GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Class 8 GSEB Solutions Science Chapter 7

GSEB Class 8 Science વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે. તેને ……………….. કહેવાય છે.
ઉત્તરઃ
વન્ય પ્રાણી અભયારણ્ય

પ્રશ્ન 2.
કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને …………………………… કહે છે.
ઉત્તરઃ
સ્થાનિક જાતિ

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 3.
પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ………………………… પરિવર્તનના કારણે ઊડીને આવે છે.
ઉત્તરઃ
વાતાવરણીય

2. નીચેનાનો તફાવત સ્પષ્ટ કરોઃ

પ્રશ્ન 1.
વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર
ઉત્તરઃ

વન્ય પ્રાણી અભયારણ્ય જૈવાવરણ આરક્ષિત વિસ્તાર
1. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. 1. જે-તે ક્ષેત્રની જૈવવિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જેવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે.
2. તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. 2. તેમાં અન્ય ઘણાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલાં હોય છે.

પ્રશ્ન 2.
પ્રાણીસંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય
ઉત્તરઃ

પ્રાણીસંગ્રહાલય વન્ય પ્રાણી અભયારણ્ય
1. તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે. 1. તેમાં પ્રાણીઓ મુક્ત છૂટાં હોય છે.
2. તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે. 2. તે કુદરતી વસવાટ છે.
3. તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે. . તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે.

પ્રશ્ન 3.
નાશ:પ્રાય જાતિ અને લુપ્ત જાતિ
ઉત્તરઃ

નાશ:પ્રાય જાતિ લુપ્ત જાતિ
1. નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશ:પ્રાય જાતિ કહે છે. 1. પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે.
2. સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે. 2. લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી.
3. વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે. 3. ડાયનોસૉર લુપ્ત જાતિ છે.

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 4.
વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ
ઉત્તરઃ

વનસ્પતિ સૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ
1. પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે. 1. પ્રાણીસૃષ્ટિના મોટા ભાગનાં પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધાં આધારિત છે.
2. જે-તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. 2. જે-તે વિસ્તારનાં પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણીસૃષ્ટિ કહે છે.
3. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ-સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરે છે. 3. પ્રાણીસૃષ્ટિના સભ્યો પ્રકાશસંશ્લેષણ કરી શકતા નથી. તેથી કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરતા નથી.
4. સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે વગેરે પ્રાણીસૃષ્ટિ છે. 4. ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો, વનસ્પતિ સૃષ્ટિ છે.

પ્રશ્ન 3.
નીચે આપેલા મુદ્દા પર વનનાબૂદીની અસરો જણાવોઃ

  1. વન્ય પ્રાણીઓ
  2. પર્યાવરણ
  3. ગામડાંઓ
  4. શહેર
  5. પૃથ્વી
  6. આવનારી પેઢી

ઉત્તરઃ

  1. વન્ય પ્રાણીઓઃ વનનાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે. વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણાં વન્ય પ્રાણીઓ નાશ:પ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે.
  2. પર્યાવરણઃ વનનાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદૂષણ થાય છે. જલચક્રનું સંતુલન ખોરવાય છે. વરસાદમાં ઘટાડો થાય છે. ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિની ફળદ્રુપતા ઘટે છે.
  3. ગામડાંઓ ગામડાંઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલાં હોય છે. વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતાં પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વબચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડાં મળતાં નથી. વરસાદમાં ઘટાડો થાય છે.
  4. શહેરઃ વનનાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી. પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે.
  5. પૃથ્વી: વનનાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળનાં સ્તર ઊંડાં ઊતરતાં જાય છે.
  6. આવનારી પેઢીઃ વનનાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં.

4. શું થશે જો ..

પ્રશ્ન 1.
આપણે વૃક્ષો કાપતાં રહીશું તો
ઉત્તરઃ

  1. પર્યાવરણીય સંતુલન જોખમાશે.
  2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે.
  3. ઘણાં વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે.
  4. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે.
  5. વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે.

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 2.
કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય / નાશ પામે તો…
ઉત્તરઃ

  1.  પ્રાણી અસુરક્ષિત થઈ જાય.
  2. તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશ:પ્રાય બની શકે.

પ્રશ્ન 3.
ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો…
ઉત્તરઃ

  1. ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય.
  2. ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય.
  3. ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય.

5. ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
આપણે જૈવવિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
ઉત્તરઃ
આપણે જૈવવિવિધતાનું સંરક્ષણ

  1. સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા
  2. નિવસનતંત્રની આહારશૃંખલા અને આહારજાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ.

પ્રશ્ન 2.
સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે?
ઉત્તરઃ
સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે.

પ્રશ્ન 3.
કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે?
ઉત્તરઃ
કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે.

પ્રશ્ન 4.
વનનાબૂદીનાં કારણો અને અસરો કઈ છે?
ઉત્તર:
વનનાબૂદીનાં કારણો:

  1. ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત
  2. રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત
  3. બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ.

વનનાબૂદીની અસરો:

  1. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનો વધારો
  2. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો
  3. વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો.

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 5.
રેડ ડેટા બુક એટલે શું?
ઉત્તરઃ
રેડ ડેટા બુક એટલે નાશ:પ્રાય જાતિઓનો રેકૉર્ડ રાખતી બુક.

પ્રશ્ન 6.
સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા?
ઉત્તરઃ
સ્થળાંતરણઃ કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઊડી જાય છે.

ઠંડી સામે બચવા અને ઈંડાં મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે.

પ્રશ્ન 6.
કારખાનાંઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યાં છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો.
ઉત્તરઃ
ના, કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી.
આપણે ફક્ત વૃક્ષો કાપતાં નથી, પરંતુ ઘણાં પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી (લાંબા ગાળાની) હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાંઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતાં વૃક્ષો દૂર કરાય છે.

પ્રશ્ન 7.
તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારાં પગલાંની યાદી તૈયાર કરો.
ઉત્તરઃ
સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેનાં પગલાંની યાદી :

  1. સ્થાનિક વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો ઉગાડીશું.
  2. રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું.
  3. સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું.
  4. જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને – તેની સંભાળના શપથ લઈશું.
  5. વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું.
  6. માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતાં અટકાવવાની જવાબદારી લઈશું.

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 8.
વનનાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો.
ઉત્તર:
વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે.

વનનાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી તે વરસાદમાં ઘટાડો આવ્યો છે.

પ્રશ્ન 9.
તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો.
ઉત્તર:
ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે.

  1. ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન (સૌરાષ્ટ્ર) એશિયાઈ સિંહની વસતિ ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે.
  2. બ્લેકબક (કાળિયાર) રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે. કાળિયારની ખૂબ વસતિ ધરાવે છે.
  3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશ:પ્રાય જાતિ પેઈન્ટેડ દેડકો જોવા મળે છે.
  4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર નજીક) સમૃદ્ધ પરવાળાં, દરિયાઈ લીલ અને મેન્ગવ વિવિધતા માટે જાણીતા છે.
    GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 1

પ્રશ્ન 10.
આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવાં કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે.
ઉત્તરઃ
1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણવિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતાં વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ.
કાગળની બચત થઈ શકે તેવાં કાર્યોની યાદી:

  1. કાગળનો પુનઃઉપયોગ તેમજ રિસાઇકલ કરવું જોઈએ.
  2. નકામા પેપર / કાગળ ભેગા કરી તેને રિસાઈકલ માટે મોકલવા.
  3. પરીક્ષામાં જવાબવહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો.
  4. બૅન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બૅન્કિંગનો ઉપયોગ વધારવો.
  5. વર્ગકાર્ય અને ગૃહકાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપનાં પાનાંઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો.
  6. નોટબુકનાં પાનાં બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે.
  7. જે-તે અભ્યાસ ધોરણને અંતે વધેલાં કોરાં પાનાં આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે.
  8. અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે-તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરાવવામાં આવે.

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રશ્ન 11.
નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો:
(RED DATA BOOK, ENDEMIC, EXTINCT, ENDANGERED, BIODIVERSITY, DESERTS)
ઊભી ચાવીઃ
1. જાતિ કે જે લુપ્તતાના આરે છે.
2. નાશપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી
5. વનનાબૂદીની અસર

આડી ચાવી:
1. જાતિ કે જે લુપ્ત થયેલ છે.
7. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
૩. ચોક્કસ સ્થાને જ જોવા મળતી જાતિઓ
4. કોઈ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની
GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 2
ઉત્તર:
GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 3

GSEB Class 8 Science વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

તમારી યાદીમાં વનનાબૂદીનાં અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવસર્જિતમાં વર્ગીકૃત કરો.
વનનાબૂદીનાં કારણો :

  1. વનમાં રસ્તા, રેલવે ટ્રેક વિકસાવવા
  2. વનમાં સરકારી આવાસ તેમજ હોટલો બનાવવી
  3. વન પ્રવાસન ઉદ્યોગ વિકસાવવો
  4. ભારે વરસાદ
  5. વાવાઝોડાં
  6. ભૂસ્મલન
  7. વૃક્ષોને સામૂહિક રીતે લાગુ પડતો કોઈ રોગ
  8. હાથી જેવાં પ્રાણીનાં મોટાં ઝૂંડ
  9. જંગલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ

કુદરતી કારણોઃ (4), (5), (6), (7), (8).
માનવસર્જિત કારણોઃ (1), (2), (3), (9).

પ્રવૃત્તિ 2:

કેવી રીતે વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે? આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો.
વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નીચેની રીતે પ્રભાવિત થાય છે:

  1. વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ તેમની કુદરતી નિવાસ ગુમાવે છે.
  2. વન્ય પ્રાણીઓએ અન્ય અનુકૂળ વસવાટમાં સ્થળાંતર કરવું પડે. જે  પ્રાણીઓ આ સ્થળાંતરમાં નિષ્ફળ નીવડે તેમનું અસ્તિત્વ જોખમાય છે.
  3. જો વન્ય પ્રાણીઓ તેમના મૂળ પરંતુ વનનાબૂદીથી બદલાયેલા પર્યાવરણમાં રહે તો હલકી કક્ષાનું જીવન વ્યતિત કરવું પડે છે.
  4. વનનાબૂદીથી વન્ય પ્રાણીઓનું કુદરતી રક્ષણ દૂર થતાં તેમની સંખ્યામાં ઘટાડો થાય છે.
  5. વન્ય પ્રાણીઓને પોષણપ્રાપ્તિમાં મુશ્કેલી પડે છે.
  6. વન્ય પ્રાણીઓની પ્રતિકાર ક્ષમતા ઘટે છે. તેમનું આયુષ્ય ઘટે છે.
  7. વન્ય પ્રાણીઓની પ્રજનનક્ષમતા પ્રભાવિત થાય છે.
  8. કેટલાંક પ્રાણીઓ વધારે હિંસક બને છે.

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રવૃત્તિ 3:

તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશનાં રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો. તથા નીચેના કોષ્ટકની પૂર્તતા કરો. આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો.

સંરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણી અભયારણ્ય જીવાવરણ આરક્ષિત વિસ્તાર
મારા જિલ્લામાં (અમદાવાદ) 0 0 0
મારા રાજ્યમાં (ગુજરાત) 4 21
મારા દેશમાં 90 448 14

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 4
GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 5
GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 6
GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ 7

પ્રવૃત્તિ 4:

તમારા પોતાના વિસ્તારમાં જૈવવિવિધતાનો નાશ કરનારાં કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવવિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તેને કેવી રીતે અટકાવી શકાય? તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં નોંધો.
ઉત્તર:
અમારા વિસ્તારમાં જૈવવિવિધતાનો નાશ કરનારાં કારણોમાં મુખ્યત્વે વધતો જતો વાહનવ્યવહાર, રસ્તા અને મેટ્રો પ્રૉજેક્ટ માટે કપાતાં વૃક્ષો, ધુમાડા અને અવાજનું પ્રદૂષણ, કીટકનાશકોના છંટકાવ વગેરે કારણો છે.

ઘરમાં ભીંત ગરોળીનો નાશ કરવો, ઉંદર માટે રેટકિલ દવાનો ઉપયોગ, મચ્છર તેમજ વંદા અને અન્ય કીટકોના ઉપદ્રવ્ય સામે વિવિધ કીટનાશક ઍના ઉપયોગ, ગાર્ડનમાં નીંદણ અને ઊધઈ વિરોધક દવાઓનો ઉપયોગ વગેરે પ્રવૃત્તિઓ અજાણે જ જૈવવિવિધતામાં ખલેલ પહોંચાડે છે.

અટકાવઃ

  1. બારીમાં મચ્છર પ્રવેશ અટકાવતી જાળીના ઉપયોગ.
  2. ઘરમાં રસોડા અને ટૉઇલેટને યોગ્ય રીતે સ્વચ્છ રાખી કીટકોનો ઉપદ્રવ્ય ઓછો થાય.
  3. ઉંદરને મારવાને બદલે તેમને પાંજરામાં પકડી દૂર છોડી મૂકવામાં આવે.
  4. ગાર્ડનમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે.
  5. સાપ કે અન્ય પ્રાણીને મારી નાખવાને બદલે તેમને પકડીને સર્પગૃહ કે પ્રાણીસંગ્રહાલયમાં લઈ જવામાં આવે.

આમ, નિવસનતંત્રની આહારજાળ અને આહારશૃંખલા ન તૂટે તેની કાળજી લઈ જૈવવિવિધતામાં ખલેલ અટકાવી શકાય.

પ્રવૃત્તિ 5:

તમારા આસપાસના વિસ્તારમાં આવેલી વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો.
વનસ્પતિસૃષ્ટિઃ ઘાસ, આકડો, બોરડી, મેંદી, આંબો, પીપળો, વડ, બારમાસી, સૂર્યમુખી, સરગવો, સપ્તપર્ણી, અડુની વેલ, ગરમાળો, લીમડો વગેરે.

પ્રાણીસૃષ્ટિઃ વંદો, કરોળિયાં, પતંગિયાં, કબૂતર, હોલા, કાગડા, ગરોળી, કાચિંડો, સાપ, નોળિયા, ઘો, કૂતરા, ગાય, ભેંસ, ઊંટ, ઘેટાં, બકરાં, ખિસકોલી વગેરે.

પ્રવૃત્તિ 6:

તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો, તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો.
ઉત્તર:
અમારા (અમદાવાદ) વિસ્તારમાં કોઈ સ્થાનિક વનસ્પતિ કે પ્રાણી નથી. પરંતુ અમારા ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહ અને કચ્છના ઘુડખર સ્થાનિક પ્રાણીઓ છે. જ્યારે ભાલિયા ઘઉં અને સફેદ મુસળી તેમજ ગૂગળ સ્થાનિક વનસ્પતિઓ છે.
[નોંધ: જે-તે વિસ્તારના વિદ્યાર્થી પોતાના વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની માહિતી આપી શકે.]

GSEB Solutions Class 8 Science Chapter 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

પ્રવૃત્તિ 7:

નજીકના પ્રાણીસંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંનાં પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યાં છે, તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસ સ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે કે પ્રાણી ઉદ્યાનમાં?
ઉત્તર:
પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને જે પરિસ્થિતિમાં રાખવામાં આવ્યાં છે તે યોગ્ય નથી, કારણ કે તેમને બંધનાવસ્થા(પાંજરા)માં રાખવામાં આવે છે. આમ છતાં શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી તેમજ ચોમાસામાં વરસાદ સામે તેમને રક્ષણ આપવાની વ્યવસ્થા તેમજ ખોરાક અને આરોગ્યની પૂરતી કાળજી રાખવામાં આવે છે.

પ્રાણીઓ કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે.

મારા મત મુજબ પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાનમાં વધુ આરામથી અને સ્વતંત્રતાથી રહી શકે છે.

વધારાની પ્રવૃત્તિ

સંકટયુક્ત જાતિઓના સંરક્ષણ માટે આપણા દેશમાં હાથ ધરાયેલી વિવિધ પરિયોજનાની જાણકારી પ્રાપ્ત કરો અને તેની નોંધ કરો.
ઉત્તર:
સંકટયુક્ત જાતિઓના સંરક્ષણ માટે આપણા દેશમાં હાથ ધરાયેલી વિવિધ પરિયોજનાઓ :

  1. વાઘ-સંરક્ષણ પરિયોજના : આ યોજના 1973માં અમલમાં આવી. અત્યારે દેશના 15 વિસ્તારોમાં અમલમાં છે. તેના પરિણામે વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
  2. ગીર સિંહ-સંરક્ષણ પરિયોજના: એશિયાઈ સિંહની વસતિ માત્ર ગીરનાં જંગલોમાં છે. ગીરમાં સિંહની વસતિને બચાવવાના હેતુ અને તેને નુકસાન થાય તેવાં પરિબળો રોકવા માટે આ પરિયોજના 1972માં અમલમાં આવી.
  3. હંગુલ-સંરક્ષણ પરિયોજના : કશ્મીર સ્ટેગ તરીકે ઓળખાતા હંગુલ નામના હરણને બચાવવા તેમજ તેમની વસતિના વધારા માટે આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી.
  4. કસ્તૂરીમૃગ-સંરક્ષણ પરિયોજનાઃ નર કસ્તૂરીમૃગના શરીરમાં આવેલી ગ્રંથિમાં સુગંધિત દ્રવ્ય કસ્તુરી (musk) હોય છે. આ દ્રવ્ય દવા તરીકે વપરાય છે. સોનાથી પણ તેની કિંમત વધારે છે. તે મેળવવા કસ્તૂરીમૃગના થતા મોટા પાયે શિકારને રોકવા માટે પરિયોજના છે.
  5. મગર-ઉછેર કેન્દ્ર પરિયોજના : 1975માં આ પરિયોજના શરૂ કરવામાં આવી. હાલમાં દેશમાં 16 મગર-ઉછેર કેન્દ્રો કાર્યરત છે.

Leave a Comment

Your email address will not be published.