GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ? Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

આપણે શા માટે માંદા પડીએ છીએ? Class 9 GSEB Solutions Science Chapter 13

GSEB Class 9 Science આપણે શા માટે માંદા પડીએ છીએ? Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
છેલ્લા એક વર્ષમાં તમે કેટલી વાર બિમાર પડ્યા હતા? બિમારી શું હતી?
(a) આ બિમારીઓને દૂર કરવા માટે તમે તમારી દિનચર્યામાં કયું પરિવર્તન કરશો?
(b) આ બિમારીઓથી બચવા માટે તમે તમારી અડોશપડોશમાં શું પરિવર્તન કરશો?
ઉત્તર:
છેલ્લા એક વર્ષમાં હું ત્રણ વખત બિમાર પડ્યો હતો. મેલેરિયા, શરદી-ઉધરસ અને હિપેટાઇટિસની બિમારી હતી.
(a) આ બિમારીઓને દૂર કરવા માટે આસપાસનું પર્યાવરણ સ્વચ્છ, બંધિયાર પાણીનો નિકાલ, ખુલ્લા બજારુ ખોરાકનો ઉપયોગ ટાળવો, પોષણક્ષમ આહાર અને ચોખ્ખું ઉકાળેલા પાણીનો પીવા માટે ઉપયોગ તેમજ ઠંડાં પીણાંનો ઉપયોગ ટાળવા જેવાં પરિવર્તનો દિનચર્યામાં કરીશું.
(b) આ બિમારીઓથી બચવા અડોશપડોશમાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ તેમજ કચરો એકત્રિત થતો રોકવા જેવાં પરિવર્તન કરીશું.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 2.
ડૉક્ટર, નર્સ, સ્વાથ્ય કર્મચારીઓ અન્ય વ્યક્તિની તુલનામાં રોગીઓના સંપર્કમાં વધારે રહે છે. તપાસ કરો કે, તેઓ તેમની જાતને બિમાર થતા કેવી રીતે બચાવે છે?
ઉત્તરઃ
ડૉક્ટર, નર્સ, સ્વાચ્ય કર્મચારીઓ તેમની જાતને બિમાર થતા બચાવવા માટે નીચેની સાવચેતી રાખે છે :

  • દર્દીની તપાસ કરી સાબુથી હાથ ધુએ છે અથવા ઍન્ડ સેનિટાઇઝરના ઉપયોગથી હાથને જીવાણુમુક્ત કરે છે.
  • ફિનાઇલથી તેમના કાર્ય-સ્થાનની સફાઈ કરાવે છે.
  • ઉપયોગમાં લેવાતાં સાધનો જંતુરહિત (Sterilized) કરે છે.
  • જરૂર મુજબ હેન્ડ-ગ્લોઝનો ઉપયોગ કરે છે.
  • દર્દી માટે ઉપયોગમાં લેવાયેલી સિરિંજ, નીડલ, પાટા, રૂ વગેરેનો યોગ્ય નિકાલ કરાવે છે.

પ્રશ્ન 3.
તમારી અડોશપડોશમાં એક સર્વેક્ષણ કરો અને તપાસ કરો કે સામાન્ય રીતે કઈ ત્રણ બિમારીઓ થાય છે? આ બિમારીઓને ફેલાતી અટકાવવા માટે તમારા સ્થાનીય પ્રશાસનને ત્રણ સૂચન કરો.
ઉત્તર:
સામાન્ય બિમારીઓ શરદી-ખાંસી, ટાઇફૉઇડ, ઝાડા. સ્થાનીય પ્રશાસનને આ બિમારી ફેલાતી અટકાવવા માટે સૂચનોઃ

  • ચોખ્ખા પાણીનો પુરવઠો પૂરો પાડવો. પાણીને ક્લોરિનયુક્ત કરવું.
  • નિયમિત રીતે કચરાના નિકાલની વ્યવસ્થા અને જંતુનાશકના છંટકાવ કરાવવા.
  • સામાન્ય સંસર્ગજન્ય રોગો સંદર્ભે વખતોવખત રસીકરણ કાર્યક્રમોનું આયોજન કરવું.

પ્રશ્ન 4.
એક બાળક તેની બિમારી કહી શકતો નથી. આપણે તેની ઓળખ કઈ રીતે કરીશું?
(a) શું બાળક બિમાર છે?
ઉત્તર:
સતત રડવું, ઝાડા, ખોરાક પ્રત્યે અરુચિ તેમજ શરીર ગરમ રહેવું વગેરે લક્ષણો પરથી બાળક બિમાર છે તેની ઓળખ કરીશું.

(b) બાળકને કઈ બિમારી થઈ છે?
ઉત્તર:
બાળકને તાવ અને ઝાડાની બિમારી થઈ છે.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 5.
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિઓમાં કોઈ વ્યક્તિ પુનઃ બિમાર પડી શકે છે? શા માટે?
(a) જ્યારે તે મેલેરિયામાંથી સાજી થઈ રહી છે.
(b) તે મેલેરિયામાંથી સાજી થઈ ગઈ છે અને તે અછબડાના રોગીની સેવા કરી રહી છે.
(c) મેલેરિયામાંથી સાજી થઈ ગયા પછી તે ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડાના રોગીની સેવા કરી રહી છે. શા માટે?
ઉત્તરઃ
(c) મેલેરિયામાંથી સાજી થઈ ગઈ પછી વ્યક્તિ ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડાના રોગીની સેવા કરી રહી છે. તે વ્યક્તિ પુનઃ બિમાર પડી શકે છે, કારણ કે મેલેરિયાને કારણે વ્યક્તિ અશક્ત હોય છે ઉપરાંત ચાર દિવસ ઉપવાસ કરે છે. તેથી ખોરાકના અભાવે તે વધારે અશક્ત બને છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારતંત્રની કાર્યક્ષમતા ખૂબ જ નબળી હોવાથી અછબડાના રોગીની સારવારમાં ચેપ ઝડપથી લાગી શકે છે અને પુનઃ બિમાર પડી શકે છે.

પ્રશ્ન 6.
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિઓમાં તમે બિમાર થઈ શકો છો?
(a) જ્યારે તમારી પરીક્ષાનો સમય છે.
(b) જ્યારે તમે બસ તેમજ રેલગાડીમાં બે દિવસ સુધી યાત્રા કરીને આવ્યા હોય.
(c) જ્યારે તમારો મિત્ર ઓરીથી પીડાય છે. શા માટે?
ઉત્તર:
(c) કારણ કે ઓરી સંસર્ગજન્ય (ચેપી) રોગ છે.

GSEB Class 9 Science આપણે શા માટે માંદા પડીએ છીએ? Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પ.પ. પાના નં. 178]

પ્રશ્ન 1.
સારા સ્વાથ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો.
ઉત્તર:
સારા સ્વાથ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ:

  • શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ અને
  • આસપાસનું સ્વસ્થ પર્યાવરણ.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 2.
રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ બે આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો.
ઉત્તરઃ
રોગમુક્ત રહેવા માટેની બે આવશ્યક પરિસ્થિતિઓ:

  • વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા અને
  • સ્વચ્છ પર્યાવરણ.

પ્રશ્ન 3.
શું ઉપર્યુક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન છે? શા માટે?
ઉત્તરઃ
ના, ભિન્ન છે. કારણ કે વ્યક્તિ રોગમુક્ત હોઈ શકે છે, હું પરંતુ તે માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ ન હોય તેવું બની શકે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 180]

પ્રશ્ન 1.
એવાં ત્રણ કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બિમાર છો અને ચિકિત્સકની પાસે જવા માગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તોપણ ચિકિત્સક પાસે જવા માગો છો? શા માટે અથવા શા માટે નહિ?
ઉત્તરઃ

  • માથાનો દુખાવો,
  • શરદી તથા ખાંસી અને
  • શરીર કળતર

આ ત્રણ કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે તે બિમાર છે અને ચિકિત્સક પાસે જવા માગે છે.
જો આમાંથી એક પણ લક્ષણ હોય તોપણ ચિકિત્સક પાસે જઈ ડે ચોક્કસ સારવાર લેવી જોઈએ.

પ્રશ્ન 2.
નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ પર ખરાબ રે અસર પડેલી છે? અને કેમ?
(1) જો તમને કમળો થયો હોય.
(2) જો તમને જૂ પડી હોય.
(3) જો તમને ખીલ થયા હોય.
ઉત્તર:
જ્યારે કમળો થયો હોય ત્યારે સ્વાથ્ય પર ખરાબ અસર પડે છે. કારણ કે, કમળો થયો હોય ત્યારે આપણા યકૃત પર તેની ખૂબ જ વિપરીત અસર થાય છે. આ બિમારી હઠીલા રોગ તરીકે ગણાય છે અને તેની લાંબા સમય સુધી અસરકારક સારવાર જરૂરી છે.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

Intext પ્રશ્નોત્તર [પા.પ. પાના નં. 187]

પ્રશ્ન 1.
જ્યારે તમે બિમાર થાઓ છો, ત્યારે તમને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે?
ઉત્તરઃ
રોગપ્રતિકારક તંત્રની ઓછી કાર્યક્ષમતાથી બિમારી થાય છે. જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થતાં રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય કાર્યક્ષમ થતું નથી. આથી બિમારીમાંથી ઝડપથી સ્વસ્થ થવા માટે સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ આપવામાં આવે છે.

પ્રશ્ન 2.
સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો કઈ { કઈ છે? [1 ગુણ)
ઉત્તરઃ
સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો દૂષિત પાણી, દૂષિત ખોરાક, દૂષિત હવા, લિંગી સંપર્કો, મચ્છર કરડવાથી, હડકવાગ્રસ્ત પ્રાણી કરડવાથી કે પરોક્ષ સંપર્ક છે.

પ્રશ્ન 3.
તમારી શાળામાં સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા { માટે કઈ કઈ સાવચેતીઓ આવશ્યક છે? [1 ગુણ)
ઉત્તરઃ
શાળામાં સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા નીચેની સાવચેતીઓ આવશ્યક છે :

  • વધારે ભીડ થતી રોકવી.
  • સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
  • શાળાના વિસ્તાર અને વર્ગખંડોની સફાઈ કરવી તેમજ જંતુનાશકોના છંટકાવ કરવો.
  • ચોખ્ખા શૌચાલયની વ્યવસ્થા કરવી.
  • શાળા કે તેની આજુબાજુના વિસ્તારમાં બંધિયાર પાણી ન રહે તેની તકેદારી રાખવી.
  • શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લા ખોરાક કે ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરે.
  • શાળામાં વખતોવખત સંસર્ગજન્ય રોગો સામે રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે.
  • શરદી-ખાંસીથી બિમાર વિદ્યાર્થી છીંક કે ઉધરસ ખાતી વખતે નાક-મોં આગળ રૂમાલ રાખે.
  • ગંભીર સંસર્ગજન્ય રોગથી પીડાતા વિદ્યાર્થી શાળામાં આવવાને બદલે ઘરે આરામ કરે અને ઉપચાર કરાવે.

પ્રશ્ન 4.
રોગપ્રતિકારકતા એટલે શું?
ઉત્તર:
રોગપ્રતિકારકતા એટલે શરીરમાં બહારથી પ્રવેશતા રોગકારકો સામે લડી શરીરને સ્વસ્થ જાળવવાની ક્ષમતા.

પ્રશ્ન 5.
તમારી નજીકમાં આવેલ સ્વાથ્ય કેન્દ્રમાં રસીકરણના કયા કાર્યક્રમ થાય છે? તમારા વિસ્તારમાં કઈ કઈ સ્વાથ્થસંબંધી મુખ્ય સમસ્યાઓ છે?
ઉત્તર:
અમારી નજીકમાં આવેલા સ્વાથ્ય કેન્દ્રમાં ક્ષય, પોલિયો, ઓરી, હિપેટાઇટિસ, ડિફરિયા, ઊંટાટિયું, ધનુર રોગ અટકાવવાના રસીકરણ કાર્યક્રમો થાય છે.
અમારા વિસ્તારમાં મેલેરિયા, ટાઇફૉઇડ, ડેગ્યુ, હિપેટાઇટિસ, ક્ષય જેવી મુખ્ય સ્વાથ્યસંબંધી સમસ્યાઓ છે.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

GSEB Class 9 Science આપણે શા માટે માંદા પડીએ છીએ? Textbook Activities

પ્રવૃત્તિ 13.1 [પા.પુ. પાના નં. 176]

પ્રશ્ન 1.
તમે લાતૂર, ભુજ, કશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે સાંભળેલું હશે. જો આવી ઘટનાઓ આપણી આજુબાજુ થયેલી હોય, તો કલ્પના કરો કે લોકોના સ્વાથ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે?
ઉત્તર:
લોકોના સ્વાથ્ય પર વિપરીત અસર થયેલી હશે.

પ્રશ્ન 2.
કુદરતી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર કઈ અસરો પહોંચી હશે?
ઉત્તરઃ
કુદરતી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર ભય, ચિંતાની માનસિક અસરો પહોંચી હશે.

પ્રશ્ન 3.
વિપત્તિ આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે?
ઉત્તર:
જ્યાં સુધી યોગ્ય સફાઈ કામગીરી, મૃતદેહોનો નિકાલ, જંતુનાશકોનો છંટકાવ, પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છ પાણી પુરવઠો, રસીકરણ, ઍન્ટિબાયોટિક વગેરે પર્યાપ્ત માત્રામાં તેમજ રોગીષ્ઠ વ્યક્તિઓને તબીબી માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વિભિન્ન પ્રકારની સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ
ઉત્પન્ન થતી રહેશે.

પ્રશ્ન 4.
પહેલી પરિસ્થિતિમાં વિપત્તિના સમયે) સ્વાસ્થ પર શું અસર પડે છે? અને બીજી પરિસ્થિતિમાં (વિપત્તિના સમય પછી) સ્વાથ્ય સંબંધિત કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ હશે? ઉત્તરઃ
પહેલી પરિસ્થિતિમાં (વિપત્તિના સમયે) સ્વાથ્ય પર શારીરિક અસરો; જેવી કે શારીરિક ઈજાઓ, અસ્થિભંગ તેમજ ભૂખતરસથી બેહાલ વગેરે અને કુટુંબના સભ્યો ગુમાવવાથી કે સ્થાવર-જંગમ મિલક્ત ગુમાવવાથી માનસિક તાણ, વ્યગ્રતા અને દુઃખની માનસિક અસર જોવા મળે છે.

બીજી પરિસ્થિતિમાં (વિપત્તિના સમય પછી) કાયમી અપંગતા, પ્રદૂષિત પાણી-ખોરાકના ઉપયોગથી ઝાડા, કમળો, કૉલેરા, શરદી-ખાંસી વગેરે શારીરિક સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ તેમજ ઘરવખરી-મિલકત, કુટુંબના સભ્યો ગુમાવવાના દુઃખ અને ફરી વસવાટ – પોષણની માનસિક ચિંતા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ હશે.

પ્રવૃત્તિ 13.2 [પા.પુ. પાના નં. 177.]

તમારા સ્થાનિક પ્રશાસન (પંચાયત, નગરનિગમ) દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની જાણકારી મેળવો.

પ્રશ્ન 1.
શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે?
ઉત્તર:
હા.

પ્રવૃત્તિ 13.3 [પા.પુ. પાના નં 177]

પ્રશ્ન 1.
તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે?
ઉત્તરઃ
સફાઈ કામદારો મહોલ્લાની સફાઈ કરી કચરો ભેગો કરે છે. કચરો લઈ જવા માટેની ગાડી નિયત સમયે આવતાં મહોલ્લાનો તેમજ ઘરવપરાશનો ડસ્ટબિનમાં એકત્ર કરેલો કચરો લઈ જાય છે.

પ્રશ્ન 2.
શું સ્થાનિક અધિકારીએ કરેલા ઉપાયો પર્યાપ્ત છે?
ઉત્તરઃ
ના.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 3.
જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો છો?
ઉત્તર:
ઘરવપરાશમાં કચરાનું ઉત્પાદન ઘટાડવું.

પ્રશ્ન 4.
તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે શું કરશો?
ઉત્તરઃ
ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે:

  • ખોરાકનો બગાડ અટકાવીશું.
  • શક્ય હોય ત્યાં સુધી શાકભાજીનો છાલ સાથે રસોઈમાં ઉપયોગ કરીશું.
  • જૈવવિઘટનીય કચરાને જમીનમાં દાટી દઈ ખાતર તરીકે ઉપયોગ કરવાની ટેવ વિકસાવીશું.
  • પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કપડાની થેલીનો ઉપયોગ કરીશું.
  • પુનઃઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓના ઉપયોગનો આગ્રહ રાખીશું.

પ્રવૃત્તિ 13.4 [પા.પુ. પાના નં. 178]

તમારી આસપાસના પર્યાવરણનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

(1) છેલ્લા ત્રણ મહિનાઓમાં કેટલા લોકો તીવ્ર રોગોથી પીડાય છે?
ઉત્તર:
અવલોકનમાં જણાયું કે મોટા ભાગના લોકો છેલ્લા ત્રણ મહિનાઓમાં તીવ્ર રોગોથી પીડાય છે.

(2) છેલ્લા ત્રણ મહિનામાં કેટલા લોકોને હઠીલા રોગો થયા?
ઉત્તર:
છેલ્લા ત્રણ મહિનામાં ખૂબ જ ઓછા લોકોને હઠીલા રોગો થયા.

(3) તમારા પડોશના કુલ કેટલા લોકો હઠીલા (Chronic – ક્રૉનિક) રોગથી પીડાય છે?
ઉત્તર:
અમારા પડોશના કુલ 8 લોકો હઠીલા (ક્રૉનિક) રોગથી પીડાય છે.

પ્રશ્ન 1.
શું ઉપર્યુક્ત પ્રશ્ન (1) તથા (2)ના ઉત્તરો ભિન્ન છે?
ઉત્તર:
હા.

પ્રશ્ન 2.
શું ઉપર્યુક્ત પ્રશ્ન (2) તથા (3)ના ઉત્તરો ભિન્ન છે?
ઉત્તર:
હા.

પ્રશ્ન 3.
આ ભિન્નતાનું કારણ શું હોઈ શકે છે? આ ભિન્નતાની લોકોના સામાન્ય સ્વાથ્ય પર શું અસર પડે છે?
ઉત્તરઃ
આ ભિન્નતાનું કારણ તીવ્ર રોગો વારંવાર થાય છે, પરંતુ તેનો સમયગાળો ટૂંકો હોય છે. તીવ્ર રોગો સ્વાથ્ય પર બહુ મોટી અસર સર્જતા નથી અને દર્દી થોડા સમયમાં સાજો થઈ જાય છે.
જ્યારે હઠીલા રોગોનો ગાળો લાંબો કે જીવનપર્યત હોવાથી દર્દીના સ્વાથ્ય પર ગંભીર અસરો સર્જાવાને કારણે સામાન્ય જીવન મેળવવું મુશ્કેલ પડે છે.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રવૃત્તિ 13.5 [પા.પુ. પાના નં. 182]

પ્રશ્ન 1.
તપાસ કરો કે તમારા વર્ગમાં તાજેતરમાં કેટલા વિદ્યાર્થીઓને શરદી/ઉધરસ/તાવ આવ્યો હતો?
ઉત્તર:
વર્ગના બહુ ઓછા વિદ્યાર્થીઓને તાજેતરમાં શરદી/ઉધરસ/તાવ આવ્યો હતો.

પ્રશ્ન 2.
તેઓની બિમારી કેટલા દિવસો સુધી રહી?
ઉત્તર:
તેઓની બિમારી લગભગ એક અઠવાડિયા સુધી રહી.

પ્રશ્ન 3.
તેમાંથી કેટલા વિદ્યાર્થીઓએ ઍન્ટિબાયોટિકનો ઉપયોગ કર્યો હતો? (તેમના માતા-પિતાને પૂછો કે એમણે ઍન્ટિબાયોટિક લીધી હતી કે નહિ?)
ઉત્તર:
અમુક વિદ્યાર્થીઓએ ઍન્ટિબાયોટિકનો ઉપયોગ કર્યો હતો. તેમના માતા-પિતાએ ઍન્ટિબાયોટિક લીધી ન હતી.

પ્રશ્ન 4.
જે વિદ્યાર્થીઓએ ઍન્ટિબાયોટિક લીધી હતી તે વિદ્યાર્થીઓ કેટલા દિવસો સુધી બિમાર રહ્યા હતા?
ઉત્તર:
જે વિદ્યાર્થીઓએ ઍન્ટિબાયોટિક લીધી હતી તે વિદ્યાર્થીઓ લગભગ પાંચ દિવસ સુધી બિમાર રહ્યા હતા.

પ્રશ્ન 5.
જે વિદ્યાર્થીઓએ ઍન્ટિબાયોટિક લીધી નહોતી તે વિદ્યાર્થીઓ કેટલા દિવસો સુધી બિમાર રહ્યા હતા?
ઉત્તર:
જે વિદ્યાર્થીઓએ ઍન્ટિબાયોટિક લીધી નહોતી તે વિદ્યાર્થીઓ લગભગ સાતેક દિવસ સુધી બિમાર રહ્યા હતા.

પ્રશ્ન 6.
શું આ બે જૂથો વચ્ચે કોઈ ભેદ છે?
ઉત્તર:
હા.

પ્રશ્ન 7.
જો હા હોય તો શા માટે? જો ના હોય તો શા માટે નહિ?
ઉત્તર:
જે વિદ્યાર્થીઓને વાઇરસના સંક્રમણ સાથે બૅક્ટરિયાનું સંક્રમણ હતું, તેમની સારવાર માટે ઍન્ટિબાયોટિકની આવશ્યકતા હતી. જે વિદ્યાર્થીઓને ફક્ત વાઇરસનું સંક્રમણ હતું, તેમની સારવારમાં ઍન્ટિબાયોટિક અસરકારક નહોતી.

પ્રવૃત્તિ 13.6 [પા.પુ. પાના નં 186]

પ્રશ્ન 1.
તમારા મહોલ્લામાં એક સર્વેક્ષણ કરો. દસ પરિવારો સાથે વાતચીત કરો. જેમની રહેણીકરણી ઉચ્ચ સ્તરની છે અને દસ એવા પરિવારને લો કે જે તમારા અનુમાન અનુસાર ગરીબ છે. આ બે પરિવારોમાં બાળકો હોવાં જોઈએ. જેઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય. પ્રત્યેક બાળકની ઊંચાઈ માપો અને તેઓની ઉંમર લખો. તેનો ? એક આલેખ તૈયાર કરો.
ઉત્તર:
GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 1
ઉચ્ચ રહેણીકરણી ધરાવતા પરિવારોનાં બાળકો.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ 2
ગરીબ પરિવારોનાં બાળકો

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 2.
શું વર્ગમાં કોઈ ભેદ છે? અને જો હોય તો શા માટે ભેદ છે?
ઉત્તરઃ
હા, ઉચ્ચ રહેણીકરણી ધરાવતા પરિવારનાં બાળકોને ગરીબ પરિવારનાં બાળકો કરતાં પૂરતો સમતોલ આહાર, સ્વચ્છ પર્યાવરણ અને જીવવા માટે વધારે સારી પરિસ્થિતિ પ્રાપ્ત હોવાથી તેઓ ઉંમર મુજબ વધારે સારી વૃદ્ધિ કરી શકે છે.

પ્રશ્ન 3.
જો તેમાં કોઈ ભેદ નથી તો શું તમે તે નિર્ણય પર આવી શકો છો કે સ્વાથ્ય માટે ધનવાન અને ગરીબમાં કોઈ મહત્ત્વનો ભેદ નથી?
ઉત્તર:
સ્વાથ્ય માટે ધનવાન અને ગરીબમાં ભેદ છે.

પ્રવૃત્તિ 13.7 [પા.પુ. પાના નં 187]

રોગગ્રસ્ત કૂતરાઓ અને અન્ય પ્રાણીઓનાં કરડવાથી રેબીસ(હડકવા)ના વાઇરસ ફેલાય છે. મનુષ્ય અને પ્રાણીઓ બંનેને માટે ઍન્ટિરેબીસ (હડકવાવિરોધી) રસી પ્રાપ્ય છે. તપાસ કરો કે સ્થાનિક પ્રશાસન તમારા અડોશપડોશમાં રેબીસને ફેલાતાં અટકાવવા માટે શું કરી રહ્યું છે? શું આ ઉપાય પર્યાપ્ત છે? જો નથી તો તમે આની સુધારણા માટે શું સૂચન કરી શકો છો?
ઉત્તરઃ
સ્થાનિક પ્રશાસન કૂતરાં પકડવાની ગાડીઓ ફેરવી કૂતરાં પકડે છે. તેમની નસબંધી કરી તેમજ હડકવાવિરોધી રસી આપીને તેમને રહેઠાણ વિસ્તારોથી દૂર છોડી મૂકે છે.
આ ઉપાય પર્યાપ્ત નથી, કારણ કે રહેઠાણ વિસ્તારનાં બધાં કૂતરાં પકડાતાં નથી.
આની સુધારણા માટે રખડતા કૂતરાનું તેમજ જે લોકો પ્રાણીઓ પાળે છે તેમનાં પ્રાણીઓનું પણ સતત રસીકરણ કરવું જરૂરી છે.

આના વિશે વિચારો

પ્રશ્ન 1.
શું બધા રોગો રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે?
ઉત્તર:
ના.

પ્રશ્ન 2.
એવા કયા રોગો છે કે જે સંપર્કથી ફેલાતા નથી?
ઉત્તર:
કૅન્સર, ઊંચું રુધિર દબાણ, ડાયાબિટીસ.

GSEB Solutions Class 9 Science Chapter 13 આપણે શા માટે માંદા પડીએ છીએ?

પ્રશ્ન 3.
મનુષ્યોમાં તે રોગો કેવી રીતે થાય છે, જે રોગીના સંપર્કમાં આવવાથી ફેલાતા નથી?
ઉત્તરઃ
રોગીના સંપર્કમાં આવવાથી ફેલાતા નથી, તે રોગોમાં કૅન્સર જનીનિક અનિયમિતતાને કારણે, ઊંચું રુધિર દબાણ વધારે વજન હોવાના અને કસરત ન કરવાને કારણે, ડાયાબિટીસ અંતઃસ્ત્રાવ(ઇસ્યુલિન)ના અપૂરતા પ્રમાણ કે ઊણપને કારણે થાય છે.

Leave a Comment

Your email address will not be published.