધા જ દૂર રહેશે. કોઈ મારો સાથ નહિ આપે આવા સમયે હે પ્રભુ! તમે મારો હાથ ઝાલજો નહિ, તો દુશ્મનોની યુક્તિ સફળ થશે.

અને કહેશે કે આખી જિંદગી કૃષ્ણ કૃષ્ણ કરનારની પ્રભુએ ઉપેક્ષા કરી. એમાં લાજ તમારી જ જશે. ભક્ત તરીકે મેં ઘણી પ્રતિષ્ઠા મેળવી છે, પણ એક માનવ તરીકે મારી ભૂલો થઈ હશે. મારી આ ભૂલો જોઈને પ્રભુ જો તમે પાછા હઠશો તો મને યમનાં પાશમાંથી કોણ છોડાવશે.

જેમ પિતા પુત્રના અવગુણોને ઢાંકે તેમ તમે પણ મારા અવગુણો તરફ ધ્યાન ન આપશો. નહિ તો મારી સાથે તમારી પ્રતિષ્ઠા પણ ઓછી થશે. જેવો છું એવો હે પ્રભુ! હું તમારો છું. તમારે જ મને નિભાવવાનો છે.

2. દયારામના મતે અઘરો દિવસ
ઉત્તરઃ
કવિ દયારામના મતે અઘરો દિવસ એટલે કે મૃત્યુનો દિવસ. જીવનનું સનાતન સત્ય મૃત્યુ છે એ “અઘરો દિવસ આસ્વાદલેખમાં સમજાવાયું છે. મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે.

આખી જિંદગી લોભમોહ, કપટ-પ્રપંચમાં વિતાવી હોય, તો અંતિમ ક્ષણે પ્રભુ યાદ આવે નહિ. મદદ કરે જ નહિ. પામર મનુષ્ય અંતિમ ઘડી શુભ થશે અને સહાય મળશે એવું ઇચ્છે છે.

મનુષ્ય ગમે તેવો હોય પણ ખરા હૃદયની શ્રદ્ધાથી ઈશ્વરકૃપા અને ઈશ્વરશરણ પામી શકે છે. કવિ કહે છે કે, “દરેક માણસની કોઈ ને કોઈ ભૂલ તો થાય જ એમ એક માનવ તરીકે મારી ભૂલો થઈ હશે. મારી આ ભૂલો જોઈને પ્રભુ જો તમે પાછા હઠશો તો મને યમનાં પાશમાંથી કોઈ નહીં છોડાવે.

જેવો છું એવો હે પ્રભુ હું તમારો છું. તમારે જ મને નિભાવવાનો છે.”

Std 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ Additional Important Questions and Answers

અઘરો દિવસ પ્રજ્ઞોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 1.
“અઘરો દિવસ’ લેખના લેખક કોણ છે?
ઉત્તરઃ
‘અઘરો દિવસ’ લેખના લેખક વેણીભાઈ પુરોહિત છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
“અઘરો દિવસ’ પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“અઘરો દિવસ’ પાઠનો પ્રકાર આસ્વાદલેખ છે.

પ્રશ્ન 3.
અઘરો દિવસ’ પાઠમાંથી શો બોધ મળે છે?
ઉત્તરઃ
મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે. એ સનાતન સત્ય સમજાવીને ખરી શ્રદ્ધા અને શરણાગતિથી ઈશ્વર અવશ્ય કપા કરે છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
વેણીભાઈ પુરોહિતનો ક્યો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. મોરનાં ઈંડાં
B. અઘરો દિવસ
C. થીગડું
D. અખાનો સંસારત્યાગ
ઉત્તર:
B. અઘરો દિવસ

પ્રશ્ન 2.
“અઘરો દિવસ’ પાઠનો પ્રકાર જણાવો.
A. નવલિકા
B. લઘુકથા
C. મુલાકાત
D. આસ્વાદલેખ
ઉત્તર:
D. આસ્વાદલેખ

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 3.
આસ્વાદકના મતે દયારામ કેવો આદમી ને કેવો ભક્ત હતો?
A. દુલ્લો આદમી ને દુલારો ભક્ત
B. સહનશીલ આદમી ને બગભગત
C. સજ્જન અને દુર્જન ને સમજાવનાર
D. દુનિયાદારીથી અજાણ ને અલિપ્ત ભક્ત
ઉત્તર:
A. દુલ્લો આદમી ને દુલારો ભક્ત

પ્રશ્ન 4.
રાધા અને કૃષ્ણના શૃંગારનું વર્ણન કયા કવિએ પોતાનાં સર્જનોમાં કર્યું છે?

A. સુંદરમ્
B. વેણીભાઈ પુરોહિત
C. પ્રભુલાલ દ્વિવેદી
D. હરીન્દ્ર દવે
ઉત્તર:
B. વેણીભાઈ પુરોહિત

પ્રશ્ન 5.
જીવનયાત્રાની સમાપ્તિના અણસારે દયારામે કયા કાવ્યની રચના કરી છે?

A. રસિક વલ્લભ
B. પ્રબોધ બાવની
C. અઘરો દિવસ
D. અજામિલ – આખ્યાન
ઉત્તર:
C. અઘરો દિવસ

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 6.
“નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો ઉદાહરણ દયારામના કવનમાં કઈ પ્રકૃતિ પ્રતિપાદન કરે છે?

A. સાત્ત્વિક અને તામસી
B. રાજસી અને સાત્વિક
C. તામસી અને રાજસી
D. તામસી અને સાત્વિક
ઉત્તર:
B. રાજસી અને સાત્ત્વિક

પ્રશ્ન 7.
“અઘરો દિવસ’ પાઠના લેખક કોણ છે?

A. વેણીભાઈ પુરોહિત
B. પુરુષોત્તમ દેશપાંડે
C. ગોવર્ધનરામ ત્રિપાઠી
D. ચંદ્રવદન મહેતા
ઉત્તર:
A. વેણીભાઈ પુરોહિત

અઘરો દિવસ વ્યાકરણ

1. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને નીચેનાં સાદાં વાક્યો જોડોઃ

પ્રશ્ન 1.
(અ) દયારામ કષ્ણના અનન્ય ભક્ત હતા.
(બ) દયારામ શ્રેષ્ઠ કવિ હતા.
(ક) દયારામ શ્રેષ્ઠ સર્જક હતા.
ઉત્તરઃ
દયારામ કૃષ્ણના અનન્ય ભક્ત, શ્રેષ્ઠ કવિ અને સર્જક હતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
(અ) જીવનની યાત્રા તેણે માણી છે.
(બ) યાત્રાનું જીવન તેણે માણ્યું છે.
(ક) યાત્રાનું ફળ તેણે માણ્યું.
ઉત્તરઃ
જીવનની યાત્રા, યાત્રાનું જીવન અને તેનું ફળ તેણે માણ્યું.

પ્રશ્ન 3.
(અ) શ્રીજીનો આધાર સાચો છે.
(બ) શ્રીજીનો આધાર સંસારને તારનારો છે.
(ક) શ્રીજીનો આધાર મોક્ષ આપનારો છે.
ઉત્તરઃ
શ્રીજીનો આધાર સાચો, સંસારને તારનારો અને મોક્ષ આપનારો છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

પ્રશ્ન 1.
મઠારવું
A. સમજપૂર્વક લખવું
B. ટીકા કરવી
C. જુદી રીતે શણગારવું
D. ગમે તેમ લખવું
ઉત્તરઃ
A. સમજપૂર્વક લખવું

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
નિરાધાર
A. બીજા પર આધારિત
B. જેનો કોઈ આધાર નથી તે
C. સ્વાવલંબનથી રહેનાર
D. પોતાનું કામ પોતે કરનાર,
ઉત્તરઃ
B. જેનો કોઈ આધાર નથી તે

પ્રશ્ન 3.
દીનાનાથ
A. શ્રીમંતોના ભગવાન
B. દિવસના નાથ
C. ગરીબોના નાથ
D. પરમતત્ત્વના સ્વામી
ઉત્તરઃ
C. ગરીબોના નાથ

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
કિંકર
A. કિરપાણ
B. સેવક
C. સમર્પણ
D. સ્વામી
ઉત્તરઃ
B. સેવક

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
ઉપેક્ષા
A. અપેક્ષા
B. બહુમાન
C. સાપેક્ષ
D. અવગણના
ઉત્તરઃ
D. અવગણના

પ્રશ્ન 3.
પ્રકૃતિ
A. સમય
B. કાળ
C. સ્વભાવ
D. યુગ
ઉત્તરઃ
C. સ્વભાવ

પ્રશ્ન 4.
માર્મિક
A. ચોટદાર
B. ઘટાદાર
C. મરોડદાર
D. ખબરદાર
ઉત્તરઃ
A. ચોટદાર

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 5.
પમરાટ
A. ખટરાગ
B. અનુરાગ
C. મહેક
D. સોંદર્ય
ઉત્તરઃ
C. મહેક

પ્રશ્ન 6.
વરણાગી
A. જુદું
B. છેલબટાઉ
C. અપ્તરંગી
D. સપ્તરંગી
ઉત્તરઃ
B. છેલબટાઉ

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો:

પ્રશ્ન 1.
અવગુણ
A. સગુણ
C. ગુણદોષ
D. મનોવૃત્તિ
B. દોષી
ઉત્તરઃ
A. સદ્ગુણ

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

પ્રશ્ન 2.
રાજી
A. બેકારી
B. સમજદારી
C. બેદરકારી
D. નારાજી
ઉત્તરઃ
D. નારાજી

4. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A. દૂશ્મન
B. કીંકર
C. કૂપૂત્ર
D. માધુર્ય
ઉત્તરઃ
D. માધુર્ય

5. નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.

A. અક્કરમીનો પડિયા કાંણો – ભાગ્યશાળીને ભૂત રળે
B. અધૂરો ઘડો છલકાય ઘણો – ખાલી ચણો વાગે ઘણો
C. જેવા સાથે તેવા – વાવે તેવું લણે
D. ઊજળું એટલું દૂધ નહિ – મન હોય તો માળવે જવાય
ઉત્તરઃ
C. જેવા સાથે તેવા – વાવે તેવું લણે

અઘરો દિવસ Summary in Gujarati

અઘરો દિવસ પાઠ-પરિચય

જીવનનું સનાતન સત્ય મૃત્યુ છે એ “અઘરો દિવસ” આસ્વાદલેખમાં સમજાવાયું છે. મનુષ્ય ગમે તેટલું – ગમે તેવું જીવે પરંતુ એક દિવસ આ દુનિયાને છોડીને જવાનું નિશ્ચિત છે. આખી જિંદગી લોભ-મોહ, કપટ-પ્રપંચમાં વિતાવી હોય, તો અંતિમ ક્ષણે પ્રભુ યાદ આવે જ નહિ. મદદ કરે જ નહિ.

પામર મનુષ્ય અંતિમ ઘડી શુભ થશે અને સહાય મળશે એવું ઇચ્છે છે. એ વાત સાચી જ કે મનુષ્ય ગમે તેવો હોય પણ ખરા હૃદયની શ્રદ્ધાથી ઈશ્વરકૃપા અને ઈશ્વરચરણ પામી શકે છે. અહીં, ઈશ્વરભક્તિનો અને ઈશ્વરકૃપાનો મહિમા સ્પષ્ટ થયો છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ

[It has been explained in this article ‘Agharo Divas’ that death is the eternal truth of life. Man has to leave this world one day is certain. He does not remember God at his last moment, if he has passed his whole life in greed and deceit.

Miserable man wishes his last moment auspicious and thinks that he will get help. It is true that man will get the grace of god, if he prays him heartily whether he is good or bad. Here the importance of devotion to God and the grace of God have been cleared.]

અઘરો દિવસ કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

હે અલબેલા શ્રીજી! જ્યારે અઘરો દિવસ આવે ત્યારે તમે મારી સંભાળ લેજો!

[tempting Shriji! please take care when my difficult day comes!].

હે અલબેલા શ્રીજી! જ્યારે જમના દૂતો આવશે ત્યારે સગાવહાલા બધા દૂર રહેશે.

(O tempting Shriji! My relatives will live away, when the messengers of Yama come.]

અલબેલા શ્રીજી ! આવે સમયે જો તમે સહાય નહિ કરો તો દુશ્મનની યુક્તિ સફળ થશે.

10 tempting Shriji! If you don’t help me in such time, the enemies trick will be successful.]

હે અલબેલા શ્રીજી ! મારી ભૂલો જોઈને પાછા ન હટશો, પણ મારી સહાય કરજો.

10 tempting Shriji! Please don’t go back at that time seeing my mistakes, but help me.]

પિતા હંમેશાં કુપુત્રના અવગુણ ઢાંકે છે તેમ તમે પણ મારા અવગુણ સામે ન જો જો.

(Reputation of the father lies in hiding his son’s vices. If he discloses his vices, he will lose his reputation.]

હે પ્રભુ! જેવો છું એવો હું તમારો છું તમારા વિના કોઈ મને નિભાવશે નહિ.

[Dayaram says, “O God, I am thine whether I am good or bad! who will tolerate me except thou !].

અઘરો દિવસ (Meanings)

  • અઘરો (૫) – મુશ્કેલ; difficult.
  • શુધ- (અહીં) સંભાળ; care. Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ
  • કિંકર (૫) – દૂત, સેવક; messenger.
  • અવસર (૫) – સમય, સમે; opportunity
  • કર (૫) – હાથ, હસ્ત; hand.
  • સહાશો – પકડશો; to hold.
  • દુમન (૫) – શત્રુ, અરિ; enemy.
  • દાવ (૬) – હક, માલિકી; right, stake.
  • ઓસરવું – પાછા હઠવું; to recede.
  • અવગુણ (૫) – દોષ; fault.
  • વિના – વિણ; without.
  • નિભાવવું – ચલાવવું; to maintain.
  • રસિક (૫) – પ્રેમી; romantic.
  • માધુર્ય – મીઠાશ; sweetness.
  • આલબેલ – ચેતવણી; warning.
  • કવન – કાવ્ય-નિર્માણ; composition of poetry.
  • માર્મિક – ચોટદાર; ironic.
  • રોમાંચ (૫) – પ્રેમ; romance.
  • પ્રકૃતિ (સ્ત્રી.) – સ્વભાવ; nature.
  • સંગ (૬) – સાથ; companionship.
  • ઉપાય (૫) – રસ્તો; remedy.
  • પાંખ્યો – આવકાર્યો; to nourish,
  • મઠારવું – સમજપૂર્વક લખવું; to repair and shape well.
  • પરંપરા (સ્ત્રી.) – રીતરિવાજ; custom.
  • વરણાગી – છેલબટાઉ; foppery.
  • અણસાર (૫) – ખ્યાલ; concept.
  • રાજી – પ્રસન્ન; pleased.
  • ચેષ્ટા (સ્ત્રી.) – દેખાવ; gestures.
  • ઉપેક્ષા (સ્ત્રી.) – અવગણના; neglect.
  • ક્ષતિ (સ્ત્રી.) – ખામી; defect. Class 12 Gujarati Textbook Solutions Chapter 18 અઘરો દિવસ
  • પરમાટ (મું) – મહેક; fragrance.

Leave a Comment

Your email address will not be published.