GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

સજીવનો પાયાનો એકમ Class 9 GSEB Solutions Science Chapter 5

GSEB Class 9 Science સજીવનો પાયાનો એકમ Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
પ્રાણીકોષની સાથે વનસ્પતિકોષની તુલના કરો અને તેમના તફાવત લખો.
ઉત્તર:

વનસ્પતિકોષ પ્રાણીકોષ
1. તેમાં હરિતકણ હોય છે. 1. તેમાં હરિતકણનો અભાવ હોય છે.
2. તેમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે.  2. તેમાં તારાકેન્દ્ર હોય છે.
3. તેમાં કોષદીવાલ હોય છે. 3. તેમાં કોષદીવાલનો અભાવ હોય છે.
4. તેમાં રસધાની મોટા કદની હોય છે. 4. તેમાં રસધાની નાના કદની હોય છે.

પ્રશ્ન 2.
પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષથી કેવી રીતે ભિના છે?
ઉત્તર:

  • પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના (1 – 10 um) ધરાવતા, કોષકેન્દ્રપટલની ગેરહાજરી, કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી દર્શાવે છે.
  • યુકેરિયોટિક કોષ કદમાં મોટા (5 – 100 um), કોષકેન્દ્રપટલની હાજરી, કોષકેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે.
    અથવા
  • જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 26નો ઉત્તર,

પ્રશ્ન 3.
જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે?
ઉત્તર:
જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 4.
જો ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષના જીવનનું શું થાય?
ઉત્તરઃ
ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષની નીપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતાં કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે.

પ્રશ્ન 5.
કઈ અંગિકાને કોષના ઊર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય ડે છે? શા માટે?
ઉત્તરઃ
કણાભસૂત્ર અંગિકા કોષના ઊર્જાઘર | શક્તિઘર તરીકે ઓળખાય છે. કારણ કે, જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા ATPના સ્વરૂપમાં કણાભસૂત્રમાં નિર્માણ કરવામાં આવે છે.

પ્રશ્ન 6.
કોષરસપટલનું બંધારણ કરતાં લિપિન્ટ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે?
ઉત્તર:
કોષરસપટલનું બંધારણ કરતાં લિપિન્ટ્સ અને પ્રોટીનનું 3 સંશ્લેષણ અંતઃકોષરસજાળમાં થાય છે.

પ્રશ્ન 7.
અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે?
ઉત્તરઃ
અમીબા તેનો ખોરાક કોષરસપટલ વડે થતી અંતર્વહન ક્રિયા દ્વારા મેળવે છે.

પ્રશ્ન 8.
આકૃતિ એટલે શું?
ઉત્તરઃ
બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપરટોનિક અને હાઇપોટોનિક) વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ(હાઈપોટોનિક)થી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપરટોનિક) તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આગૃતિ કહે છે.

પ્રશ્ન 9.
નીચેનો આકૃતિનો પ્રયોગ કરો :
બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને તેને ખોતરીને બટાટાના કપ્સ બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો.
(a) કપ મને ખાલી રાખો.
(b) કપ Bમાં એક ચમચી શર્કરા મૂકો.
(c) કપ માં એક ચમચી મીઠું મૂકો.
(d) કપD જે ઉકાળેલા કે બાફેલા બટાટાનો કપ છે, તેમાં એક ચમચી શર્કરા મુકો.
આ ચારેય કલ્પને બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો:
(i) કપ B અને Cની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠું થાય છે? સમજાવો.
(ii) બટાટાનો કપ A શા માટે આ પ્રયોગ માટે આવશ્યક છે?
(iii) કપ A અને Dની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠું થતું નથી? સમજાવો.
ઉત્તર:
GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 1
(i) કપ B અને Cની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે. કારણ કે, બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે.
(ii) આ પ્રયોગ માટે બટાટાનો કપ A સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રણ નિદર્શન (Point) માટે છે.
(iii) કપ A અને Bની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી. કારણ કે, કપ Aમાં સાંદ્રતા તફાવત સર્જાવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આગૃતિ માટે બે ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે, જ્યારે કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે. તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ નથી અને આકૃતિ ક્રિયા દર્શાવાતી નથી.

GSEB Class 9 Science સજીવનો પાયાનો એકમ Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 59]

પ્રશ્ન 1.
કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે?
ઉત્તર:
રૉબર્ટ હૂકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા – સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 2.
શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે?
ઉત્તરઃ

  • એકકોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાનાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ? ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ(ફલિતાંડ)થી થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશસંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોપીય સ્તરે થાય છે.
  • આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 61]

પ્રશ્ન 1.
કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે? ચર્ચા કરો.
ઉત્તર:
CO2નું વહન કોષરસપટલ વડે પ્રસરણ દ્વારા જ્યારે પાણીનું વહન કોષરસપટલમાંથી આસૃતિ દ્વારા થાય છે.
CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે.

પ્રશ્ન 2.
કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે?
ઉત્તર:
કોષરસપટલ કેટલાંક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાંક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.

Intext [પ્રશ્નોત્તર પા.પુ. પાના નં. 63]

પ્રશ્ન 1.
નીચે આદિકોષકેન્દ્રી કોષો અને સુકોષકેન્દ્રી કોષોના તફાવત આપેલા છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો
GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 2
ઉત્તર:
2. ઓછો વિકાસ પામેલો છે. આ અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિઇક ઍસિડ હોય છે તે ન્યુક્લિૉઇડ
4. પટલમય અંગિકાઓની હાજરી છે.

Intext [પ્રશ્નોત્તર પા.પુ. પાના નં. 65]

પ્રશ્ન 1.
તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓનાં નામ આપો કે જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે.
ઉત્તર:
કણાભસૂત્ર અને હરિતકણ

પ્રશ્ન 2.
જો કેટલાંક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું ! આયોજન નાશ પામે તો તેનું શું થશે?
ઉત્તર:
કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાયસોઝોમ તેનું પાચન (વિઘટન) કરી નાખે.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રશ્ન 3.
લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના પાચક ઉન્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે. આથી લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 4.
કોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં થાય છે?
ઉત્તર:
કોષમાં પ્રોટીનસંશ્લેષણ રિબોઝોમ્સ સપાટી પર થાય છે.

GSEB Class 9 Science સજીવનો પાયાનો એકમ Textbook Activities

પ્રવૃત્તિ 5.1 [પા.પુ. પાના નં. 57].

→ ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવાની રીત વર્ણવો અને આસ્થાપનનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો?

હેતુ : ડુંગળીની છાલના કોષોનું હંગામી આસ્થાપન તૈયાર કરવું.
સાધનોઃ ચીપિયા, વૉચ ગ્લાસ, સ્લાઇડ, કવરસ્લિપ, પીંછી, સંયુક્ત ૯ સૂક્ષ્મદર્શક યંત્ર
અભિરંજક : આયોડિન
પદાર્થ ડુંગળીનું કંદ

આસ્થાપન તૈયાર કરવાની રીત :

  • ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી, તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો.
  • આ પાતળા પડને પાણી ભરેલા વૉચ ગ્લાસમાં મૂકો.
  • કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી, તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પીંછી વડે આ પડને સીધું કરો.
  • ત્યારપછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો.
  • તેના પર સોયની મદદથી કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
  • તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા (10 X) અને વધુ ક્ષમતાવાળા (45 X) વસ્તુકાચ હેઠળ અવલોકન કરો.
  • આ પ્રમાણે ડુંગળીના વિવિધ આકારવાળા પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ, તેની સ્લાઈડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.

1. સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે શું અવલોકન કર્યું?
ઉત્તર:
સૂક્ષ્મદર્શક યંત્રમાં નાનાં-મોટાં ખાનાં સ્વરૂપે કોષોનું અવલોકન કર્યું.

2. શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકનપત્ર પર દોરી શકશો?
ઉત્તર:
હા.
GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 3

3. શું તમે દોરેલી આકૃતિ નીચે આપેલી આકૃતિ જેવી દેખાય છે?
GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 4
[આકૃતિ : ડુંગળીની છાલના કોષો]
ઉત્તર:
હા.

4. ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઈડમાં તમે અવલોકી શકો છો?
ઉત્તર:
ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં પણ નાનાં-મોટાં ખાનાં સ્વરૂપે કોષરચના અવલોકી શકાય છે.

5. શું તમે એકસરખી સંરચનાઓ અવલોકો છો? અથવા અલગ અલગ રચનાઓ અવલોકો છો?
ઉત્તર:
બધી સંરચનાઓ એકસરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું શલ્કી આવરણ રચે છે.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

6. વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી કરી શકાય છે?
ઉત્તર:
વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરતાં એકસરખી સંરચનાઓ જોવા મળે છે. આ પરથી નક્કી કરી શકાય કે ડુંગળીના કોષો એકસમાન સંરચના ધરાવે છે. ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી.

પ્રવૃત્તિ 5.2 [પા.પુ. પાના નં. 58]

→ જુદા જુદા કદ ધરાવતા પર્ણના આવરણ (સ્તર), ડુંગળીના મૂલાગ્ર અને ડુંગળીના કંદના પડ લઈ, તેનું હંગામી આસ્થાપન તૈયાર કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.

આસ્થાપન તૈયાર કરવાની રીત :

  • ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી, તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો.
  • આ પાતળા પડને પાણી ભરેલા વૉચ ગ્લાસમાં મૂકો.
  • કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી, તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પીંછી વડે આ પડને સીધું કરો.
  • ત્યારપછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો.
  • તેના પર સોયની મદદથી કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
  • તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા (10 X) અને વધુ ક્ષમતાવાળા (45 X) વસ્તુકાચ હેઠળ અવલોકન કરો.
  • આ પ્રમાણે ડુંગળીના વિવિધ આકારવાળા પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ, તેની સ્લાઈડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે?
ઉત્તર:
ના, વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર જુદા જુદા હોય છે.

(b) શું બધા કોષોની સંરચના સમાન છે?
ઉત્તર:
ને, બધા કોષોની સંરચનામાં માત્ર કોષદીવાલ અને કોષકેન્દ્રની હાજરી બાબતે સમાનતા છે.

(c) વનસ્પતિદેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે?
ઉત્તરઃ
હા, વનસ્પતિદેહના વિભિન્ન ભાગોમાંના કોષો કદ, આકાર, રંગ, કાર્યમાં જુદા હોવાથી તેમના વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે.

(d) આપણને શું સમાનતા જોવા મળે છે?
ઉત્તર:
આપણને બધા કોષોમાં સ્પષ્ટ કોષકેન્દ્ર, રસધાની અને સૌથી : બહાર કોષદીવાલની હાજરી બાબતે સમાનતા જોવા મળે છે.

પ્રવૃત્તિ 5.3 [પા.પુ. પાના નં. 60]

ઈંડા સાથે આસૃતિ :
(a) ઈંડાને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ(HC)માં મૂકતાં, કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO)નું બનેલું કવચ ઓગળી દૂર થાય છે.

  • ઈંડા ફરતે પાતળું ત્વચીય બાહ્ય આવરણ રહેલું છે.
  • કવચ દૂર કરેલા ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો.
  • પાંચ મિનિટ પછી અવલોકન કરો.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 5
[આકૃતિ : ઈંડા સાથે આવૃતિ).
1. તમે શું અવલોકન કર્યું?
ઉત્તર:
આસૃતિ દ્વારા પાણી ઈંડામાં પ્રવેશવાને કારણે ઈંડું ફૂલે છે.

(b) કવચવિહીન ઈંડાને ક્ષાર(NaCI)ના સાંદ્ર દ્રાવણમાં મૂકો. પાંચ મિનિટ બાદ અવલોકન કરો.
1. ઈંડું સંકોચન પામે છે. શા માટે?
ઉત્તર:
બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણી બહારના દ્રાવણમાં આવે છે.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

પ્રવૃત્તિ 5.4 [પા.પુ. પાના નં. 60].

સૂકી દ્રાક્ષ કે જરદાળુમાં આગૃતિ :

  • સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકી, તેમને થોડો સમય રહેવા દો. અવલોકન કરો.
  • ત્યારબાદ તેને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો. તમારા અવલોકનની નોંધ કરો.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 6
[આકૃતિ : દ્રાક્ષમાં આસૃતિ] અવલોકન :

  • સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે ? ત્યારે તે પાણી શોષી ફૂલે છે. તે અંત આકૃતિ દર્શાવે છે.
  • દ્રાક્ષ કે જરદાળુને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી ગુમાવે છે અને ચીમળાઈ જાય છે. તે બહિઆકૃતિ સૂચવે છે.

પ્રવૃત્તિ 5.5 [પા.પુ. પાના નં. 61]

→ શાળાના પુસ્તકાલય કે ઈન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રૉન માઈક્રોસ્કોપ વિશે માહિતી એકત્ર કરો. તેની ચર્ચા તમારા વિષય-શિક્ષક સાથે કરો.

  • અર્નેસ્ટ રસ્કા (Ernst Ruska) અને મૅક્સ નૉલ (Max Knoll) 1931માં ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપનું સંશોધન કર્યું.
  • ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોમૅગ્નેટનો ઉપયોગ કરી અત્યંત ઝડપી ગતિનો વીજાણુપ્રવાહ વપરાય છે.
  • ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની રચનામાં બે પ્રકારના વિદ્યુતચુંબક લેન્સ, વીજાણુપ્રવાહ સર્જી તેમને નલિકામાર્ગે વહેવા પ્રેરતું સાધન, નમૂના માટે આસ્થાપન અને વીજાણુ વિકિરણથી પ્રસ્તુરિત પ્રતિબિંબ સર્જવાની ગોઠવણી હોય છે. આ માટે ઊંચા સ્તરની અવકાશ વ્યવસ્થા હોય છે.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 7
(આકૃતિ : ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ)

ટ્રાન્સમિશન ઇલેક્ટ્રૉન માઈક્રોસ્કોપી (TEM) :

  • તે ક્રિપરિમાણ (20) ઇમેજ સર્જે છે.
  • તેના દ્વારા કોષમાંની અંગિકાઓ, કેટલાક ઉન્સેચકોની તેમજ વિષાણુની હાજરી ચકાસી શકાય છે.

સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી (SEM) :

  • તે ત્રિપરિમાણ (30) ઇમેજ સર્જે છે.
  • તેના દ્વારા નમૂનાનો બાહ્ય રચનાનો અભ્યાસ તેમજ નમૂનાના ત્રિપરિમાણ સ્વરૂપની સમજ મેળવી શકાય છે.

પ્રવૃત્તિ 5.6 [પા.પુ. પાના નં. 61]

(a) ટ્રેડેસ્કેન્શિયા (રહો –Rheo) પર્ણની છાલના કોષોમાં રસસંકોચન:

  • રીહો પર્ણની છાલ(ઉપરિ અધિસ્તર)ને ઉખાડી, સ્લાઇડ પર આસ્થાપન કરો.
  • તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈપાવર નીચે તેનું અવલોકન કરો.
  • તેમાં લીલું રંજકદ્રવ્ય ક્લોરોફિલ ધરાવતી નાની લીલી કણિકાઓ તરીકે હરિતકણો જોવા મળે છે.
  • હવે, સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો.
  • એક મિનિટ પછી, સ્લાઈડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરો.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 8
[આકૃતિ : ટ્રેડેકૅન્શિયા પર્ણના કોષમાં રસસંકોચન]

1. આપણે શું જોઈ શકીએ છીએ?
અવલોકન : અવલોકનમાં આપણે જીવંત કોષમાં આકૃતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષરસનું સંકોચન અને તેથી કોષરસ કોષદીવાલથી દૂર થયેલો જોઈ શકીએ છીએ.

(b) થોડાં રીહો પર્ણોને ઉકાળેલા પાણીમાં થોડો સમય મૂકો.

  • ઊકળતું પાણી પણના કોષોનો નાશ કરે છે.
  • એક આવા પર્ણની છાલ(અધિસ્તર)ને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
    આસ્થાપિત પર્ણ પર શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકો.
  • એક મિનિટ બાદ તેનું ફરી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.

1. આપણને શું જોવા મળશે?
ઉત્તર:
આપણને કોષરસની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળતો નથી.

2. શું રસસંકોચન થશે?
ઉત્તર:
ના

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

3. આ પ્રવૃત્તિથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે?
ઉત્તર:
આ પ્રવૃત્તિથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે માત્ર જીવંત કોષોમાં આસૂતિ થાય છે. મૃત કોષો આસૃતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી.

→ ડુંગળીના કંદના પડના હંગામી આસ્થાપન સંબંધિત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
4. ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણનાં ટીપાં શા માટે મૂકવામાં આવે છે?
ઉત્તર:
ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણનાં ટીપાં મૂકવામાં આવે છે, કારણ કે આયોડિન અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશોમાં તેમના રસાયણ બંધારણ અનુસાર ઘેરા-ઝાંખા રંગની ભિન્નતા જોઈ શકાય છે.

5. જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો શું થાય?
ઉત્તર:
ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના સફેદ પડના ભિન્ન પ્રદેશો અલગ જોઈ શકાતા નથી.

6. આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય?
ઉત્તર:
આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા સેક્રેનિન કે મિથિલીન બ્લ્યુના દ્રાવણનો અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય.

પ્રવૃત્તિ 5.7 [પા.પુ. પાના નં. 61]

ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું આસ્થાપન:

  • કાચની સ્વચ્છ સ્લાઈડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો.
  • આઇસક્રીમના ચમચા વડે ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો.
  • ચમચા પર મળતા દ્રવ્યને સોયની મદદથી સ્લાઇડ પર મૂકી વિસ્તૃત કરો.
  • તેના પર મિથિલીન બ્લ્યુનું એક ટીપું મૂકો.
  • કવરસ્લિપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા ન રહે.
  • તૈયાર થયેલ હંગામી આસ્થાપનનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.

1. આપણે શું અવલોકન કરીશું? આપણને કોષોનું કેવું સ્વરૂપ જોવા મળશે? તેને અવલોકનપત્ર પર દોરો.
ઉત્તર:
પ્રાણીકોષના અવલોકનમાં કોષો કોષદીવાલ ધરાવતા નથી, પરંતુ મધ્યમાં કોષકેન્દ્ર ધરાવે છે. કોષોનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે જોવા મળે છે.
GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ 9
[આકૃતિ : ગાલના કોષો]

2. શું તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના છે?
ઉત્તર:
હા.

3. પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને શું કહે છે?
ઉત્તર:
પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને કોષકેન્દ્ર કહે છે.

GSEB Solutions Class 9 Science Chapter 5 સજીવનો પાયાનો એકમ

4. શું આ કોષો ડુંગળીની છાલના કોષોની સંરચનાને સમાન રચના ધરાવે છે?
ઉત્તર:
ના, આ કોષો ડુંગળીની છાલના કોષોની જેમ કોષદીવાલ અને રસધાની દર્શાવતા નથી. માત્ર કોષકેન્દ્ર અને કોષરસ બાબતે સમાન રચના ધરાવે છે.

Leave a Comment

Your email address will not be published.