GSEB Class 9 Social Science Notes Chapter 15 જળ-પરિવાહ

This GSEB Class 9 Social Science Notes Chapter 15 જળ-પરિવાહ covers all the important topics and concepts as mentioned in the chapter.

જળ-પરિવાહ Class 9 GSEB Notes

→ નદી અને તેની શાખા-પ્રશાખાઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા સામૂહિક તંત્રને ‘જળપરિવાહ પ્રણાલી’ કહે છે,

→ જે કોઈ પર્વતધાર કે ઉરચ ભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતધાર કે ઉચ ભૂમિને “જળવિભાજક” કહે છે.

→ ભારતની નદી પ્રણાલીને બે પ્રકારોમાં વહેંચી શકાય :

  • હિમાલયની નદીઓ અને
  • દીપકલ્પીય નદીઓ.

→ હિમાલયની નદીઓનાં બેસિન (ખીણક્ષેત્રો) મોય છે. અનેક નદીઓએ હિમાલયમાં તીવ્ર ઢોળાવવાળી ઊંડી ખીન્નો અને વિશિષ્ટ કોતરો બનાવ્યાં છે. આ નદીઓ બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે.

→ હિમાલયની નદીઓ તેના ઉદ્ભવસ્થાનેથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીનો જળમાર્ગ ઘણો લાંબો છે.

→ નદીપરિવાહની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે :

  • ઉપરવાસ
  • મધ્યસ્થ ભાગ અને
  • હેઠવાસ.

→ નદીઓના વિસર્ષણને લીધે તેમજ પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારનાં સરોવરો રચાય છે. જ નદી મુખપ્રદેશ આગળ અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે એ ભાગમાં ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ બને છે. તેને “3” (Delta) કહે છે.

→ કીપાની નદીઓ છીછરી ખીણોમાં થઈને વહે છે. તેમાંની મોય ભાગની નદીઓ હંગામી (મોસમીં) હોય છે. ઉનાળાની સૂકી ઋતુમાં મોટી નદીઓમાં પણ પાણી ઘણું ઓછું થઈ જાય છે. મોટા ભાગની નદીઓ પશ્ચિમઘાટમાંથી નીકળી, પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળી છે.

GSEB Class 9 Social Science Notes Chapter 15 જળ-પરિવાહ

→ હિમાલયની નદીઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય :

  • સિંધુ નદી પ્રણાલી
  • ગંગા નદી પ્રણાલી અને
  • બ્રહ્મપુત્ર નદી પ્રણાલી.

1. સિંધુ નદી પ્રણાલી : સિંધુ તિબેટમાં માનસરોવર પાસેથી નીકળી ઉત્તર-પશ્ચિમ તરફ વહે છે. જમ્મુ-કરમીરમાં તેને જાકાર, થોક, બરા, હુંઝા વગેરે નદીઓ મળે છે. પાકિસ્તાનમાં તેને પંજાબની પાંચ નદીઓ – સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમનો સંયુક્ત પ્રવાહ પંજનદ મિથાનકોટ પાસે મળે છે. એ પછી સિંધુ નદી અરબ સાગરને મળે છે. સિંધુના બેસિનનો ત્રીજો ભાગ ભારતમાં જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે.

2. ગંગા નદી પ્રણાલી : ઉત્તરાખંડમાં દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. તેને ઉત્તરે નેપાળ તરફથી આવીને ઘાઘરા, ગંડક અને કોસી નદીઓ મળે છે. આ નદીઓ મોટા પ્રમાણમાં જળવિદ્યુત પેદા કરવાની અને સિંચાઈ માટે પાણી આપવાની ક્ષમતા ધરાવે છે. ગંગાના જમણા કિનારે અલાહાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને સોનનો સંગમ થાય છે.

પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો આગળ દક્ષિણ-પૂર્વ તરફ વહીને “પદ્મા’ નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરન્નો બીજો ફાંયે ‘ભાગીરથી-હુગલી’ નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળની ખાડીને મળે છે. પદ્માને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર મળે છે. આગળ વધતાં તેને મેઘના મળે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ “મેઘના” નામે જ ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ ફળદ્રુપ મુખત્રિકોણપ્રદેશ બનાવ્યો છે, જે ‘સુંદરવન’ના નામે ઓળખાય છે.

3. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી બ્રહ્મપુત્ર નદી તિબેટમાં સિંધુ અને સતલુજના ઉદ્ગમની નજીક નીકળે છે. તે સિંધુથી સહેજ વધારે લાંબી છે. તિબેટમાં તે હિમાલયને સમાંતર પૂર્વ તરફ વહી નામચા બરવા શિખરની ફરતે અંગ્રેજી અક્ષર “U” જેવો વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તેણે 5500 મીટર ઊંડી કોતર જેવી ખીણ બનાવી છે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. અહીં તેને ઘણી નદીઓ મળે છે. તિબેટમાં તે ‘ત્સાંગપો’, અરુણાચલ પ્રદેશમાં “સિતાંગ’ કે “દિહાંગ’, અસમમાં બ્રહ્મપુત્ર’ અને બાંગ્લાદેશમાં ‘જમુના’ નામે ઓળખાય છે.

સાંગપોમાં પાણી અને કાંપ ઓછાં હોય છે, પણ ભારતમાં તે ભારે વરસાદવાળા પ્રદેશમાં થઈને વહેતી હોવાથી તેમાં પુષ્કળ પાણી અને કાંપ હોય છે. અસમમાં તે એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓમાં વહેંચાઈને એક ગુંફિત નદી [Braided river) સ્વરૂપે વહે છે. તેના પ્રવાહની વચ્ચે કેટલાક મોટા દીપ પણ બનેલા છે. ચોમાસામાં બ્રહ્મપુત્રમાં અવારનવાર ભારે પૂર આવે છે ત્યારે અસમ અને બાંગ્લાદેશમાં ભયંકર તારાજી સર્જાય છે.

→ દ્વીપકલ્પીય ભારતમાં પશ્ચિમઘાટ મુખ્ય જળવિભાજક છે. તે પશ્ચિમ કિનારાથી ઘણો નજીક છે. પશ્ચિમઘાટની પશ્ચિમે અનેક નાની નાની
નદીઓ વહે છે.

→ દ્વીપકલ્પની મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે મૉય ભાગની મોટી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે. જ હીપકલ્પીય નદીઓનાં પ્રવાહ-ક્ષેત્રો (બેસિન) પ્રમાણમાં નાનાં છે.

→ નર્મદા બેસિન : નર્મદા અમરકંટક પાસેથી નીકળી એક ફાટમાં થઈને લગભગ 1312 કિમી દૂર વહે છે અને અરબ સાગરને મળે છે. માર્ગમાં નર્મદા નદીએ ધુંઆધાર નામના જળધોધની રચના કરી
છે. તેનું બૅસિન મધ્ય પ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે.

→ તાપી બેસિનઃ તાપી નદી મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાંથી નીકળી
નર્મદાને સમાંતર એક ફાટખીમાં વહીને અરબ સાગરને મળે છે. તેનું બેસિન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે.

→ ગોદાવરી બેસિન : ગોઘવરી ભારતીય દ્વીપકલ્પની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ આશરે 1465 કિમી છે. તે દ્વીપકલ્પમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે, તેનો 50 % ભાગ મહારાષ્ટ્રમાં અને બાકીનો આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં છે.
ગોદાવરીની શાખા-નદીઓમાં પૂર્ણા, માંજરા, પેનગંગા, વર્ધા, વનગંગા, પ્રાણહિતા અને ઈંદ્રાવતી મુખ્ય છે. ગોદાવરી તેના લાંબા માર્ગ અને વિસ્તૃત બેસિનને કારણે દક્ષિણની ગંગા’ કહેવાય છે,

→ મહાનદી બેસિન : મહાનદી છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળી ઓડિશામાં થઈને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં છે.

→ કૃષ્ણા બેસિનઃ કૃષ્ણા નદી મહાબળેશ્વર પાસેથી નીકળી લગભગ 1400 કિમી વહીને બંગાળની ખાડીને મળે છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે તેની શાખા-નદીઓ છે, તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં છે.

GSEB Class 9 Social Science Notes Chapter 15 જળ-પરિવાહ

→ કાવેરી બેસિન : કાવેરી નદી પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ શ્રેણીમાંથી નીકળીને 760 કિમી વહી જૂના કાવેરીપનમની પાસે બંગાળની ખાડીને મળે છે. તેનું બેસિન ક્ષેત્ર કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં છે.

→ આ સિવાય દામોદર, પેનેરુ, સુવર્ણરેખા, મહી વગેરે નાની નદીઓનાં બેસિન ક્ષેત્રો છે.

→ ભારતનાં સરોવરો: ભારતમાં કુદરતી સરોવરો પ્રમાણમાં ઓછાં છે. મીઠા પાણીનાં મોટા ભાગનાં સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે. તે મુખ્યત્વે હિમનદીઓથી બન્યાં છે.

→ જમ્મુ-કશ્મીરનું વુલર સરોવર ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર છે. ડાલ સરોવર, ભીમતાલ, નૈનિતાલ, લોકતક, કોલેરુ તથા બાપાની મહત્ત્વનાં અન્ય સરોવરો છે,

→ સમુદ્રની ભરતીના કારણે ભારતના પૂર્વ કિનારે ચિલિકા (ચિક્કા), કોલેરુ અને પુલિકટ જેવાં લગૂન (પજળ) સરોવરો રચાયાં છે.

→ રાજસ્થાનનું સાંભર ખારા પાણીનું સરોવર છે. તેના પાણીમાંથી મીઠું પકવાય છે. ભારતનાં અનેક માનવરચિત સરોવરો નદીઓ પર બંધ બાંધવાથી રચાયેલાં છે.

→ સરોવરોની ઉપયોગિતા : સિંચાઈ, જલવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, પીવા અને ઘરવપરાશ, નૌકાવિહાર, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ વગેરે માટે સરોવરો ઉપયોગી છે.

→ નદીઓનું આર્થિક મહત્ત્વા: નદીનું પાણી એક કુદરતી સંસાધન છે, પ્રાચીન સંસ્કૃતિઓ નધનિારે જ જન્મી અને વિકાસ પામી હતી. નદીનું પાણી ખેતીવાડી માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત, તે સિચાઈ, જલવિદ્યુત, પીવા અને ઘરવપરાશ, કારખાનાં અને ઉદ્યોગો, નૌકાવિહાર વગેરે માટે ઉપયોગી છે.

→ નદી પ્રદૂષણ પહેરીકરણ અને ઉદ્યોગીકરણના પરિણામે નદીઓના પાણીના પ્રદૂષશ્વમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી પ્રદૂષણ એ દેશની એક રાષ્ટ્રીય સમસ્યા બની છે.

→ જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો (1) રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધીકરણના કાર્યક્રમોનો અમલ કરવો. (2) ઔદ્યોગિક એકમો પોતાનું ગંદુ પાલ્લી નદીઓમાં ન ઠાલવે તે માટેના કાયદા બનાવવા અને તેનો કડકપણે અમલ કરવો. (3) ઔદ્યોગિક એકમોએ પોતાનું દૂષિત પાણી નદીઓમાં કાલવતાં પહેલાં તેમાં રહેલાં હાનિકારક તત્ત્વો નાબૂદ કરવા પ્લાન્ટ્સ બનાવવા. (4) નદીનું પાણી ચોખ્ખું રહે એ માટે ઘરનો કચરો નદીમાં ન ભળે તેની બધા નાગરિકોએ કાળજી રાખવી.

Leave a Comment

Your email address will not be published.